ભારતના નળોમાંથી ગુમ થઇ જશે પાણી, રિપોર્ટમાં અપાઇ ચેતવણી
એક રિપોર્ટમાં ચેતવણી જાહેર કરવામાં આવી, જેમાં ઉપગ્રહ પ્રણાલીની આધારે શોધ કરવામાં આવી છે. અને રિપોર્ટ મુજબ ભારતમાં બહુ જલ્દી તીવ્ર પાણીની તંગી ઊભી થશે. વધુ જાણો અહીં.
દેશભરમાં જ્યાં એક તરફ ગરમી વધી રહી છે. ત્યાં જ બીજી તરફ ભારત સામે જળસંકટ ઊભો થયો છે. જે અંગે એક રિપોર્ટમાં ચેતવણી જાહેર કરવામાં આવી છે. ઉપગ્રહ પ્રણાલીની આધારે જે શોધ કરવામાં આવી છે તેના રિપોર્ટ મુજબ ભારતમાં બહુ જલ્દી તીવ્ર પાણીની તંગી ઊભી થશે. રિપોર્ટ મુજબ ભારત, મોરેક્કો, ઇરાક અને સ્પેનને આ જળસંકટના કારણે સૌથી વધુ અને ગંભીર અસર થવાની સંભાવના છે. દુનિયાના 500,000 પુલ માટે પૂર્વ ચેતવણી ઉપગ્રહ પ્રણાલી બનાવનાર ડેવલપર્સ મુજબ ભારત, મોરેક્કો, ઇરાક અને સ્પેનમાં જળ સંકર "ડે ઝીરો" સુધી પહોંચી ગયું છે. અને આ કારણે નળોમાંથી પાણી એકદમથી ગુમ થઇ જવાની સંભાવના રહેલી છે.

જળસંકટ
અંગ્રેજી છાપુ ગાર્ઝિયનની રિપોર્ટ મુજબ ઉપગ્રહથી પ્રાપ્ત સંકેતોના આધારે પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જળશયોમાં પાણી ખૂટી રહ્યું છે. વર્લ્ડ રિસોર્સસ ઇસ્ટીટ્યૂટ એટલે કે ડબ્લ્યૂઆરઆઇ મુજબ પાણીની વધતી માંગ, વ્યવસ્થાનો અભાવ અને જળવાયુ પરિવર્તનના કારણે આવનારા દિવસોમાં અનેક અન્ય દેશો પણ આ સંકટથી પસાર થશે. અમેરિકા સ્થિત પર્યાવરણ સંગઠન, ડેલ્ટારેસ, ડચ સરકાર અને અન્ય સાથે મળીને જળ અને સુરક્ષા સંબંધી પૂર્વ ચેતવણી પર કામ કરી રહ્યા છે.

ગુજરાત
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગત વર્ષે જ ઓછા વરસાદના કારણે મધ્ય પ્રદેશના પુલ ઇન્દિરા સાગરના સૌથી ઉપરના હિસ્સા પરથી પાણી નીચે તળીએ બેસી ગયું છે. આ જળાશયનો ઉપયોગ 30 કરોડ લોકોને પાણી પુરી પાડવા માટે કરવામાં આવે છે. અને સરદાર સરોવર માટે આ મામલે પાણી લેવામાં આવતા પણ વિવાદ થયો હતો. વધુમાં ગુજરાત સરકારે આ વખતે પણ સિંચાઇ અટકતા ખેડૂતોને પાક ના વાવવા માટે અપીલ કરી હતી.

ભારતને નુક્શા
જળ સંકટની એક માત્ર સમસ્યા ઓછો વરસાદ આવતો તે બિલકુલ નથી. ઇઝરાયેલ જેવા દેશોમાં જ્યાં વરસાદ ખાલી 25 સેમીથી પણ ઓછો થાય છે ત્યાં પણ જીવન ચાલી રહ્યું છે. કારણ કે ત્યાં પાણીના એક પણ ટીપાને વ્યથ જવા નથી દેવામાં આવતું. અને ત્યાં તેવી રીતની ટેકનોલોજી પણ વિકસાવવામાં આવી છે જેના કારણે આ પાણીની સમસ્યાને નિવારી શકાય. જો કે તેનાથી ઊંધુ ભારતમાં 15 ટકા જ જળનો ઉપયોગ થાય છે. બાકીનું પાણી વહીને સમુદ્રમાં જતું રહે છે. વળી ફેક્ટરીમાંથી નીકળતો કચરો નદીઓમાં મળીને પાણીને દુષિત કરે છે. તે જોતા જે રીતે આજે વિશ્વમાં તેલને લઇને યુદ્ધ થઇ રહ્યું તે જ રીતે ભવિષ્યમાં પાણીને લઇને વિશ્વમાં યુદ્ધ થવાની સંભાવના બનેલી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
