માતાના નવે રૂપ અનુસાર નવ દિવસ પહેરો આ રંગના વસ્ત્રો
જેમ નવરાત્રીમાં માતા દુર્ગાના અલગ-અલગ નવ રૂપ પૂજાય છે. તેવી જ રીતે માની અલગ- અલગ રીતે પૂજા પણ થાય છે. માતાના રૂપો અનુસાર પહેરો નવરાત્રીમાં નવ રંગોઆ અંગે વધુ વાંચો અહીં
નવરાત્રી ઉમંગોનો તહેવાર છે. નવરાત્રીનો અર્થ થાય છે ભરપૂર ગરબા. આ તહેવારમાં છોકરીઓ અને સ્ત્રીઓ માટે ખાસ મહત્વ ધરાવે છે. નવરાત્રીના નવ દિવસ અલગ અલગ ડ્રેસ કોડ હોય છે, જે સ્ત્રીઓની સુંદરતામાં વધારો કરે છે. આપણે જાણીએ છીએ કે નવરાત્રીના દરેક દિવસનું અલગ મહત્વ છે અને દરેક દિવસ સાથે આપણી લાગણીઓ જાડાયેલી છે. દરેક દિવસ માતા દુર્ગાના કોઈને કોઈ રૂપ સાથે જોડાયેલુ છે અને માતાના દરેક રૂપનું આગવું મહત્વ છે. માતાના આ નવે રૂપને ધ્યાનમાં રાખી 9 દિવસોમાં 9 અલગ અલગ કલરના કપડા પહેરવા જોઈએ. આવો જાણો નવરાત્રીમાં કયા દિવસે કયા રંગના વસ્ત્રો પહેરવા?

પહેલા દિવસે લાલ કલર
નવરાત્રીનો પહેલો દિવસ માતા અંબાના સ્વરૂપ શૈલાપુત્રી એટલે કે પહાડોની પુત્રીની પૂજા કરવામાં આવે છે. દુર્ગાનું આ રૂપ ભગવાન શિવની અર્ધાગિંની મનાય છે. આ લાલ રંગ શક્તિ અને ઊર્જાને દર્શાવે છે. નવરાત્રીમાં પહેલા દિવસે પહેરવા માટે આ ઉત્તમ વિકલ્પ છે.

બીજા દિવસે રૉયલ બ્લુ
નવરાત્રીના બીજા દિવસે માતા દુર્ગાના બ્રહ્મચારિણી રૂપની પૂજા કરવામાં આવે છે. જે લોકોને સુખ અને સમૃદ્ધિ આપે છે. આ દિવસે મોરપીંછ કલર પહેરવો અત્યંત શુભ છે. આ રંગ શાંતિ અને ઊર્જાનું પ્રતિક છે.

ત્રીજા દિવસે પીળો
નવરાત્રીના ત્રીજા દિવસે મા દુર્ગાના ચંદ્રઘંટા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ દિવસે માતા દુર્ગા પોતાના માથે અર્ધ ચંદ્ર ધારણ કરે છે. જે બહાદુરી અને સુંદરતાનું પ્રતિક છે. ચંદ્રઘંટા રાક્ષસોનો સંહાર કરનારી છે. ત્રીજા દિવસે પીળો રંગ પહેરવો શુભ મનાશે. જે અદભૂત કલર છે, જેનાથી તમારુ મન ખૂબ જ સારૂ રહેશે.

ચોથા દિવસે લીલો
ચોથો દિવસ માતા કુષ્માંડાનો મનાય છે. આ દિવસે લીલો રંગ શુભ છે. માતા કુષ્માંડાએ આ સંસારની રચના કરી છે અને તેમનાથી જ ધરતી પર હરિયાળી છવાયેલી છે. આથી આ દિવસે લીરા રંગના વસ્ત્ર પહેરવાથી ધણા લાભ થાય છે.

પાંચમા દિવસે ગ્રે
દુર્ગાનું પાંચમું સ્વરૂપ સ્કન્દમાતા છે. આ દિવસે માતા દુર્ગા પોતાના પુત્ર કાર્તિકેયને પોતાના ખોળામાં લઈને બેઠી છે. આ દિવસે ગ્રે કલર માતાના સ્વરૂપને દર્શાવે છે, જે બાળકો પર આવનારી મુશ્કેલી સામે રક્ષા કરે છે.

છઠ્ઠા દિવસે ઓરેન્જ
માતા દુર્ગાના છઠ્ઠા સ્વરૂપ કાત્યાયની પૂજા કરવામાં આવે છે. પૌરાણિક કથાઓ પ્રમાણે એક વાર કાતા એ દુર્ગાને પોતાની પુત્રી રૂપે મેળવવા માટે તપસ્યા કરી. માતા દુર્ગા તેમની તપસ્યાથી ખુશ થયા અને તેમની ઈચ્છા પૂરી કરી. તેમણે કાતાની પુત્રી રૂપે અવતાર લીધો અને કેસરી કલર પહેર્યો જે સાહસનું પ્રતિક છે.

સાતમા દિવસે સફેદ
નવરાત્રીના સાતમા દિવસે માતા કાલરાત્રીની પૂજા કરવામાં આવે છે. આ દુર્ગાનું સૌથી હિંસક રૂપ છે. સાતમાં દિવસે દુર્ગા ગુસ્સો દર્શાવવા સફેદ કપડામાં પ્રગટ થઈ છે. સફેદ કલર સેવા-પૂજા અને શાંતિ દર્શાવે છે અને માતા દુર્ગા પોતાના ભક્તોની દરેક મુશ્કેલી સામે રક્ષા કરે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
