બળબળતા ઉનાળામાં આપને ડિહાઇડ્રેશનથી બચાવતા FooD
ધોમધખતા ઉનાળામાં સ્ફૂર્તિ અને ચુસ્તીથી કામ કરવા માટે જરૂરી છે કે તમે એવો આહાર પોતાના ભોજનમાં લો કે જેથી તમારા શરીરમાં પાણીની માત્રા જળવાઇ રહે. આ કારણે અહીં એવા ખોરાકની માહિતી આપવામાં આવી છે જે આપના શરીરમાં પાણીની માત્રાને જાળવી રાખી આપને રાખશે તરોતાજા...

1 પાણી
ગરમીમાં પાણીથી વધારે સારો મિત્ર બીજો કોઇ નથી. આપ ઇચ્છો ત્યાં, અને ચાહો ત્યારે પાણી પી શકો છો. આપ જેટલી ઓછી માત્રામાં પાણી પીશો તેટલા ડિહાઇડ્રેશનના ચાન્સ વધી જશે. આ ઉપરાંત તમારામાં સુસ્તી પણ આવશે. વ્યક્તિએ એક દિવસમાં ઓછામાં ઓછું 2 લીટર પાણી પીવું જોઇએ.

2 કાકડી/ખીરા કાકડી
પાણી ઉપરાંત કેટલાક એવા ખાદ્ય પદાર્થો છે જે આપને ઉનાળામાં શરીરમાં પાણીની માત્રા જાળવવામાં મદદ કરે છે. આ છે ખીરા. અથવા ખીરા કાકડી. તેમાં 97 ટકા પાણી હોય છે. તેને સલાડ તરીકે ખાઇ શકાય છે.

3 સલાડ પત્તા
સલાડ પત્તામાં ફાઇબર વધુ માત્રામાં હોય છે જે શરીર માટે ફાયદાકારી છે. સાથે તેમાં ખીરા કાકડી જેટલી જ પાણીની માત્રા પણ હોય છે. તેને ગમે તેટલી માત્રમાં ખાઇ શકાય છે.

4 મૂળા
મૂળા પાણીથી સમૃદ્ધ હોવાની સાથે તેમાં પિત્તનાશક ગુણ છે. જેના કારણે ઉનાળામાં થતી પિત્તની સમસ્યાથી પણ બચી શકાય છે.

5 ટામેટા
ટામેટામાં પાણીનું પ્રમાણ વધારે હોય છે. તે આપના શરીરમાં પાણીની માત્રા જાળવવાની સાથે પોષણ પણ આપે છે. આ ઉપરાંત ટામેટામાં લાઇકોપીન નામનું એન્ટિઓક્સિડન્ટ પણ હોય છે. જે ચહેરાની કરચલીઓ દૂર કરીને ચહેરાને ચમકદાર બનાવવામાં મદદ કરે છે.

6 શિમલા મરચા
શિમલા મરચામાં વધુ માત્રામાં પાણી હોય છે. માર્કેટમાં લીલા, લાલ, પીળા શિમલા મરચા મળે છે. જેમાં લીલા શિમલા મર્ચામાં સૌથી વધારે પાણી હોય છે.

7 ફૂલાવર
ફૂલાવર દેખાવમાં લાગે છે તેવું ગુણમાં પણ સુંદર છે. તેમાં 93 ટકા પાણી હોય છે. ફૂલાવર એન્ટિઓક્સિડન્ટ છે જે કેન્સર અને અન્ય બિમારીઓ સામે લડવામાં પણ મદદ કરે છે.

8 તડબૂચ
ગર્મીઓમાં પાણીની તરસ છીપાવવામાં સૌથી કારગર છે તરબૂચ. તરબૂચનો રંગ આકર્ષક હોય છે અને તેને ખાતાની સાથે જ તમે તાજગી અને ઠંડકનો અહેસાસ કરી શકો છો.

9 પાલક
પાલકના પાંદડામાં પાણીની માત્રા વધારે હોય છે. તે સસ્તી હોય થે અને શરીરને પાણી પૂરું પાડવાની સાથે પોષણ પણ આપે છે.

10 સ્ટ્રોબેરી
સ્ટ્રોબેરી રસદાર ફળ છે. તેની પ્રાકૃતિક મીઠાશ તમારા મોઢામાં પાણી લાવી દે છે. તે તમને રોગ મુક્ત રાખે છે.

11 બ્રોકોલી
બ્રોકોલી ખુબ જ કુરકુરી અને પાણીદાર હોય છે. તેમાં વિટામીન એ અને સી પ્રચુર માત્રામાં હોય છે.

12 સક્કર ટેટી
સાકર જેવી મીઠાશ ધરાવતી સક્કર ટેટીમાં પાણી વધારે માત્રામાં હોય છે. તે સૌથી ઓછી કેલરી આપે છે જેના કારણે હેલ્થ માટે પણ સારી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
