વર્ષ 2013ની સૌથી મોટી બ્રેકઅપ સ્ટોરીઃ રિતિક-સુઝાન
વર્ષ 2013 બસ અમુક દિવસનું મહેમાન છે. આ વર્ષે બૉલીવુડને ઘણું બધું આપ્યું છે તો ઘણું બધું પોતાની સાથે લઇને પણ જઇ રહ્યું છે. ફિલ્મી કેનવાસ પર આ વર્ષ એક મિશ્ર પ્રતિક્રિયા સાથે નોંધાયેલુ છે. આ વર્ષે જ્યાં અનેક ફિલ્મોએ સહેલાયથી કરોડોની કમાણી કરી તો બીજી તરફ આ વર્ષે અનેક ઘરો પણ તૂટ્યા. જેમાં સૌથી મોટા દુખઃદ સમાચાર આવ્યા રોશન પરિવારમાંથી.
લાંબા સમયથી રિતિક રોશનની કોઇ ફિલ્મે 200 કરોડની કમાણી કરી, પરંતુ જ્યાં રોશનના ચાહકો ક્રિશ 3ની કમાણીથી ખુશ થઇ રહ્યાં હતા, ત્યાં બીજી તરફ રોશનના ઘરમાં માતમ જેવો માહોલ હતો, કારણ કે રિતિક રોશન અને તેમની પત્ની સુઝાન રોશન વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઇ હતી અને ક્યાં સુધી તેને છૂપાવી રાખવામાં આવત. બન્નેએ છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે.
જોકે, રિતિક તરફથી એવી અરજ કરવામાં આવી છે કે મીડિયા આ વાતને વધુ મહત્વ ના આપે, પરંતુ રિતિકના કહેવાથી શું થાય છે? રિતિકની લાઇફમાં આટલો મોટો ટ્વિસ્ટ આવ્યો હતો અને લોકો વચ્ચે આ વાતને લઇને કોઇ ચર્ચા ના થાય તે કેવી રીતે બને? આ સમાચારની અસરનો અંદાજો તમે એ વાતથી લગાવી શકો છો કે થોડા દિવસ પહેલા આવેલા આ સમચાર વર્ષ 2013ની સૌથી મોટી બ્રેકઅપ સ્ટોરી બની ગયા.
એક ડેલી સર્વેના અહેવાલ અનુસાર વર્ષ 2013માં સૌથી વધુ લોકો રિતિક અને સુઝાનના છૂટાછેડાના સમાચારથી પરેશાન થઇ ગયા, જેમાના કેટલાક લોકો તો એવું પણ કહે છે કે આ ખોટા સમાચાર છે. તો ચાલો તસવીરો થકી જાણીએ આ વર્ષની બ્રેક અપ સ્ટોરી અંગે.

રિતિક-સુઝાન
રિતિક-સુઝાનના 13 વર્ષ જુના વૈવાહિક જીવનનો અંત થવાથી તેમના ફેન્સ ઘણા દુઃખી છે. હજુ પણ લોકો એ વાત જાણવા માટે આતુર છે કે આખરે આ બન્નેનું અલગ થવાનું કારણ છે. હાલ વર્ષ 2013ની સૌથી મોટી બ્રેક અપ સ્ટોરી રિતિક રોશન અને સુઝાન ખાનની મેરેજ લાઇફ છે.

કોંકણા સેન-રણવીર શૌરી
લાંબા લિવઇન રિલેશન બાદ લગ્ન કરનારા કોંકણા સેન-રણવીર શૌરીને લોકો હોટ કપલ કહેતા હતા, બન્નેને લગ્ન પછી એક બાળક પણ છે, પરંતુ બન્ને વચ્ચે કોઇ કારણસર તકરાર થઇ અને બન્ને અલગ થઇ ગયા. સ્થિતિ એવી છે કે ગમે ત્યારે આ બન્ને છૂટાછેડા લઇ શકે છે.

ચિત્રાંગદા સિંહ-જ્યોતિ રંઘાવા
સેક્સી અભિનેત્રી ચિત્રાંગદા સિંહ અને તેમના ગોલ્ફર પતિ જ્યોતિ રંઘાવાના આ વર્ષે જ છૂટાછેડા થયા છે. બન્નેને લગ્ન બાદ એક બાળક છે. બન્નેના છૂટાછેડાનું કારણ ચિત્રાંગદાનું ફિલ્મમેકર સુધીર મિશ્રાની નજીક હોવાનું જણાવવામાં આવ્યું છે.

સાજીદ ખાન- જેકલીન ફર્નાડિઝ
શ્રીલંકા અભિનેત્રી જેકલીન જ્યારે સાજીદ ખાનના પ્રેમમાં ગિરફ્તાર થઇ હતી, ત્યારે જ કહેવામાં આવ્યું હતું કે બન્ને મિસ મેચ છે અને આખરે લોકોની વાત સાચી પડી. આ બન્નેનું એક લાંબા ઝઘડા બાદ આ વર્ષે બ્રેક અપ થઇ ગયું.

કાલ્કિ કોચલીન-અનુરાગ કશ્યપ
ફિલ્મ મેકર અનુરાગ કશ્યપ અને તેમની બીજી પત્ની સેક્સી કાલ્કિ વચ્ચે બધુ વ્યવસ્થિત નથી. બન્નેએ અલગ-અલગ રહેવાનો નિર્ણય કર્યો છે. જો કે બન્નેએ છૂટાછેડા તો નથી લીધા પરંતુ બન્ને વચ્ચે ઘણા સમયથી અંતર વધી ગયુ છે, કહેવામાં આવે છે કે બન્ને વચ્ચે અંતર વધવાનું કારણ હુમા કુરૈશીનું અનુરાગની નજીક આવવું છે.

સૂરજ-જિયા ખાન
નિશબ્દ અભિનેત્રી જિયા ખાન જે આ વર્ષે પોતાના ઘરમાં પંખા સાથે લટકતી જોવા મળી હતી કે મોતનું કારણ બ્રેક અપ બતાવવામાં આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, જિયા ખાન, આદિત્ય પંચોલીના પુત્ર સૂરજ પંચોલીને ઘણો જ પ્રેમ કરતી હતી, પરંતુ સૂરજની બેવફાઇ તેને મોત તરફ લઇ ગઇ.

ઉદય ચોપરા- નરગિસ ફકરી
અભિનેતા ઉદય ચોપરા અને સેક્સી નરગિસ ફકરી વચ્ચે થોડા સમય પહેલા નીકટતા હોવાનું જણાવવામાં આવી રહ્યું હતું. લોકોને તેમના લગ્નની રાહ હતી, ત્યાં વર્ષ 2013ની મધ્યમાં સમાચાર આવ્યા કે ઉદય ચોપરા અને નરગિસ બન્ને અલગ થઇ ગયા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
