Buddha Purnima 2020: મહાત્મા બુદ્ધ - 'ગુસ્સામાં અયોગ્ય બોલવા કરતા મૌન રહેવુ વધુ સારુ'
આજે આખા દેશમાં બુદ્ધ પૂર્ણિમાનો પર્વ મનાવવામાં આવી રહ્યો છે. આજના દિવસે બૌદ્ધ અને હિંદુ બંને ધર્મોના લોકો ભગવાન બુદ્ધના જન્મોત્સવ તરીકે મનાવે છે.
આજે આખા દેશમાં બુદ્ધ પૂર્ણિમાનો પર્વ મનાવવામાં આવી રહ્યો છે. આજના દિવસે બૌદ્ધ અને હિંદુ બંને ધર્મોના લોકો ભગવાન બુદ્ધના જન્મોત્સવ તરીકે મનાવે છે. તમને જણાવી દઈએ કે ભગવાન બુદ્ધે જ બૌદ્ધ ધર્મની આધારશિલા રાખી હતી. તો વળી, હિંદુ ધર્મનુ માનવુ છે કે બુદ્ધ, ભગવાન વિષ્ણુનો 9મો અવતાર છે. આ જ કારણ છે કે હિંદુ ધર્મના લોકો માટે આજે પણ આ દિવસ વિશેષ મહત્વ ધરાવે છે, કહેવાય છે કે ભગવાન બુદ્ધને આજના દિવસે જ જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી.

આજના જ દિવસે બુદ્ધને સત્યનુ જ્ઞાન થયુ હતુ
ગૌતમ બુદ્ધનો જન્મ ઈસાથી 563 વર્ષ પહેલા નેપાળના લુમ્બિની વનમાં થયો હતો અને આજના જ દિવસે બોધગયામાં બોધિવૃક્ષ નીચે બુદ્ધને સત્યનુ જ્ઞાન થયુ હતુ અને વૈશાખ પૂર્ણિમાના દિવસે કુશીનગરમાં તેમનુ મહાપરિનિર્વાણ થયુ હતુ, કુલ મળીે જન્મ, સત્યના જ્ઞાન અને મહાપરિનિર્વાણ માટે ભગવાન ગૌતમ બુદ્ધને એક જ દિવસે એટલે કે વૈશાખ પૂર્ણિમાના દિવસે જ થયો હતો એટલા માટે આ દિવસ ખૂબ જ માનક છે.

બોધગયા
બિહારના જે ક્ષેત્રમાં તેમણે જ્ઞાનની પ્રાપ્તિ કરી એ જગ્યાને બોધગયાના નામથી ઓળખવામાં આવે છે. તેમણે પોતાનો પહેલો ઉપદેશ સારનાથમાં આપ્યો અને બૌદ્ધ ધર્મની સ્થાપના પણ ત્યાં જ કરી હતી. ગૌતમ બુદ્ધનુ મૃત્યુ, ઉત્તર પ્રદેશના કુશીનગરમાં 80 વર્ષની વયે થયુ હતુ.

મહાત્મા બુદ્ધના અનમોલ વિચાર
- મનુષ્યએ જો પોતાના જીવનમાં ખુશીઓ મેળવવી હોય તો ના તો તેણે પોતાના ભૂતકાળમાં ઉલઝવુ જોઈએ ના તો પોતાના ભવિષ્યની ચિંતા કરવી જોઈએ.
- મનુષ્યને પોતાના જીવનમાં ક્રોની સજા નથી મળતી પરંતુ મનુષ્યને ક્રોધથી સજા મળે છે.
- મનુષ્ય હજારો લડાઈઓ જીતીને પણ વિજયી નથી હોતો પરંતુ જે દિવસે તે પોતાના ઉપર વિજય મેળવી લે એ દિવે તે વિજયી બની જાય છે.
- દુનિયામાં ત્રણ વસ્તુઓ એવી છે જે ક્યારેય નથી છૂપાતી - સૂર્ય, ચંદ્ર અને સત્ય.
મહાત્મા બુદ્ધના અનમોલ વિચાર
મનુષ્યએ જો પોતાના જીવનમાં ખુશીઓ મેળવવી હોય તો ના તો તેણે પોતાના ભૂતકાળમાં ઉલઝવુ જોઈએ ના તો પોતાના ભવિષ્યની ચિંતા કરવી જોઈએ. મનુષ્યને પોતાના જીવનમાં ક્રોની સજા નથી મળતી પરંતુ મનુષ્યને ક્રોધથી સજા મળે છે. મનુષ્ય હજારો લડાઈઓ જીતીને પણ વિજયી નથી હોતો પરંતુ જે દિવસે તે પોતાના ઉપર વિજય મેળવી લે એ દિવે તે વિજયી બની જાય છે. દુનિયામાં ત્રણ વસ્તુઓ એવી છે જે ક્યારેય નથી છૂપાતી - સૂર્ય, ચંદ્ર અને સત્ય.
_ // ]]>

ક્રોધમાં અયોગ્ય બોલવાથી સારુ છે મૌન રહેવુ
- જીવનમાં ક્યારેય બુરાઈથી બુરાઈને ખતમ કરી શકાતી નથી.
- મનુષ્યની બુરાઈઓ તેના જીવનમાંથ પ્રેમને ખતમ કરી દે છે.
- ક્રોધિત હોવાનો અર્થ છે, સળગતા કોલસાને કોઈ બીજા પર ફેંકવો, જે સૌથી પહેલા પોતાના હાથને જ બાળે છે.
- એક પ્રજ્વલિત દીવાથી હજારો દીવા પ્રજ્વલિત થાય છે તેમછતાં દીપકની રોશની ઘટતી નથી.
- જીવનમાં ખુશીઓ વહેંચવાથી વધે છે ક્યારેય ઘટતી નથી.
ક્રોધમાં અયોગ્ય બોલવાથી સારુ છે મૌન રહેવુ
જીવનમાં ક્યારેય બુરાઈથી બુરાઈને ખતમ કરી શકાતી નથી. મનુષ્યની બુરાઈઓ તેના જીવનમાંથ પ્રેમને ખતમ કરી દે છે.
ક્રોધિત હોવાનો અર્થ છે, સળગતા કોલસાને કોઈ બીજા પર ફેંકવો, જે સૌથી પહેલા પોતાના હાથને જ બાળે છે. એક પ્રજ્વલિત દીવાથી હજારો દીવા પ્રજ્વલિત થાય છે તેમછતાં દીપકની રોશની ઘટતી નથી. જીવનમાં ખુશીઓ વહેંચવાથી વધે છે ક્યારેય ઘટતી નથી.
_ // ]]>












Click it and Unblock the Notifications
