Big Breaking : આદિત્ય અને રાણીએ ઇટાલીમાં કર્યા લગ્ન...
મુંબઈ, 22 એપ્રિલ : લાંબા સમયથી અભિનેત્રી રાણી મુખર્જી અને નિર્માતા-દિગ્દર્શક આદિત્ય ચોપરાના લગ્નનો ઇંતેજાર થઈ રહ્યો હતો અને આ ઇંતેજાર ગઈકાલે રાત્રે ખતમ થઈ ગયો. આદિત્ય અને રાણીએ ગઈકાલે રાત્રે ઇટાલી ખાતે લગ્ન કરી લીધાં અને આ સાથે જ બૉલીવુડના મોસ્ટ અવેટેડ મૅરેજ સમ્પન્ન થઈ ગયાં.
રાણી મુખર્જી અને આદિત્ય ચોપરા વચ્ચે લાંબા સમયથી પ્રેમ સંબંધો હતાં અને બંનેના લગ્ન યશ ચોપરાની હયાતીમાં જ થઈ જવાના હતાં, પરંતુ યશ ચોપરા ડેંગૂની બીમારીનો ભોગ બની અચાનક નિધન પામ્યા અને આ લગ્ન પાછા ઠેલવાઈ ગયાં. વચ્ચે-વચ્ચે બંનેના લગ્નના સમાચારો પણ આવ્યાં, પરંતુ દરેક વખતે લોકો નિરાશ જ થયાં, પરંતુ હવે આ યુગલ દમ્પતિ બની ગયું છે. રાણી મુખર્જી અને આદિત્ય ચોપરાના લગ્નના સમાચારથી ફિલ્મી શેરીઓમાં ખુશીની લહેર છે.
નોંધનીય છે કે આ વર્ષે ફેબ્રુઆરીમાં સમાચારો આવ્યાહતાં કે રાણી-આદિત્ય માર્ચમાં લગ્ન કરી લેવાનાં છે. યશરાજના દરેક ઈવેંટ અને દરેક સમારંભમાં રાણી મુખર્જી ચોપરા ખાનદાન સાથે જ નજરે પડે છે. ચર્ચાઓ તો એવી પણ છે કે આદિત્ય અને તેમના પત્ની પાયલના છુટાછેડાનું કારણ રાણી મુખર્જી જ હતાં. જોકે રાણી-આદિત્યનો પ્રેમ જગ-જાહેર છે. આમ છતાં રાણી તથા આદિત્યમાંથી કોઈ પણ પોતાના સંબંધ અંગે જાહેરમાં કે મીડિયામાં કંઈ કહેતા નથી.
ચાલો જોઇએ રાણી-આદિત્યના લગ્નની તસવીરો અને જાણીએ વધુ વિગતો :

ઇટાલીમાં કર્યા લગ્ન
રાણી મુખર્જી અને આદિત્ય ચોપરાએ ગઈકાલે રાત્રે ઇટાલીમાં લગ્ન કરી લીધાં.

નિકટ સંબંધીઓની હાજરી
રાણી અને આદિત્ય ચોપરાના લગ્ન પ્રસંગે આદિત્યના માતા પામેલા ચોપરા, રાણીના સંબંધીઓ સહિત નિકટના મિત્રો-પરિજનો હાજર રહ્યા હતાં.

લાંબા વખતથી ચર્ચા
રાણી-આદિત્યના લગ્ન અંગે બૉલીવુડમાં લાંબા વખતથી ચર્ચાઓ ચાલતી હતી.

અનેક તારીખો જાહેર
આદિત્ય-રાણીના લગ્ન અંગે અનેક વખત તારીખો જાહેર થઈ, પરંતુ લગ્ન નહોતા થઈ શક્યાં.

યશ સામે જ થવાના હતાં લગ્ન
આદિત્ય-રાણી ઘણા સમયથી રિલેશનમાં હતાં અને યશ ચોપરાની હયાતીમાં જ બંનેના લગ્ન થવાના હતાં.

યશના નિધને વિલમ્બ
જોકે યશ ચોપરાનું અચાનક બીમારની કારણે મોત થઈ જતાં આદિત્ય-રાણીના લગ્ન વિલમ્બમાં પડ્યા હતાં.

કાજોલ પણ હતાં આતુર
રાણી મુખર્જીના પિતરાઈ બહેન કાજોલે પણ થોડાક દિવસ અગાઉ કૉફી વિથ કરણ શોમાં બહેન રાણીના લગ્ન અંગેની આતુરતા વ્યક્ત કરી હતી.

ઇંતેજાર ખતમ
અને લાંબા સમયથી જોવાતો ઇંતેજાર ગઈકાલે રાત્રે ખતમ થઈ ગયો કે જ્યારે આદિત્ય-રાણીએ ઇટાલીમાં લગ્ન કરી લીધાં.

વનઇંડિયાની શુભેચ્છાઓ
વનઇંડિયા પરિવાર આદિત્ય ચોપરા અને રાણી મુખર્જીને તેમના લગ્નની શુભેચ્છાઓ પાઠવે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
