No Smoking Day 2024: સિગરેટમાં હોય છે ટૉયલેટ ક્લિનર અને ઉંદર મારવાની દવાવાળુ કેમિકલ, કેવી રીતે છોડવી આ લત?
How Does Cigarette Make You Addicted: સિગારેટમાં એવું શું હોય છે કે એક કશ લીધા પછી તમને તેની લત લાગી જાય છે? વાસ્તવમાં, સિગારેટમાં 7,000થી વધુ રાસાયણિક સંયોજનો હાજર છે. આમાંના મોટાભાગના રસાયણો સાયકોએક્ટિવ હોય છે.
તેનો અર્થ એ છે કે એ તમારી નર્વસ સિસ્ટમ પર સીધો હુમલો કરે છે અને તેને નિયંત્રણમાં લે છે. જેના કારણે તમે આ વ્યસનનો શિકાર બનો છો. સિગારેટ પીવાની થોડી જ સેકન્ડોમાં ધુમાડો મગજ સુધી પહોંચે છે, જેના કારણે કેટલાક ન્યુરોટ્રાન્સમીટર બહાર આવે છે.

જે આપણા શરીરના ડોપામાઈન હોર્મોનને સક્રિય કરે છે અને આપણને સારું લાગવા લાગે છે. ડોપામાઇન એ જ હોર્મોન છે જે રિલીઝ થયા પછી વ્યક્તિને ખુશીનો અનુભવ થાય છે. ધીમે-ધીમે તમને આ અનુભવ લેવાની આદત પડી જાય છે. નો સ્મોકિંગ ડે નિમિત્તે, ચાલો જાણીએ કે સિગારેટ તમારા માટે કેવુ ખતરનાક વ્યસન છે અને આ વ્યસનમાંથી કેવી રીતે છુટકારો મેળવવો.
અમેરિકન આરોગ્ય સંસ્થા ટીએફએલ (ટોબેકો ફ્રી લાઇફ) અનુસાર, સિગારેટના ધુમાડામાં ઘણા ઝેરી રસાયણો હાજર હોય છે. જે વાસ્તવમાં સ્વાસ્થ્ય માટે ઘણા જોખમો પેદા કરી શકે છે. તેમાં નિકોટિન, ટાર, પોલોનિયમ-210, આર્સેનિક, એમોનિયા, ટોલ્યુએન, એસીટોન અને મિથેનોલ જેવા ઝેરી રસાયણો જોવા મળે છે. તેમાં રહેલા નશાના કારણે વ્યક્તિ વ્યસની બની જાય છે. સિગારેટનો જુસ્સો ક્યારે તૃષ્ણામાં ફેરવાઈ જાય છે તેની આપણને ખબર નથી પડતી.
સિગારેટ બનાવવામાં ઉપયોગમાં લેવાતા રસાયણો ખરેખર ખૂબ જ ખતરનાક હોય છે. પોલોનિયમ-210 કેમિકલનો ઉપયોગ એટમ બૉમ્બ બનાવવામાં, આર્સેનિકનો ઉપયોગ ઉંદરોના ઝેરમાં, નિકોટિનનો ઉપયોગ ખાતર બનાવવામાં, ટોલ્યુએનનો ઉપયોગ શાહી બનાવવામાં અને એમોનિયાનો ઉપયોગ ટૉઇલેટ ક્લીનરમાં થાય છે. હવે તમે આના પરથી અંદાજ લગાવી શકો છો કે એક સિગારેટ તમારા સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
ધૂમ્રપાન કે અન્ય કોઈ ડ્રગની આદત તરત જ છોડી શકાતી નથી. તેનાથી છુટકારો મેળવવા માટે ઘણી મહેનત કરવી પડે છે. અમેરિકાના સીડીસી (સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન) અનુસાર સિગારેટ કે કોઈપણ પ્રકારની ધૂમ્રપાનની લત છોડવામાં 1થી 4 અઠવાડિયાનો સમય લાગી શકે છે. આ માટે સારા આહાર, દિનચર્યા, વ્યાયામ અને ધ્યાન જેવી પ્રેક્ટિસની મદદ લેવી પડે છે.
સિગારેટ છોડ્યા પછી તમે વિડ્રૉલ સિમ્પ્ટમ અનુભવી શકો છો. આમાં ચીડિયાપણું, ચિંતા, તણાવ, થાક, શરીરમાં દુખાવો, વધુ પડતી ભૂખ, માથાનો દુખાવો, અનિદ્રા અને કબજિયાત જેવા લક્ષણોનો સમાવેશ થઈ શકે છે. TFL મુજબ, આ લક્ષણો સિગારેટ છોડ્યાના ચાર અઠવાડિયા સુધી દેખાય છે. તે પછી શરીર ન્યૂટ્રલ થવા લાગે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
