સર્વે: બિહારમાં લાલૂ આપશે એનડીએને કાંટાની ટક્કર
નવી દિલ્હી, 29 માર્ચ: એબીપી ન્યૂઝ-નીલસનના તાજા સર્વે અનુસાર, બિહાર, પશ્વિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં કમળ ખિલશે પરંતુ ચૂંટણીમાં જોરદાર ટક્કર રહેશે. પહેલાં બિહારની વાત કરીએ તો એબીપી ન્યૂઝ-નીલસનના સર્વે અનુસાર બિહારમાં કોંગ્રેસ આરજેડીનું ગઠબંધન સત્તાધારી જેડીયૂ અને ભાજપ ગઠબંધનની ઉંઘ ઉડાવનાર સાબિત થતું દેખાઇ રહ્યું છે. તાજા સર્વે અનુસાર આરજેડીને 10, કોંગ્રેસને બે, ભાજપને 19, એલજેપીને બે, સત્તાધારી જેડીયૂને 6 સીટો મળવાનું અનુમાન છે. એટલે કે કોંગ્રેસ સાથે ગઠબંધન કરતાં જ આરજેડીની સીટો બમણી થતી જોવા મળી રહી છે.
ફેબ્રુઆરી અને જાન્યુઆરીના સર્વેમાં આરજેડીને પાંચ સીટો મળી રહી છે. પરંતુ ભાજપનું એલજેપી સાથે ગઠબંધન કરવાથી કોઇ ફાયદો પહોંચતો જોવા મળી રહ્યો નથી. જાન્યુઆરીમાં ભાજપને 24 અને અને ફેબ્રુઆરીમાં 21 સીટો મળી રહી છે જ્યારે માર્ચમાં ઘટીને 19 સીટો મળી રહી છે. પરંતુ એલજેપીને એક સીટનો ફાયદો થતો જોવા મળી રહ્યો છે. એલજેપીને બે સીટો મળી શકે છે. હવે જો મહારાષ્ટ્રની વાત કરીએ તો કોંગ્રેસ એનસીપીની લોકપ્રિયતામાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે જ્યારે ભાજપ-શિવસેના જોળી ભરાતી દેખાઇ રહી છે.
આંકડા અનુસાર ગત બે મહિનાઓમાં અહીં નરેન્દ્ર મોદીનો નહી પરંતુ ઉદ્ધવ ઠાકરેનો જલવો દેખાઇ રહ્યો છે. એબીપી ન્યુઝ-નીલસનના તાજા સર્વે અનુસાર મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપીને ફક્ત 13 સીટો મળી શકે છે, જો કે જાન્યુઆરીના સર્વે અનુસાર ત્રણ સીટો ઓછી છે. આ ગઠબંધનને જાન્યુઆરીના સર્વેમાં 16 સીટો, ફેબ્રુઆરીના સર્વેમાં 14 સીટો મળવાનું અનુમાન હતું એટલે કે કોંગ્રેસ-એનસીપીની લોકપ્રિયતામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. તેનાથી વિરૂદ્ધ ભાજપ-શિવસેનાને જાન્યુઆરીના મુકાબલે ચાર સીટોના ફાયદાનું અનુમાન છે.
સર્વે અનુસાર ભાજપ-શિવસેના ગઠબંધનને 31 સીટો મળી શકે છે, જ્યારે જાન્યુઆરીના સર્વેમાં 27 સીટો, ફેબ્રુઆરીના સર્વેમાં 28 સીટો મળવાનું અનુમાન હતું. સર્વેથી સપ્ષ્ટ થાય છે કે મહારાષ્ટ્રમાં જનતા ધીમે-ધીમે આ ગઠબંધન તરફ વળી રહી છે. પશ્વિમ બંગાળમાં મમતા દીદીનો જાદૂ ચાલી રહ્યો છે. એબીપી-નીલસનના સર્વે અનુસાર પશ્વિમ બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે તરી આવી શકે છે અને તેના ખાતામાં 28 સીટો આવી શકે છે.
જો કે ફેબ્રુઆરીના મુકાબલે મમતા બેનર્જીને એક સીટનું નુકસાન જોવા મળી રહ્યું છે, પરંતુ જાન્યુઆરીના મુકાબલે હજુ પણ બે સીટોનો ફાયદો જોવા મળી રહ્યો છે. તેનાથી વિરૂદ્ધ જેમ-જેમ ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યાં છે 30 વર્ષો વર્ષ સુધી રાજ્યની સત્તાની બાગડોર સંભાળનાર વામપંથી પાર્ટીઓની હાલત પતળી બનેલી છે. સર્વે અનુસાર લેફ્ટ પાર્ટીઓને 10 સીટો મળવાનું અનુમાન છે. આ પ્રમાણે જાન્યુઆરીના મુકાબલે લેફ્ટને ત્રણ સીટોનું નુકશાન થઇ શકે છે, પરંતુ ફેબ્રુઆરીના મુકાબલે તેને સીટોનું નુકસાન દેખાતું નથી.

આરજેડી-કોંગ્રેસ
તાજા સર્વે અનુસાર આરજેડીને 10, કોંગ્રેસને બે, ભાજપને 19, એલજેપીને બે, સત્તાધારી જેડીયૂને 6 સીટો મળવાનું અનુમાન છે. એટલે કે કોંગ્રેસ સાથે ગઠબંધન કરતાં જ આરજેડીની સીટો બમણી થતી જોવા મળી રહી છે.

ભાજપ-એલજેપી
ફેબ્રુઆરી અને જાન્યુઆરીના સર્વેમાં આરજેડીને પાંચ સીટો મળી રહી છે. પરંતુ ભાજપનું એલજેપી સાથે ગઠબંધન કરવાથી કોઇ ફાયદો પહોંચતો જોવા મળી રહ્યો નથી. જાન્યુઆરીમાં ભાજપને 24 અને અને ફેબ્રુઆરીમાં 21 સીટો મળી રહી છે જ્યારે માર્ચમાં ઘટીને 19 સીટો મળી રહી છે. પરંતુ એલજેપીને એક સીટનો ફાયદો થતો જોવા મળી રહ્યો છે. એલજેપીને બે સીટો મળી શકે છે.

કોંગ્રેસ-એનસીપી
એબીપી ન્યુઝ-નીલસનના તાજા સર્વે અનુસાર મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપીને ફક્ત 13 સીટો મળી શકે છે, જો કે જાન્યુઆરીના સર્વે અનુસાર ત્રણ સીટો ઓછી છે. આ ગઠબંધનને જાન્યુઆરીના સર્વેમાં 16 સીટો, ફેબ્રુઆરીના સર્વેમાં 14 સીટો મળવાનું અનુમાન હતું એટલે કે કોંગ્રેસ-એનસીપીની લોકપ્રિયતામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. તેનાથી વિરૂદ્ધ ભાજપ-શિવસેનાને જાન્યુઆરીના મુકાબલે ચાર સીટોના ફાયદાનું અનુમાન છે.

ભાજપ-શિવસેના
ભાજપ-શિવસેના ગઠબંધનને 31 સીટો મળી શકે છે, જ્યારે જાન્યુઆરીના સર્વેમાં 27 સીટો, ફેબ્રુઆરીના સર્વેમાં 28 સીટો મળવાનું અનુમાન હતું. સર્વેથી સપ્ષ્ટ થાય છે કે મહારાષ્ટ્રમાં જનતા ધીમે-ધીમે આ ગઠબંધન તરફ વળી રહી છે.

પશ્વિમ બંગાળમાં મમતાનો જાદૂ
પશ્વિમ બંગાળમાં મમતા દીદીનો જાદૂ ચાલી રહ્યો છે. એબીપી-નીલસનના સર્વે અનુસાર પશ્વિમ બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે તરી આવી શકે છે અને તેના ખાતામાં 28 સીટો આવી શકે છે. જો કે ફેબ્રુઆરીના મુકાબલે મમતા બેનર્જીને એક સીટનું નુકસાન જોવા મળી રહ્યું છે, પરંતુ જાન્યુઆરીના મુકાબલે હજુ પણ બે સીટોનો ફાયદો જોવા મળી રહ્યો છે.

વોટમાં બે ટકાનો ઘટાડો
ગત બે મહિનામાં તૃણમૂલ કોંગ્રેસના વોટોમાં બે ટકાનો ઘટાડો આવ્યો છે, પરંતુ તે સૌથી વધુ 41 ટકા વોટ પ્રાપ્ત કરી શકે છે.

વોટમાં ત્રણ ટકાનો ઘટાડો
લેફ્ટ પાર્ટીના વોટમાં જાન્યુઆરીના મુકાબલે ત્રણ ટકાનો ઘટાડો આવ્યો છે. તાજા સર્વેમાં તેને 31 ટકા મળવાના અણસાર છે.

વોટમાં બે ટકાનો વધારો
જાન્યુઆરીના મુકાબલે કોંગ્રેસના વોટની ટકાવારીમાં બે ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.

વોટમાં ત્રણ ટકાનો વધારો
ભાજપ પણ ધીમે-ધીમે પોતાનું સામ્રાજ્ય વધારી રહી છે. ગત બે મહિનાઓમાં તેને ત્રણ ટકા વોટનો ફાયદો થયો છે. ભાજપને કોંગ્રેસ કરતાં બમણા 14 ટકા વોટ મળી શકે છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
