ચોમાસામાં વધી ગયો છે માખીઓનો ત્રાસ, આ રીત મળશે છુટકારો
ચોમાસાની ઋતુમાં વરસાદને કારણે ગંદકીનું પ્રમાણ વધી જાય છે. આ ગંદકીને કારણે માખી-મચ્છરનું પ્રમાણ પણ વધી જાય છે. માખીઓને કારણે બીમારીઓમાં ઘણો વધારો થાય છે.
આ સાથે માખીઓને કારણે લોકો ઇરિટેશન પણ અનુભવે છે. આવામાં સમયે લોકો માખીઓથી બચવા માટે કેમિકલયુક્ત પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય છે, જેનાથી આપણા સ્વાસ્થ્ય પર પણ તેની માઠી અસર પડે છે.

સામાન્ય રીતે માખીઓ ગંદી જગ્યાએ વધુ જોવા મળે છે, પરંતુ ક્યારેક ઘરમાં થોડો કચરો હોય, તો પણ તેઓ પોતાનું ઝુંડ બનાવે છે, અને ખાવાથી લઈને બેસવા સુધીની દરેક ખુલ્લી વસ્તુ પર બેસીને ગંદકી ફેલાવે છે.
આવી સ્થિતિમાં લોકોને તેનાથી છુટકારો મેળવવા માટે ઘણા મોંઘા સ્પ્રે ખરીદવી પડે છે, પરંતુ શું તમે જાણો છો, તમે માત્ર ઘરમાં રાખેલી વસ્તુઓથી માખીઓને ભગાડી શકો છો. આ અહેવાલમાં માખીઓને ભગાડવાના થોડા ઘરેલુ ઉપાયો વિશે જણાવી રહ્યા છીએ.
નેપ્થાલિનની ગોળી - કપડાને ઉધઈ અને ફૂગથી બચાવવા માટે નેપ્થાલીન ગોળીનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થાય છે. તેથી જ માખીઓને ભગાડવી ખૂબ સસ્તી છે.
આ માટે 4-5 નેપથાલિનની ગોળીઓ લો અને તેને સારી રીતે પીસીને પાણીમાં વિનેગરમાં મિક્સ કરી લો. હવે તેને સંપૂર્ણપણે ઓગળી જાય ત્યાં સુધી ગરમ કરો. આ દ્વાવણ ઠંડુ થયા બાદ આખું મિશ્રણ સ્પ્રે બોટલમાં ભરી લો. હવે પોતું કરતા પહેલા તેને આખા ઘરમાં છાંટો. આમ કરવાથી માખીઓ માત્ર 1 મિનિટમાં ઘરની બહાર નીકળી જશે.
લાલ મરચાનો ઉપાય - 1 ચમચી લાલ મરચાંનો પાવડર પાણીમાં ભેળવીને દરવાજા અને બારી પાસે છાંટવાથી માખીઓ ઘરમાં આવતી નથી. તમે તેને ગટરની નજીક પણ સ્પ્રે કરી શકો છો.
આ સ્પ્રેનો છંટકાવ કરતા સમયે કાળજી રાખવી જરૂરી છે, નહીં તો તે તમારી આંખો અને હાથ પર બળતરા કરાવી શકે છે. તમે મરચાને બદલે લીમડા કે તુલસીના પાનનો પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો.
હોમમેઇડ ફ્લાય રિપેલન્ટ સ્પ્રે - તમે મીઠું અને લીંબુની મદદથી ઘરે માખીઓને ભગાડવા માટે સ્પ્રે બનાવી શકો છો. આ માટે 1 કપ પાણીમાં 1 લીંબુનો રસ અને 2 ચમચી મીઠું મિક્સ કરો અને મિશ્રણને સારી રીતે તૈયાર કરો.
હવે તેને સ્પ્રે બોટલમાં ભરીને જ્યાં પણ માખીઓ દેખાય ત્યાં છંટકાવ કરો. એવું માનવામાં આવે છે કે, ખાટો સ્વાદ માખીઓને ગમતો નથી, જેના કારણે તે તરત જ ત્યાંથી દૂર થઈ જાય છે.
માખીઓથી બચવા માટે આ વાતનું રાખો ધ્યાન - ઘરના કોઈને કોઈ ખૂણામાં ગંદકી હોય, ત્યારે માખીઓ વધુ આવે છે. આવી સ્થિતિમાં ઘણી વખત ઉપરોક્ત ઉપાયો પણ અસરકારક રીતે કામ કરતા નથી. તેથી માખીઓથી સંપૂર્ણપણે છુટકારો મેળવવા માટે, તે ખુબ જ જરૂરી છે કે, તમે નિયમિતપણે ઘરની સફાઈ કરો, રસોડામાં ડસ્ટબિન ખાલી કરો અને સિંકમાં ગંદા વાસણો લાંબા સમય સુધી ન રાખો. બારી-દરવાજામાં જાળી લગાવવી જોઈએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
