ધનુષ અને ઐશ્વર્યાના ડિવૉર્સની વાત ખોટી, એક્ટરના પિતાએ કહ્યુ - આ માત્ર એક ઘરેલુ ઝઘડો હતો
ધનુષના પિતા, ફિલ્મ નિર્માતા કસ્તૂરી રાજાએ બંનેના ડિવૉર્સના સમાચારોને ખોટા ગણાવ્યા છે.
મુંબઈઃ ફિલ્મ એક્ટર ધનુષ અને તેની પત્ની ઐશ્વર્યાએ એલાન કર્યુ છે કે તે અલગ થઈ રહ્યા છે. વળી, ધનુષના પિતા, ફિલ્મ નિર્માતા કસ્તૂરી રાજાએ બંનેના ડિવૉર્સના સમાચારોને ખોટા ગણાવ્યા છે. ડેલીથંડી વર્તમાનપત્રને આપેલા એક ઈન્ટરવ્યુમાં કસ્તૂરી રાજાએ કહ્યુ કે તેમનો દીકરો ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંતના ડિવૉર્સ લેવાના સમાચારોમાં સચ્ચાઈ નથી.

આ માત્ર એક પારિવારિક ઝઘડો
કસ્તૂરી રાજાએ ધનુષ અને ઐશ્વર્યા(એક્ટર રજનીકાંતની દીકરી)ના ડિવૉર્સના સવાલ પર કહ્યુ, સામાન્ય પતિ-પત્ની વચ્ચે થાય એવો આ એક પારિવારિક ઝઘડો છે. આ ડિવૉર્સ નથી. રાજાએ એ પણ કહ્યુ કે છેલ્લા ઘણા દિવસોથી તે ચેન્નઈમાં નહોતા.

ધનુષ અને ઐશ્વર્યાએ કર્યુ છે અલગાવનુ એલાન
ધનુષ અને ઐશ્વર્યાએ 17 જાન્યુઆરીએ સોશિયલ મીડિયા પર પોતાના અલગ થવાનુ એલાન કર્યુ છે. બંનેએ એક નોટ ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને પોતાના 18 વર્ષ જૂના લગ્નને ખતમ કરવાની માહિતી આપી હતી. ધનુષ અને ઐશ્વર્યાને બે બાળકો યાત્રા અને લિંગા છે.

ધનુષ અને ઐશ્વર્યાએ શું કહ્યુ
ધનુષે એક નોટ ઈન્સ્ટાગ્રામ પર લખી છે જેને ઐશ્વર્યાએ પણ શેર કરી છે. આમાં લખ્યુ છે - 18 વર્ષ વર્ષે દોસ્ત, કપલ અને પેરેન્ટ્સ, એકબીજાના સહયોગી અને શુભચિંતક તરીકે સાથે રહ્યા. આ દરમિયાન અમે એકબીજા વિશે ઘણુ બધુ જાણ્યુ અને સમજ્યુ, એકબીજા પાસેથી ઘણુ બધુ શીખ્યુ. આજે અમે એક એવી જગ્યાએ ઉભા છે, જ્યાં અમારા રસ્તા અલગ થઈ રહ્યા છે. ઐશ્વર્યા અને મે અલગ થવાનો નિર્ણય લીધો છે. બધાને વિનંતી છે કે અમારા આ નિર્ણયને સમજે અને અમારી પ્રાઈવસીનુ સમ્માન કરે.
|
2004માં કર્યા હતા લગ્ન
ધનુષ સાઉથ ઈન્ડસ્ટ્રીના સ્ટાર એક્ટર છે, તેમના પિતા કસ્તૂરી રાજા પણ મોટા ફિલ્મ નિર્માતાઓમાં શામેલ છે. વળી, ઐશ્વર્યા સુપરસ્ટાર રજનીકાંતની દીકરી છે. ધનુષ અને ઐશ્વર્યાએ વર્ષ 2004માં લગ્ન કર્યા હતા. હવે 18 વર્ષ બાદ બંનેએ એલગ થવાનુ એલાન કર્યુ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
