પવનપુત્ર હનુમાનજી વિષે, 10 અજાણી રોચક વાતો
આજે છે જેઠ મહિનાનો મોટો મંગળવાર. આજના દિવસનું શાસ્ત્રોમાં ખૂબ જ મહત્વ છે. આજના આ મંગળવારને ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. હનુમાનજીની શક્તિ અને બુદ્ધિના દેવતા છે. વધુમાં સંકટ મોચન હનુમાન તેમના ભક્તોને તમામ બંધનો અને મુશ્કેલીઓથી મુક્ત કરાવે છે.
માટે જ આજના આ પાવન દિવસ પર અમે તમારી માટે હનુમાનજીના જીવનને લગતી 10 રોચક જાણકારી લાવ્યા છે. ભગવાન શિવના 11માં અવતાર મનાતા હનુમાનજીના વાનર સ્વરૂપે ભગવાન રામની સેવા કરી. અને પોતાની શક્તિ અને સામાર્થ્યથી તેમને એક સદ્દભક્ત તરીકે નામના મેળવી.
ત્યારે રામજીના પરમ પ્રિય ભક્ત તેવા બાહુબલિ હનુમાનજીના જીવનની રોચક અને અજાણી વાતો જાણો આ ફોટો સ્લાઇડરમાં. જુઓ આ સ્લાઇડર...

શિવના અવતાર
હનુમાનજી ભગવાન શિવના 11માં અવતાર રુદ્રનું સ્વરૂપ માનવામાં આવે છે. જે અત્યંત બળવાન અને બુદ્ધિમાન છે.

વાનર વંશજ
પણ કેટલીક પૌરાણિક કથાઓમાં મુજબ હનુમાનજી વાનરના વંશજ હતા. જેના કારણે રાજસ્થાનના વિરાટ નગરમાં તેમના વાનર રૂપની પૂજા થાય છે.

માનવ સ્વરૂપ
પણ ગોભક્ત મહાત્મા રામચંદ્ર વીરે એક એવું મંદિર બનાવ્યું છે જેમાં હનુમાનજીના વાનર મુખ વગરની મૂર્તિને સ્થાપિત કરવામાં આવી છે. રાજચંદ્ર વીરે હનુમાનજીની જાતિને વાનર કહી છે પણ શરીરને નહીં.

લંકા દહન
રામચંદ્ર વીરના મત મુજબ હનુમાનજીએ લંકા દહન વખતે વાનર રૂપ ધારણ કર્યું હતું.

ગુસ્સો નથી આવતો
કહેવાય છે કે હનુમાનજીને ગુસ્સો નથી આવતો. માટે જ, જે લોકો સ્વાભાવે ક્રોધી હોય છે તેમને હનુમાનજીની ઉપાસના કરવાનું કહેવામાં આવે છે.
જન્મ

જન્મ
માન્યતા મુજબ હનુમાનજીનો જન્મ આજથી 1 કરોડ 85 લાખ 58 હજાર 112 વર્ષ પહેલા ચૈત્રી પૂર્ણિમાના મંગળવારના દિવસે સવારે 6.03 વાગે થયો હતો.

વ્રજ શરીર
હનુમાનજીને એટલા માટે બજરંગ બલી કહેવાય છે કારણ કે તેનું શરીર વ્રજ જેવું મજબૂત હતું.

અમરત્વ
ધરતી પર ખાલી સાત લોકોને અમરત્વ મળ્યું છે જેમાંથી પવનપુત્ર હનુમાનજી એક છે.

હનુમાન નામ કેવી રીતે પડ્યું?
સૂર્યને ફળ સમજીને ખનાર હનુમાનજી પર ઇંદ્રએ વ્રજથી પ્રહાર કર્યો જેના કારણે તેમની દાઢી એટલે કે હનુ તૂટી ગઇ, માટે તેમને હનુમાનનું નામ મળ્યું.

બ્રહ્મચારી નહીં
કેટલાક પુરાણોમાં ઉલ્લેખ છે હનુમાનજી આજીવન બ્રહ્મચારી નહતા રહ્યા તેમની પત્નીનું નામ સુવરચલા હતું જે સૂર્યની પુત્રી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
