અનુ મલિક ઈન્ડિયન આઈડલમાંથી નીકળી ગયા કે કાઢવામાં આવ્યા?
‘તુ મુંબઈ આ રહા હે, તુ મુંબઈ આ રહા હે.' સોની ટીવી પર ઈન્ડિયન આઈડલના જજ અનુ મલિકની આ લાઈન હવે તમે નહિ સાંભળી શકો.
'તુ મુંબઈ આ રહા હે, તુ મુંબઈ આ રહા હે.' સોની ટીવી પર ઈન્ડિયન આઈડલના જજ અનુ મલિકની આ લાઈન હવે તમે નહિ સાંભળી શકો. અનુ મલિક હવે ઈન્ડિયન આઈડલના જજ તરીકે જોવા નહિ મળે. #MeToo અભિયાનમાં અનુ મલિક પર સિંગર તરીકે સોના મહાપાત્રા અને શ્વેતા પંડિતે યૌન શોષણના આરોપ લગાવ્યા છે. આ આરોપો બાદ સોની ટીવીએ એક નિવેદન જારી કરીને અનુ મલિકને ઈન્ડિયન આઈડલના જ્યૂરી પેનલમાંથી હટાવી દીધા છે.

અનુ મલિક હવે ઈન્ડિયન આઈડલ જ્યૂરી પેનલમાં નથી
સોની ટીવીના નિવેદન મુજબ, ‘અનુ મલિક હવે ઈન્ડિયન આઈડલ જ્યૂરી પેનલમાં નથી. શો પહેલાની જેમ ચાલતો રહેશે. અમે શો માં ભારતીય સંગીતના ઘણા મોટા નામોને મહેમાન તરીકે બોલાવીશુ. આ લોકો વિશાલ અને નેહા સાથે મળીને ઈન્ડિયન આઈડલ-10 ના પ્રતિભાશાળી પ્રતિયોગીઓને જજ કરશે.' સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા મુજબ અનુ મલિકે એક નિવેદનમાં કહ્યુ, ‘મે ઈન્ડિયન આઈડલમાંથી બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે કારણકે હું મારા કામમાં ધ્યાન નહોતો આપી શકતો. ચેનલ મારી આ વાતથી સંમત છે.' અનુ મલિક ઈન્ડિયન આઈડલ શો સાથે સતત 2004 થી જોડાયેલા હતા.

શું છે સમગ્ર મામલો?
#MeToo એટલે કે મહિલાઓનું પોતાની સાથે થયેલ યૌન શોષણની કહાની શેર કરવાનું અભિયાન. આ અભિયાન હેઠળ સિંગર શ્વેતા પંડિતે પોતાના અનુભવ ટ્વિટર પર પોસ્ટ કર્યા હતા. શ્વેતાએ લખ્યુ હતુ, ‘વર્ષ 2000 માં મોહબ્બતેં ફિલ્મ સાથે મારા કેરિયરની શરૂઆત થઈ. હું નવે સારા ગીતોની શોધમાં હતી જેથી સફળતા જાળવી શકુ. મને તે સમયે અનુ મલિકના મેનેજર તરફથી ફોન આવ્યો. 2001 માં મને અંધેરીના એમ્પાયર સ્ટુડિયોમાં બોલાવવામાં આવી. કોઈ પણ બીજા સિંગરની જેમ હું જોશથી ભરેલી હતી. એક કેબિનમાં માત્ર હું અને અનુ મલિક હતા. અનુએ સંગીત વિના મને ગાવાનું કહ્યુ. ગીત સાંભળીને અનુએ કહ્યુ- હું તને શાન અને સુનિધિ સાથે એક ગીત આપીશ પરંતુ પહેલા મને કિસ કર. આ કહીને અનુ હસી રહ્યા હતા. મારી યાદમાં આ સૌથી ખરાબ હાસ્ય હતુ. હું ત્યારે માત્ર 15 વર્ષની હતી. સ્કૂલે જતી હતી. કોઈ કલ્પના ના કરી શકે કે તે કેવી પળ હતી?'

સોના મહાપાત્રાએ પણ ગંભીર આરોપ લગાવ્યા
સોના મહાપાત્રાએ પણ અનુ મલિક પર ગંભીર આરોપ લગાવ્યા હતા. સોનાએ લખ્યુ હતુ, ‘જે પણ છોકરીઓ પોતાના અનુભવ શેર કરી રહી છે તે એકલી નથી. આ ઈન્ડસ્ટ્રીમાં બીજા પણ અનુ મલિક છે. હું 18 કલાક કામ કરુ છુ. એટલે આવા દરેક વ્યક્તિ વિશે ટ્વિટ નથી કરી શકતી.' યૌન શોષણના આરોપો પર અનુ મલિકના વકીલોની તરફથી સ્પષ્ટતા આપવામાં આવી. વકીલોના નિવેદન મુજબ, ‘અનુ મલિક પર લગાવવામાં આવેલ આરોપો ખોટા અને પાયાવિહોણા છે. અનુ મલિક મી ટુ અભિયાનનું સમ્માન કરે છે પરંતુ આ અભિયાનનો ઉપયોગ કોઈના ચરિત્ર હનન માટે કરવો અયોગ્ય છે.'
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
