શાહરૂખ ખાનને બાલ ઠાકરેને કહ્યું 'મિસ યુ ટાઇગર'
બૉલિવુડના બાદશાહ શાહરૂખ ખાન અને શિવ સેનાના પ્રમુખ બાલા સાહેબ ઠાકરે વચ્ચે છેલ્લા ઘમા સમયથી વિવાદ ચાલી રહ્યા હતા તે જગજાહેર વાત છે. શનિવારે બાલ ઠાકરેના મૃત્યુ બાદ શાહરૂખ ખાન દુ:ખી છે. તેઓ છેલ્લા સમયે ઠાકરેને મળી નહીં શકવાને કારણે હતાશ પણ થઇ ગયા છે. શિવ સેના પ્રમુખના નિધનથી સમગ્ર મુંબઇ શહેર દુ:ખી છે. લાખોની સંખ્યામાં લોકો તેમના અંતિમ દર્શન માટે મુંબઇના રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. ઠાકરે વર્તમાન સમયના એવા રાજકીય નેતા છે જેમના માટે જનતાએ સ્વયંભૂ બંધ જાળવીને મુંબઇના સિનેમાઘરો, શોપિંગ કોમ્પ્લેક્સ વગેરે બંધ રહ્યા છે.

પોલિટિક્સથી લઇને બૉલિવુડ સાથે સંકળાયેલા નાના મોટા સૌ કોઇ લોકો બાલ ઠાકરેને શ્રધ્ધાંજલિ આપી રહ્યા છે. ટિ્વટર, ફેસબુક અને બ્લોગ્સ પર બધી જ સેલિબ્રિટી ઠાકરે સાહેબ સાથે સંકળાયેલી પોતાની યાદોને મૂકી રહી છે. લતા મંગેશકર, અમિતાભ બચ્ચન, ઋત્વિક રોશન, કરણ જોહર, શ્રીદેવી બધા જ બાલ ઠાકરે પ્રત્યે સન્માનની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. આ સાથે શાહરૂખ ખાન પણ બાલ ઠાકરે સાથે પોતાની દુશ્મની ભૂલાવીને સન્માન દર્શાવી રહ્યા છે.
17 નવેમ્બરે બાલ ઠાકરેના નિધન બાદ ટિ્વટર પર ટિ્વટ કરતા શાહરૂખ ખાને લખ્યું હતું કે "આપણે ઘણીવાર વ્યક્તિગત બાબતોને કારણે સબંધ શરૂ કરવા વિચારતા નથી અને પછી મોડું થઇ જાય છે. મારે બાલા સાહેબને મળવું જોઇતું હતું. હું મારી અને બાલા સાહેબ વચ્ચે થયેલી વાચચીતોને ખૂબ યાદ કરીશ. રેસ્ટ ઇન પીસ સર."
ઉલ્લેખનીય છે કે જ્યારે શાહરૂખ ખાનની ફિલ્મ માય નેમ ઇઝ ખાન રજૂ થઇ હતી ત્યારે ઠાકરેએ તેમને ચેતવણી આપી હતી કે તેઓ માય નેમ ઇઝ ખાનની રજૂઆત થવા દેશે નહીં. કારણ કે શાહરૂખ ખાનની ટીમ કોલકત્તા નાઇટ રાઇડર્સમાં 2008માં અનેક પાકિસ્તાની ખેલાડીઓને લેવામાં આવ્યા હતા.
ત્યાર બાદ વર્ષ 2012માં આઇપીએલ મેચ દરમિયાન શાહરૂખ ખાન અને મુંબઇના વાનખેડે સ્ટેડિયમના સિક્યુરિટી ગાર્ડ વચ્ચે થયેલા વિવાદને પગલે શિવ સેનાએ મોટી બબાલ ઉભી કરી હતી. આ કારણોથી શાહરૂખ ખાન અને બાલ ઠાકરે વચ્ચેનું અંતર વધ્યું હતું. ત્યાર બાદ બંને એક બીજાની સામે આવ્યા નથી. જો કે ઠાકરેના નિધન બાદ શાહરૂખે તેમને નહીં મળી શકવાનો ખેદ વ્યક્ત કર્યો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
