આયુષ્માન ખુરાનાઃ ‘આર્ટિકલ 15'ની સ્ક્રિપ્ટ વાંચો તો ઉંઘ આવવાની બંધ થઈ ગઈ હતી
અભિનેતા આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘આર્ટિકલ 15' શુક્રવારે દેશભરના થિયેટરોમાં રિલીઝ થઈ.
અભિનેતા આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'આર્ટિકલ 15' શુક્રવારે દેશભરના થિયેટરોમાં રિલીઝ થઈ. ફિલ્મ મૂળ રીતે જાતિગત ભેદભાવ પર આધારિત છે. ફિલ્મમાં દેશમાં જાતિ વિશે બનેલી ઘણી ઘટનાઓને બતાવવામાં આવી છે જેમાંથી એક 2014નો બદાયું ગેંગરેપ પણ એક છે.

દલિત ગામમાં શૂટિંગ દરમિયાન સમજ્યો જિંદગી
ઈન્ડિયા ટુડેના હવાલાથી આયુષ્માન ખુરાનાએ કહ્યુ કે - ફિલ્મનો વિષય કદાચ એટલો ગંભીર હતો કે તેણે મારી અંદરના ખરાબ રૂપને કાઢી દીધુ. વાસ્તવમાં હું ગુસ્સામાં હતો. જ્યારે હું સ્ક્રિપ્ટ વાંચી રહ્યો હતો તો મને સારી ઉંધ આવવાની બંધ થઈ ગઈ હતી. હું અત્યાચારો વિશે ઘણો બધો ઈતિહાસ વાંચી રહ્યો હતો...જેથી એક અભિનેતા તરીકે, પોલિસ તરીકે હું મારા પ્રદર્શનને સારુ કરી શકુ. આ ફિલ્મ વિશેષ રીતે મારે કરવી હતી. તે વ્યવસ્થિત રીતે થઈ. સ્વચ્છ સમાજનો હિસ્સો હોવાના નાતે મારે આ રીતના કન્ટેન્ટ વિશે વાંચવાનુ હતુ. મને ખબર નહોતી - મને આ વિશે ખૂબ ઓછી જાણકારી હતી પરંતુ દલિત ગામ વચ્ચે શૂટિંગ કરીને સામાન્ય રીતે જીવનનુ એક સારુ પરિપ્રેક્ષ્ય સમજમાં આવ્યુ.

દૈશમાં છે ભારે વિરોધ
ઉલ્લેખનીય છે કે ફિલ્મમાં બતાવાયેલા દ્રશ્યો, સંવાદ અને પટકથા કહાની માટે સમગ્ર દેશમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. લોકો આ ફિલમને એક ષડયંત્ર તેમજ જાતિ વિશેષને બદનામ કરવાની કોશિશ ગણાવીને ફિલ્મની રિલીઝ અટકાવવાની માંગ કરી રહ્યા છે. આ વિશે રાજધાની દિલ્લીથી લઈને તમામ શહેરોમાં સતત પ્રદર્શનનો દોર ચાલી રહ્યો હતો અને હવે કેસ ન્યાયપાલિકા પાસે પહોંચી ગયો છે. હાલમાં આ ફિલ્મની રિલીઝ પર રોક લગાવાશે કે નહિ તે હાઈકોર્ટના નિર્ણય પર નિર્ભર કરશે.

શું કહેવામાં આવ્યુ હાઈકોર્ટમાં
ફિલ્મ રિલીઝ પહેલા ઈલાહાબાદ હાઈકોર્ટમાં ફિલ્મ આર્ટિકલ 15 પર પ્રતિબંધ લગાવવાની માંગ વિશેની અરજીમાં બતાવવામાં આવ્યુ છે કે આ ફિલ્મમાં બદાયું રેપ કાંડ વિશે મનગઢંત કહાની બનાવવામાં આવી છે. અસલી મુદ્દો તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યો છે. ફિલ્મમા ગેંગરેપના આરોપીઓને બ્રાહ્મણ દર્શાવવામાં આવ્યા છે. આના દ્વારા સામાજિક વિદ્વેષ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અરજીમાં કહેવામાં આવ્યુ છે કે ફિલ્મમાં મૂળ તથ્યો સાથે છેડછાડ કરવામાં આવી છે અને જાતિ વિશેષને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આનાથી સામાજિક ઉન્માદ થશે અને સમાજમાં ખોટો સંદેશ સાથે અશાંતિ ફેલાશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
