જાણો કોણ છે અરવિંદ કેજરીવાલ ટીમના સંભવિત મંત્રી
નવી દિલ્હી, 24 ડિસેમ્બર: સોમવારે જનસભા અને જનતા દ્વારા મળેલા એસએમએસ બાદ આમ આદમી પાર્ટીએ એ જાહેરાત કરી છે કે તે દિલ્હીમાં સરકાર બનાવવા જઇ રહી છે. કૌશાંબી સ્થિત આમ આદમી પાર્ટીની ઓફિસ પર મીડિયા સાથે વાતચીત કરતાં પાર્ટીના નેતા મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલ જ દિલ્હીના મુખ્યમંત્રી હશે અને 26 ડિસેમ્બરના રોજ જંતર-મંત્ર પર શપથ ગ્રહણ સમારોહ યોજાશે. ત્યારબાદ અરવિંદ કેજરીવાલ પોતાના સાથીઓ સાથે ઉપરાજ્ય પાલને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો.
અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી બનતાં જ દિલ્હી સહિત દેશના રાજકારણને એક નવી દિશા મળી ગઇ છે. હવે બધાની નજરો 26 તારીખ પર મંડાયેલી છે તે દિવસે લોકો વચ્ચે અરવિંદ કેજરીવાલ સીએમ તરીકે રજૂ થશે.
આવો તમને જણાવીએ કે કેજરીવાલની ટીમમાં તે કયા-કયા ચહેરા છે જેને અરવિંદ કેજરીવાલની સરકારમાં સ્થાન મળી શકે છે.

મનીષ સિસોદિયા (41)
પૂર્વ પત્રકાર મનીષ સિસોદિયા જન લોકપાલ આંદોલનથી પ્રકાશમાં આવ્યા. મનીષ સિસોદિયાએ ભાજપના નકુલ ભારદ્વાજને પટપડગંજ વિધાનસભા સીટ પરથી 11,478 મતોથી પરાજિત કર્યા. તેમને પત્રકારત્વમાં ડિપ્લોમા કર્યું છે. તે ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં એક રાજપૂત પરિવાર સાથે સંબંધ ધરાવે છે.

સૌરવ ભારદ્વાજ (34)
એન્જિયરના વ્યવસાય સાથે સંકળાયેલા સૌરવ ભારદ્વાજે કાયદાનો પણ અભ્યાસ કર્યો છે. તેમને ભાજપના દિગ્ગજ નેતા વી.કે. મલ્હોત્રાના પુત્ર અજય કુમાર મલ્હોત્રાને ગ્રેટર કૈલાશ સીટ પરથી 13,092 મતોના અંતરથી પરાજિત કર્યા હતા.

વિનોદ કુમાર બિન્ની (40)
વિનોદ કુમાર બિન્ની પૂર્વી દિલ્હીની લક્ષ્મીનગર સીટ પરથી દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી એ.કે. વાલિયાને 8,000 મતોથી પરાજિત કર્યા છે. દિલ્હી યુનિવર્સિટીમાંથી સ્નાતક વિનોદ કુમાર બિન્ની 2009 થી 2011 સુધી કોંગ્રેસના સભ્ય રહ્યા હતા, પરંતુ જન લોકપાલ આંદોલન સાથે જોડાયા બાદ કોંગ્રેસનો સાથ છોડી દિધો હતો.

સોમનાથ ભારતી (39)
આઇઆઇટી દિલ્હીથી વિજ્ઞાનમાં માસ્ટરની ઉપાધિ પ્રાપ્ત કર્યા બાદ તેમને કાયદાની ડિગ્રી પ્રાપ્ત કરી. તે આઇઆઇટી-દિલ્હી એલુમની એસોસિએશનના અધ્યક્ષ પણ હતા. તેમને ભાજપની આરતી મેહરા અને કોંગ્રેસની કિરણ વાલિયાને માલવીય નગર સીટ પરથી હરાવ્યા હતા.

રાખી બિડલા (26)
સંભવિત મંત્રીઓની યાદીમાં રાખી બિડલા સૌથી નાની ઉંમરની છે. તે પૂર્વ પત્રકાર છે અને પત્રકારત્વમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેમને શીલા સરકારના કદાવર મંત્રી રાજ કુમાર ચૌહાણને મંગોલપુરીથી 10,585 મતોના અંતરથી પરાજિત કર્યા હતા.

બંદના કુમારી (39)
સ્નાતક ડિગ્રીધારી બંદના ગરીબ મહિલાઓ માટે લડતી રહી છે. તેમને ભાજપના રવિન્દ્રનાથ બંસલને શાલીમાર બાગથી 10,000થી વધુ મતોથી હરાવ્યા છે.

જનરલ સિંહ
12મી પાસ સિંહ એક વોટર પ્યૂરીફાયર કંપનીના માલિક છે. તેમને ભાજપના રાજીવ બબ્બરને પશ્વિમી દિલ્હીની તિલક નગર સીટ પરથી 2,088 મતોના અંતરથી હરાવ્યા કર્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
