Exclusive: કર્મચારીઓ બીચારા સ્મૃતિ ઇરાનીના માર્યા!
નવી દિલ્હી (વિવેક શુક્લા): સ્મૃતિ ઇરાનીને ગુસ્સો કેમ આવે છે? તેઓ પોતાના માહિતી અધિકારીઓથી શા માટે રહે છે નારાજ? આ બંને સવાલોના જવાબ તેમના માનવ સંસાધન મંત્રાલયના અધિકારીઓને શોધવાની કોશિશ કરી રહ્યા છે. માનવ સંસાધન મંત્રાલયના મુખ્ય કાર્યાલય શાસ્ત્રી ભવનમાં સ્મૃતિ ઇરાની દ્વારા માહિતી અધિકારી બનવાથી ભારતીય સૂચના સેવાના અધિકારીઓ ડરવા લાગ્યા છે.
જાણકારોએ જણાવ્યું કે મોદી સરકારમાં માનવ સંસાધન મંત્રાલય સંભાળ્યા બાદ તેઓ પોતાના ત્રણ માહિતી અધિકારીઓને હટાવી ચૂકી છે. ઇરાનીના માર્યા આ અધિકારીઓના નામ પણ જાણી લો, આર. એન મિશ્રા, નાનૂ ભસીન અને મૌસમી ચક્રવર્તી. તેઓ આ ત્રણેયના કામથી નાખુશ હતી. માટે તેમને હટાવી દેવામાં આવ્યા.

જાણકારીઓનું કહેવું છે કે સ્મૃતિ ઇરાનીએ ઉપરોક્ત અધિકારીઓને એટલા માટે હટાવ્યા કારણ કે તેઓ માનતા હતા કે આ ત્રણેય તેમના અને તેમના મંત્રાલયના કામકાજનું યોગ્ય મીડિયા કવરેજ કરાવી શકવામાં નિષ્ફળ રહ્યા હતા.
સૂત્રોનો દાવો છે કે ઇરાનીનું માનવું રહ્યું છે કે તેમના મંત્રાલયના કામકાજને મીડિયા એ પ્રકારે મહત્વ નથી આપી રહ્યું, જેટલું તેમને મળવું જોઇએ. આના પગલે ત્રણ અધિકારીઓએ તેમના ક્રોધનો શિકાર બનવું પડ્યું.
જોકે જાણકારોનું કહેવું છે કે મીડિયા કોઇ મંત્રી અથવા મંત્રાલયની સાથે ભેદભાવ નથી કરતું. મીડિયા તો કવરેજ આપવામાં તટસ્થ વલણ અપનાવે છે. કેટલાંક જાણકારો એવું પણ કહે છે કે ઇરાનીને મીડિયા કવરેજથી વધારે પોતાના મંત્રાલયના કામકાજ તરફ વધારે ધ્યાન આપવું જોઇએ. જો તેઓ એવું કરવામાં સફળ રહ્યા તો મીડિયામાં પણ તેમને વાહ-વાહી ચોક્કસ મળશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
