સુરક્ષા તપાસમાં કૃત્રિમ પગ હટાવવા પર CISFએ અભિનેત્રી સુધા ચંદ્રનની માંગી માફી, કહ્યુ - હવે નહિ પડે મુશ્કેલી
સુધા ચંદ્રનની ફરિયાદ સાંભળ્યા બાદ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ(સીઆઈએસએફ)ના અધિકૃત ટ્વિટર હેન્ડલથી અભિનેત્રીની માફી માંગી છે.
મુંબઈઃ ટેલીવિઝનના જાણીતા અભિનેત્રી અને ડાંસર સુધા ચંદ્રને એરપોર્ટ સિક્યોરિટી તપાસને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વિનંતી કરી હતી. સુધા ચંદ્રન માર્ગ અકસ્માતમાં એક પગ ગુમાવ્યા બાદ આર્ટિફિશિયલ લિંબ(કૃત્રિમ પગ)ના સહારે ચાલે છે. જેના કારણે એરપોર્ટ પર તેમને તપાસ માટે પોતાના કૃત્રિમ અંગને કાઢીને સિક્યોરિટીમાંથી પસાર થવુ પડે છે. પીએમ મોદીને ટેગ કરીને સુધા ચંદ્રને પોતાની આ મુશ્કેલીનો ઉલ્લેખ કર્યો છે. સુધા ચંદ્રનની ફરિયાદ સાંભળ્યા બાદ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ(સીઆઈએસએફ)ના અધિકૃત ટ્વિટર હેન્ડલથી અભિનેત્રીની માફી માંગી છે અને કહ્યુ છે કે તે આ મામલે કાર્યવાહી કરશે. સીઆઈએસએએ એ પણ ભરોસો અપાવ્યો છે કે સુધા ચંદ્રનને હવે આગળ કોઈ મુશ્કેલી નહિ થાય.

સુધા ચંદ્રને થયેલી અસુવિધા માટે અમને ખેદ છેઃ CISF
કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ(સીઆઈએસએફ)એ શુક્રવારે(22 ઓક્ટોબર)ના રોજ પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કરીને માફી માંગી છે. સીઆઈએસએફે ટ્વિટ કરીને કહ્યુ, 'સુધા ચંદ્રનને થયેલી અસુવિધા માટે અમને અત્યંત ખેદ છે. પ્રોટોકૉલ અનુસાર વિશેષ પરિસ્થિતિઓમાં જ સુરક્ષા તપાસ માટે પ્રોસ્થેટિક્સ(કૃત્રિમ અંગ)ને હટાવીને તપાસ કરવાની જોગવાઈ છે.'

'અમે તપાસ કરીશુ કે મહિલાકર્મીએ સુધા ચંદ્રનના કૃત્રિમ અંગ કેમ કઢાવ્યા'
સીઆઈએસએફે પોતાના એક અન્ય ટ્વિટમાં કહ્યુ, 'અમે તપાસ કરીશુ કે સંબંધિત મહિલાકર્મીએ સુધા ચંદ્રનને પ્રોસ્થેટિક્સ(કૃત્રિમ અંગ) હટાવવા માટે અનુરોધ કેમ કર્યો. અમે સુધા ચંદ્રનને આશ્વસ્ત કરીએ છીએ કે અમારા બધા કર્મીઓને પ્રોટોકૉલ પર ફરીથી સંવેદનશીલ બનાવવામાં આવશે જેથી યાત્રા કરનાર મુસાફરોને કોઈ અસુવિધા ન થાય.'

સુધા ચંદ્રને પીએમ મોદીને કરી હતી આ ભલામણ
ભરતનાટ્યમ નૃત્યાંગના સુધા ચંદ્રને વીડિયો શેર કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભલામણ કરી હતી કે એરપોર્ટ પર કૃત્રિમ અંગ કાઢીને સિક્યોરિટી તપાસ કરનાર મામલે ધ્યાન આપવામાં આવે. સુધા ચંદ્રનનુ કહેવુ છે કે કૃત્રિમ અંગને કાઢવા ખૂબ પીડાદાયક પ્રક્રિયા છે. સુધા ચંદ્રને પીએમ મોદી પાસે માંગ કરી છે કે બધા વરિષ્ઠ નાગરિકો માટે એક પ્રકારનુ સીનિયર સિટીઝન કાર્ડ બનાવવામાં આવે જેથી તેમને એરપોર્ટથી આવવા-જવામાં કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
