Health Tips : આ રીતે ઘરે જ બનાવો આયુર્વેદિક ઉકાળા, મળશે શરદી-ઉધરસમાં રાહત
સારી ઇમ્યુનિટી બિમારીઓને દુર રાખે છે. આવા સમયે તમારે આર્યુવેદિક ઉકાળાનું સેવન કરવું જોઇએ, જેનાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે. આજે અમે તમને જણાવીશું કે, આ ઉકાળાઓ તમે ઘરે કેવી રીતે બનાવી શકો છે.
Health Tips : શિળાયામાં ઠંડીના કારણે શરદી-ઉધરસ થવી સામાન્ય વાત છે. ઠંડીના કારણે વાયરલ ઇન્ફેક્શન થવાની શક્યતા પણ વધુ રહે છે. જો શિયાળામાં બિમારીઓથી બચવું હોય તો તમારે પોતાની ઇમ્યુનિટી વધારવી જરૂરી છે.

સારી ઇમ્યુનિટી બિમારીઓને દુર રાખે છે. આવા સમયે તમારે આર્યુવેદિક ઉકાળાનું સેવન કરવું જોઇએ, જેનાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે. આજે અમે તમને જણાવીશું કે, આ ઉકાળાઓ તમે ઘરે કેવી રીતે બનાવી શકો છે.

આદુનો ઉકાળો (ayurvedic ukado)
આદુમાં વોર્મિંગ અસર હોય છે, તેથી શિયાળામાં આદુનો ઉકાળો પીવો ખૂબ જ ફાયદાકારક છે. આ સાથે આદુમાં રહેલા ઔષધીય ગુણ શરદીઅને ઉધરસની સમસ્યાને દૂર કરવાનું કામ કરે છે. આદુમાં એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ જોવા મળે છે, જે રોગો સામેલડવામાં મદદ કરે છે.

કેવી રીતે બનાવશો આદુનો ઉકાળો (ayurvedic ukado)
- આદુનો ઉકાળો બનાવવા માટે પાણીને ઉકાળો
- હવે તેમાં આદુ, કાળા મરી, હળદર, અજમો અને તુલશીના પાન નાખીને પાણી અડધું થઈ જાય ત્યાં સુધી ઉકાળો
- જ્યારે તે ઉકળી જાય તે બાદ ગેસ બંધ કરી દો
- હવે તેમાં લીંબુનો રસ અને મધ મિક્સ કરો
- આ ઉકાળો પીવાથી તમને શરદી અને ઉધરસમાં તરત રાહત મળવા લાગશે

કાળા મરી અને લવિંગનો ઉકાળો (ayurvedic ukado)
લવિંગ અને કાળા મરીનો ઉકાળો કફમાં ખૂબ જ ફાયદાકારક છે. તેની અસર ગરમ છે અને શરદી જેવા રોગો મટાડે છે.

કેવી રીતે બનાવશો કાળા મરી અને લવિંગનો ઉકાળો (ayurvedic ukado)
- કાળા મરી અને લવિંગનો ઉકાળો બનાવવા માટે પાણીને ઉકાળો
- હવે આ પાણીમાં કાળા મરી, એલચી, ચાના પાંદડા, આદુ, ગોળ અને તુલસીના પાન ઉમેરો
- આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરીને ઉકાળો
- કાળા મરી અને લવિંગનો ઉકાળો પીવાથી તમને શરદી અને ગળાના દુઃખાવાથી તરત રાહત મળશે.

અજમાનો ઉકાળો (ayurvedic ukado)
અજમામાં હાજર પોષક તત્વો શરદી અને ઉધરસના ઈલાજ તરીકે કામ કરે છે. આ પોષક તત્વો આપણી રોગપ્રતિકારક શક્તિ વધારીનેશરીરને રોગોથી બચાવે છે. આ ઉકાળો પીવાથી પેટના દુઃખાવાની સમસ્યા પણ દુર થાય છે.

કેવી રીતે બનાવશો અજમાનો ઉકાળો (ayurvedic ukado)
- સૌપ્રથમ પાણી ગરમ કરો.
- થોડી વાર પછી તેમાં ગોળ ઉમેરીને ઉકાળો.
- આ મિશ્રણને ત્યાં સુધી ઉકળવા દો જ્યાં સુધી તે અડધુ ન થઈ જાય એ પછી તેને ગાળીને પી લો.
- અજમાનો ઉકાળો પીવાથી શરદી અને ઉધરસની સમસ્યા દૂર થશે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
