આ દવાથી થઇ શકશે જિકો વાયરસની સારવાર
જિકો વાયરસ આજે સમગ્ર વિશ્વ માટે એક સમસ્યા બની ગયો છે. ત્યારે હવે આ વાયરસની સારવાર થઈ શકે છે. આ અંગે વધુ વાંચો અહીં..
જિકો વાયરસ આજે આખી દુનિયા માટે એક એવી સમસ્યા છે, જેનો તોડ શોધવો આજ સુધી અઘરો હતો. આ રોગના લક્ષણો જાણવા પણ મુશકેલ છે, કારણ કે માતાના ગર્ભમાં જ્યારે ભ્રૂણ હોય છે ત્યારે તેને આ રોગની અસર થતી હોય છે. આ વાયરસને કારણે ગર્ભનો પુરો વિકાસ નથી થઇ શકતો. આ રોગના કારણે બાળકના શરીરના વિકાસમા ઘણા ફેરફારો થાય. આ વાયરસનો શિકાર બનનાર બાળકનું અડધું શરીરને લકવાગ્રસ્ત થઇ જાય છે. કોઈક વખત તો બાળકના માથાનો ભાગ સામાન્ય કરતા વધારે પડતો નાનોકે મોટો થઈ જાય છે. પરંતુ હવે તેનો ઇલાજ થોડા જ સમયમાં આવી રહ્યો છે.

અમેરિકાની યૂનિવર્સિટીમાં થઇ શોધ
અમેરિકાની સેંટ લુઇસમાં આવેલી વોશિંગટન યૂનિવર્સિટી સ્કુલ ઓફ મેડિસિનના સંશોધકોએ જણાવ્યું કે , સામાન્ય મેલેરિયા વખતે ઉપયોગમાં લેવાતી દવા hydroxychloroquine નો ઉપયોગ જિકો વાયરસની સારવાર માટે કરી શકાય છે. આ વાયરસને ગર્ભનાળમાંથી ભ્રૂણમાં જતા અટકાવવામાં આ દવા મદદરૂપ થઇ શકે છે. વાયરસ ભ્રૂણ સુધી ન પહોંચે તો બાળકના માથાને કોઇ નુકસાન નથી થતું.

મુખ્ય સમસ્યાઓ
હાલ ભારતમાં આ દવાનો ગર્ભવતી મહિલાઓને ઉપયોગ કરવા પર મંજૂરી મળી ગઈ છે, પરંતુ તેનો ઉપયોગ થોડા સમય માટે જ કરી શકાય છે. નોંધનીય છે કે, ગર્ભનળી વિકસિત ભ્રૂણને રોગગ્રસ્ત જીવોથી સુરક્ષિત રાખવા માટે એક અવરોધનું કામ કરે છે. પરંતુ જિકો વાયરસમાં આવતા પૈથોઝન્સને રોકવુ તેના માટે થોડુ વધારે અઘરું છે.

આ રીતે કામ કરશે દવા
જિકો વાયરસમાં આવતું પૈથોઝન્સ ગર્ભની કોશિકાને ભ્રૂણ સુધી પહોચાડતા જરૂરી તત્વોને રોકી રાખે છે. તેના કારણે ભ્રૂણનો વિકાસ બરાબર રીતે થતો નથી. આ પૈથોઝન્સને સ્વાયત્તજીવી(autophagh) તરીકે ઓળખવામાં આવે છે. આ સ્વાયત્તજીવીની સંખ્યા વધવાથી ભ્રૂણનો વિકાસ થતો નથી. આથી મેલેરિયાની આ દવા સ્વાયત્તજીવીકાને વધતા અટકાવશે. જેથી ગર્ભમાં ભ્રૂણનો વિકાસ થઈ શકે.

દવાના લાંબા સમયના ઉપયોગથી નુકસાન
આ દવાથી ભ્રૂણનો વિકાસ સરળતાથી થઈ શકશ, પરંતુ તેની એક સમસ્યાએ પણ છે કે આ દવાનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી કોઇ નુકસાન થાય છે કે નહીં? અને જો નુકસાન થતું હોય તો તેને કઈ રીતે રોકવું એ દિશામાં હજુ કોઈ તપાસ કરવામાં નથી આવી. આથી આ દવાનો ઉપયોગ ગર્ભવતી મહિલીઓ માટે હજુ પણ જોખમકારક તો છે જ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
