આવો જાણીએ આઝાદી સાથે જોડાયેલ 7 રસપ્રદ વાતો...
ભારતની આઝાદી સાથે જોડાયેલ કેટલી રસપ્રદ વાતો
15 ઓગસ્ટનો દિવસ ભારત માટે અવિસ્મરણીય છે. આ જ દિવસે ભારતને મધ્યકાલીન અને બ્રિટિશ ગુલામીની સાંકળો તોડીને એક નવા યુગમાં ડગ માંડ્યો હતો. પરંતુ તમારામાંથી એવા ઘણા ઓછા હશે જે આ દિવસ સાથે જોડાયેલ ભારતની જૂની યાદો વિશે જાણતા હોય. આવો જોઇએ, ભારતની આઝાદી સાથે જોડાયેલ કેટલાક રસપ્રદ તથ્યો, જે અંગે અત્યાર સુધી તમે અજાણ હતા...

ભારત પહેલા પાકિસ્તાનનો જન્મ
ભારતના અંતિમ વાયસરોય લાઉડ માઉંડવેંટન જ તે વ્યક્તિ હતી જેમણે ભારત અને પાકિસ્તાનની આઝાદીનો દિવસ પસંદ કર્યો. જ્યારે માઉંટવેંટને ભારત આવ્યા હતા તો તેમણે ભારત અને પાકિસ્તાન અવિભાજિત મળ્યું હતું. એવામાં કોઇ વિવાદને જન્મ આપવાથી બચવા વાયસરોયે 14 ઓગસ્ટે પાકિસ્તાનને આઝાદી આપી અને લાહોરને તેમની રાજધાની જાહેર કરી દીધી.

ટ્રિસ્ટ વિધ ડેસ્ટની
જવાહર લાલ નેહરુએ ઐતિહાસિક ભાષણ 'ટ્રિસ્ટ વિધ ડેસ્ટની' 14 ઓગસ્ટની મધ્યરાત્રીએ વાયસરોય લોજથી આપ્યું હતું. ત્યારે નેહરૂ વડાપ્રધાન ન્હોતા બન્યા. આ ભાષણને સંપૂર્ણ દુનિયાએ સાંભળ્યું, પરંતુ ગાંધી એ સમયે 9 વાગે ઊંઘવા ચાલ્યા ગયા હતા.

ભારતની આઝાદી માટે 15 ઓગસ્ટ જ કેમ?
લોર્ડ માઉંટબેટન જ હતા જેમણે ખાનગી રીતે ભારતની સ્વતંત્રતા માટે 15 ઓગસ્ટનો દિવસ પસંદ કર્યો કારણ કે તેઓ આ દિવસને પોતાના કાર્યકાળ માટે ખૂબ જ સૌભાગ્યશાળી માનતા હતા. વાસ્તમાં બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન 1945માં 15 ઓગસ્ટના જ દિવસે જાપાનની સેનાએ તેમના નેતૃત્વમાં આત્મસમર્પણ કરી લીધું હતું. માઉંટબેટન તે સમયે સંબદ્ધ સેનાઓના સમાંડર હતા.

રાષ્ટ્રગાન વગર ઉજવણી
ભારત 15 ઓગસ્ટના રોજ આઝાદ જરૂર થઇ ગયું હતું, પરંતુ તેનું કોઇ રાષ્ટ્રગાન ન્હોતું. રવિન્દ્રનાથ ટાગોર જન-ગણ-મન 1911માં જ લખી ચુક્યા હતા, પરંતુ આ રાષ્ટ્રગાન 1950માં જ બની શક્યું.

ગાંધીજી સામેલ ના થયા
મહાત્મા ગાંધી આઝાદીના દિવસે દિલ્હીથી હજારો કિમી દૂર બંગાર નોઆખલીમાં રહેતા હતા, જ્યાં હિંદુઓ અને મુસલમાનોની વચ્ચે કોમી રમખાણોને રોકવા માટે તેઓ અનશન પર હતા.

લાલ કિલ્લા પર ના લહેરાવાયો તિરંગો
દર સ્વાતંત્ર્ય દિવસ પર ભારતીય વડાપ્રધાન લાલકિલ્લાથી ઝંડાને લહેરાવે છે. પરંતુ 15 ઓગસ્ટ, 1947ના રોજ એવું ન્હોતું બન્યું. નેહરુએ 16 ઓગસ્ટ, 1947ના રોજ લાલ કિલ્લાથી તિરંગો લહેરાવ્યો હતો.

ત્રણ દેશોની આઝાદી
15 ઓગસ્ટ ભારત ઉપરાંત ત્રણ અન્ય દેશોની પણ સ્વતંત્રતા દિવસ છે. દક્ષણ કોરિયા જાપાનથી 15 ઓગસ્ટ 1945ના રોજ આઝાદ થયું. બ્રિટેનથી બહરીન 15 ઓગસ્ટ 1971ના રોજ ફ્રાંસથી કાંગો 15 ઓગસ્ટ, 1960ના રોજ આઝાદ થયું હતું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
