Weight Loss: શું વજન ઘટાડવાની કોશિશમાં રાતનુ ભોજન છોડવુ યોગ્ય છે?
ઘણા લોકો સૂતા પહેલા એક્સ્ટ્રા કેલેરી બચાવવા માટે રાતનુ ભોજન છોડી દે છે પરંતુ શું તે ચોગ્ય છે?
નવી દિલ્લીઃ ઘણા લોકો સૂતા પહેલા એક્સ્ટ્રા કેલેરી બચાવવા માટે રાતનુ ભોજન છોડી દે છે પરંતુ લંચ અને બ્રેકફાસ્ટની જેમ જ રાતનુ ભોજન પણ એક મહત્વપૂર્ણ ભોજન છે. સંતુલિત વજન માટે રાતના ભોજનનો સાચો નિયમ એ છે કે રાતનુ જમવાનુ યોગ્ય સમયે જમો અને ભૂખને ઘટાડવા માટે યોગ્ય સામગ્રીની પસંદગી કરો. હંમેશા હળવા ભોજનની સલાહ આપવામાં આવે છે. લાઈટ ડિનર કરવાથી વજન સંતુલિત રહે છે એટલુ જ નહિ પરંતુ આનાથી પાચન સંબંધી મુશ્કેલીઓ પણ દૂર રહે છે. રાતના ભોજનમાં ભારે ભોજનથી ઘણીવાર તમને અસહજ અનુભવાય છે અને તમારી ઉંઘમાં ખલેલ પહોંચે છે. આનાથી ગેસ્ટ્રીક મુશ્કેલીઓ પણ થઈ શકે છે. તમે વિચારશો કે રાતના જમવાનો સૌથી સારો સમય કયો છે અને તમારે શું જમવુ જોઈએ અને શું નહિ. આવો, જાણીએ આ બધા સવાલોના જવાબ.

કેમ રાતનુ ભોજન જમવુ જોઈએ?
ઝડપથી વજન ઘટાડવા માટે મુખ્ય ભોજન ન છોડો. એ જોવામાં આવ્યુ છે કે ઘણા લોકો મુખ્ય ભોજનને નાસ્તા કે સલાડમાં બદલી દે છે અથવા તો બિલકુલ ખાતા નથી. તે કેલેરી ઘટાડવામાં મદદ કરી શકે છે પરંતુ લાંબા સમયે તે એટલુ ઉત્પાદક નથી. વળી, ડિનર સ્કીપ કરવાના કારણે બીજા દિવસે સવારે તમને ખૂબ જ ભૂખ લાગે છે જેના કારણે તમે ન ઈચ્છતા હોવા છતાં પણ વધુ ખાઈ લો છો. વળી, જ્યારે તમે આખો દિવસ કામ કરતા હોય તો રાતે શરીરને એનર્જી રિસ્ટોર કરવા માટે પોષક તત્વોની જરૂર પડે છે માટે રાતે ડિનર સ્કિપ કરવાના કારણે તમારા શરીરમાં નબળાઈ આવી જાય છે.

રાતના ભોજન માટે સૌથી સારો સમય શું છે?
તમારે રાતનુ ભોજન સૂવાના ત્રણ કલાક પહેલા લેવુ જોઈએ. સૂવા અને રાતના ભોજન વચ્ચે ત્રણ કલાકનુ એક આદર્શ અંતર જાળવી રાખવુ યોગ્ય છે. જો તમે તેનુ પાલન કરી રહ્યા હોય તો તમારે પોતાના ભોજનમાં ઘટાડો કરવાની જરૂર નથી. માટે અન્ય ભોજનની જેમ જ રાતના ભોજનનો આનંદ લો.

રાતના ભોજનમાં શું લેવુ જોઈએ?
રાતના ભોજનમાં ખિચડી ટ્રાઈ કરી શકો છો. તે હળવુ ભોજન હોવા સાથે ફાઈબરયુક્ત હોય છે જે તમને વધુ સમય સુધી સંતુષ્ટ રાખે છે. રોટલી સાથે દાળ-ભાત કે ચિકન ટિક્કા સ્વાદિષ્ટ અને સંતોષજનક ભોજન છે. તે તમને બિનજરૂરી સ્નેકિંગથી અટકાવશે. અડધી રાતે કે સવારે ઉઠ્યા પછી એસિડિટી અને ગેસ્ટ્રિકની અન્ય સમસ્યાઓથી બચવા માટે થોડુ હેલ્ધી ડિનર કરો. સાંજે 7 વાગ્યા પછી પોતાના ભોજનમાં મીઠાની માત્રા ઘટાડી દો. મીઠાનુ સેવન વધુ કરવાથી શરીરમાં વૉટર રિટેન્શન વધી જાય છે, જે વજન વધારવાનુ કામ કરે છે. તમે ડિનર અને સૂવા વચ્ચે એક સારો ગેપ રાખો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
