NCERT: કંસલ્ટન્ટ પદ પર નીકળી ભરતી, પોસ્ટ ગ્રેજ્યુએટ અરજી કરી શકે, 60,000 છે પગાર
NCERT: કન્સલ્ટન્ટ પદ પર નીકળી ભરતી, પોસ્ટ ગ્રેજ્યુએટ અરજી કરી શકે, 60,000 છે પગાર
NCERT Recruitment 2021: નોકરીની તલાશ કરી રહેલા પોસ્ટ ગ્રેજ્યુએટ યુવાનો માટે શાનદાર મોકો છે, NCERT એટલે કે નેશનલ કાઉન્સિલ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગે સીનિયર કંસલ્ટન્ટ અને કંસલ્ટન્ટના પદો પર ભરતી માટે અરજીઓ મંગાવી છે. ભરતી સાથે જોડાયેલી જાણકારી મેળવો.

કેવી રીતે અરજી કરવી
સીનિયર કંસલ્ટન્ટ અને કંસલ્ટન્ટના પદો પર અરજી કરવા માટે પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઉમેદવાર 30 જુલાઈ 2021 સુધી અરજી કરી શકે છે.
અહીં જાણો યોગ્યતા
સીનિયર કંસલ્ટન્ટ અને કંસલ્ટન્ટના પદો પર અરજી કરવા માટે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં ઓછામા ઓછા 55 ટકા સાથે પ્રવેશ સ્તરે આસિસ્ટન્ટ પ્રોફેસર માટે IJGC દિશાનિર્દેશો મુજબ યોગ્યતા સાથે આંકડાશાસ્ત્ર, મેથેમેટિક્સ, એજ્યુકેશન, મેથ ડિગ્રી લીધી હોય.
કેટલી જગ્યા પર ભરતી છે
સીનિયર કંસલ્ટન્ટના એક પદ પર ભરતી થનાર છે. જ્યારે કંસલ્ટેન્ટના 4 પદ પર ભરતી થશે.
પગાર
સીનિયર કંસલ્ટન્ટઃ 60,000 રૂપિયા (દર મહિને)
કંસલ્ટન્ટઃ 45,000 રૂપિયા (પ્રતિ મહિને)
કેવી રીતે અરજી કરવી
આ ભરતી માટે જે ઉમેદવારો અરજી કરવા માંગે છે ઑફિશિયલ ઈમૅલ આઈડી deencert.recruitment@gmail.com પર પોતાના બાયોડેટા સાથે અરજી મોકલી શકે છે. ભરતીની જાહેરાત જોવા માટે અહીં ક્લીક કરો.
ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર તાજેતરમાં જ તલાટી કમ મંત્રી, ગ્રામ સેવક, હેલ્થ વર્કર, કોન્સ્ટેબલ, પીએસઆઈ ફોરેસ્ટર, વગેરે પદો પર ભરતી યોજનાર છે. જેમાં પીએસઆઈના ફોર્મ ગત ફેબ્રુઆરી મહિનામાં જ ભરાઈ ગયાં છે, જ્યારે બાકીના પદો માટે બહુ જલદી જ જાહેરાત બહાર પડી શકે છે. ઓગસ્ટ મહિના સુધીમાં જાહેરાત બહાર પાડવામાં આવે તેવી શક્યતા છે.












Click it and Unblock the Notifications
