"પથરી"થી બચવું છે તો નવરાત્રીના ઉપવાસ કરો આ રીતે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જેમ જ ગુજરાતભરના અનેક લોકો નવલી નવરાત્રીના સમયે નકોડા ઉપવાસ કે ઉપવાસ કરતા હોય છે. સામાન્ય રીતે સ્વાસ્થયની દ્રષ્ટ્રિએ એક દિવસનો ઉપવાસ ફાયદાકારક છે પણ સતત 9 દિવસનો જ્યારે તમે ઉપવાસ કરો છો ત્યારે ડોક્ટરોનું કહેવું છે કે લોકોએ થોડીક ખાસ પ્રકારની કાળજી રાખવી જોઇએ જેથી કરીને તેમના શરીર પર અન્ય પ્રકારની મુશ્કેલીઓ લાંબા ગાળે ના આવે.
દિલ્હીના ડોક્ટર સુશીલ જૈનએ જણાવ્યું કે વ્રત રાખતી વખતે જો થોડીક સાવધાની રાખવામાં આવે તો લાંબા ગાળે આવા ઉપવાસથી તેના કારણે જે કિડનીને અસર પડે છે અને તેના કારણે પથરી થવાની જે સંભાવના ઊભી થાય છે તે ટાળી શકાય. જો કે અનેક લોકો વર્ષોથી આ રીતના ઉપવાસ, વ્રત કરે છે અને તે સંપૂર્ણ પણે શ્રદ્ધાનો વિષય છે પણ તેમ છતાં નીચે મુજબ કાળજી લેવી સ્વાસ્થયની દ્રષ્ટ્રિએ લાભકારી છે. તો વાંચો કંઇ વસ્તુઓ ઉપવાસમાં તમને લાભ પહોંચાડી શકે છે...

પાણી અને જ્યૂસ પર ભાર
નવ દિવસના ઉપવાસ દરમિયાન લીબુંનું પાણી, નાળિયેર પાણી, વિટામિન યુક્ત ફળોનું સેવન લાભકારી છે સાથે જ પાઇનેપલનો રસ પીવાથી પણ લાભ મળે છે.

ચા-કોફી
વ્રત સમયે વધુ પડતી ચા કે કોફી તમને એસિડિટી કરાવી શકે છે. તો તેના બદલે જ્યૂસ કે નવસેકા પાણીમાં સાકર નાંખીની પીવી વધુ લાભકારી રહેશે.

ઉપવાસમાં શું લેવું
ભલે તમે અન્નનો ત્યાગ નવ દિવસ માટે કર્યો હોય પણ તમારા દરરોજના જમવાના સમયે તમારે અન્નના બદલે પનીરની બનેલી મીઠાઇ, ફળ ફયાદી કે સલાડ જરૂરથી લેવા જોઇએ. સાંજે નવસેકુ દૂધ પણ હિતકારી રહેશે

કાકડી- ટમેટા
નવરાત્રીના ઉપવાસના સમયે કાકડી, દૂધી, ટમેટા, કંદમૂળ ખાવાથી લાભ રહે છે. કારણ કે આપણે ઉપવાસ દરમિયાન રોજિંદુ કામ તો કરીએ જ છીએ જે માટે ઊર્જા તો જરૂરી જ છે. જો કે બજારની મીઠાઇઓથી દૂર રહેવું હિતાવહ છે.

ઓછું તેલ
ધણા લોકો ફરાળ કરીને પણ માતાજીના વ્રત કરતા હોય છે તે લોકોએ ખાસ કરીને સાંજના સમયે ઓછા તેલમાં તળેલી વસ્તુઓ ખાવી જોઇએ.

સાંજનો ખોરાક
સાંજે બાફેલી વસ્તુઓ પર વધુ ભાર મૂકવો, દૂધ જેવો હળવો આહાર લેવો વધુ હિતકારી છે. વળી રાતના સમયે ફળોમાં સફરજન અને કેળાને બાદ કરી અન્ય કોઇ સેટ્રિક ફ્રૂટ લેવાનું ટાળવું જોઇએ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
