સુશાંતને ઝેર આપવામાં આવ્યુ એ છૂપાવવા માટે પોસ્ટમોર્ટમમાં વિલંબ કર્યોઃ સ્વામી
સ્વામીનો દાવો છે કે સુશાંતને ઝેર આપીને મારવામાં આવ્યા અને જાણીજોઈને તેમના પોસ્ટમોર્ટમમાં વિલંબ કરવામાં આવ્યો.
નવી દિલ્લીઃ ભારતીય જનતા પાર્ટીના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ છે કે 14 જૂને પોતાના ફ્લેટમાં મૃત મળેલા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા કરી દેવામાં આવી હતી. સ્વામીનો દાવો છે કે તેમને ઝેર આપીને મારવામાં આવ્યા અને જાણીજોઈને તેમના પોસ્ટમોર્ટમમાં વિલંબ કરવામાં આવ્યો જેથી ઝેર આપવાની વાત રિપોર્ટમાં સાબિત ન થાય. સ્વામીનુ કહેવુ છે કે હત્યારાઓની શેતાની માનસિકતા હવે સામે આવવા લાગી છે.

ઝેરને પેટમાં ભેળવી દેવામાં આવ્યુ
ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ મંગળવારે સવારે કરેલા ટ્વિટમાં લખ્યુ છે - સુશાંતના હત્યારા અને તેમની પહોંચના શેતાની માનસિકતા ધીમે ધીમે સામે આવવા લાગી છે. ઑટોપ્સીને જાણીજોઈને લેટ કરવામાં આવી જેથી સુશાંત સિંહના પેટમાં ઝેર ભળી જાય. હવે સમય આવી ગયો છે એ લોકો પર કડકાઈ કાર્યવાહી થાય જે આના માટે દોષી છે.

સ્વામી કરી રહ્યા છે ઘણા પ્રકારના દાવા
આ પહેલા સોમવારે સુબ્રમણ્યમ સ્વામીએ સુશાંતના મોતનુ દૂબઈ સાથે કનેક્શન બતાવીને સોમવારે સ્વામીએ ટવિટ કરીને લખ્યુ હતુ તે જેમ એઈમ્સના ડૉક્ટોએ સુનંદા પુષ્કરના પેટમાં અસલી ઝેર મળ્યુ હતુ. તેવુ શ્રીદેવી અને સુશાંતના કેસમાં ન થયુ. સુશાંતના મોતા દિવસે દૂબઈના ડ્રગ ડીલર અયાશ ખાને તેમની મુલાકાત કરી હતી. છેવટે કેમ? સ્વામી આ કેસમાં રિયા ચક્રવર્તી અને મહેશ ભટ્ટને પણ નિશાન બનાવી ચૂક્યા છે. તેમણે કહ્યુ કે જો રિયા ચક્રવર્તી આવા નિવેદન આપતી હોય જેનુ મહેશ ભટ્ટ સાથે વાતચીતથી વિરોધાભાસ થયો તો સચ્ચાઈ સુધી પહોંચવા માટે તેની ધરપકડ કરીને પૂછપરછ કરવા સિવાય કોઈ રસ્તો નહિ રહે.

સુશાંત કેસમાં સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારની વાતો
સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને કથિત રીતે આત્મહત્યા કરી હતી. તેમના મોત બાદ સામે આવ્યુ હતુ કે તે ડિપ્રેશનમાં હતા. તેમના મોત બાદ મુંબઈ પોલિસ કેસની તપાસ કરી રહી હતી. બિહાર સરકારની ભલામણ અને પછી સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગયા સપ્તાહે સીબીઆઈને આ કેસ સોંપી દેવામાં આવ્યો. સીબીઆઈ પણ પોતાની તપાસ કરી રહી છે. વળી, ઈડીએ કેસમાં રિયાની પૂછપરછ કરી છે. પોલિસ અને આ એજન્સીઓે હજુ કંઈ ખાસ આ કેસમાં મળ્યુ નથી પરંતુ મીડિયામાં ઘણી વાતો ચાલી રહી છે. સુશાંતની હત્યા અને રિયા પર જે આરોપ મીડિયા અને સોશિયલ મીડિયામાં અમુક લોકોએ લગાવ્યા છે, હજુ સુધી પોલિસ કે સીબીઆઈ તરફથી તેના પર કંઈ કહેવામાં આવ્યુ નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
