મોદી બનાવશે વિશ્વની પ્રથમ ISO 9001 સર્ટિફાઇડ સરકાર
નવી દિલ્હી, 19 જૂન: વડાપ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી ભારત સરકારને દુનિયાની પ્રથમ 'આઇએસઓ 9001' સર્ટિફાઇડ સરકાર બનાવવા માંગે છે. કેન્દ્ર સરકારના પરફોમન્સ મેનેજમેન્ટ ડિવીઝનના સચિવ પ્રજાપતિ ત્રિવેદીએ બધા મંત્રાલયો અને વિભાગોને પત્ર લખીને વડાપ્રધાનની ઇચ્છા જણાવી દિધી છે.
પત્રમાં કહેવામાં આવ્યું છે કે અમે સામૂહિક પ્રયત્નથી વિશ્વની પ્રથમ 'આઇએસઓ 9001' અમલમાં લાવનાર સરકાર બનાવશે. આ મુખ્ય લક્ષ્ય સરકારના બધા વિભાગોની નિર્ણય ક્ષમતામાં ગતિ લાવવા અને કામકાજમાં પ્રોફેશનલ વલણ લાવવું છે. વડાપ્રધાનમંત્રી આઇએસઓ સર્ટિફિકેશનને ખૂબ પ્રાથમિકતા આપી રહ્યાં છે.
ગુજરાતમાં રહેતાં તેમણે મુખ્યમંત્રી કાર્યકાળને 'આઇએસઓ 9001' સર્ટિફાઇડ બનાવી હતી. પત્રમાં કહેવામાં આવ્યું હતું કે પરફોમન્સ ડિવિઝન અને કેબિનેટ સચિવાલય કેન્દ્રમાં પણ તેના પર અમલ કરવા માંગે છે. સાથે જ કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાનમંત્રીની લીડરશિપમાં બધા વિભાગોમાં આ કામ જલદી કરી લેશે. આ કામ માટે પરફોમન્સ ડિવીઝન અને કેબિનેટ સચિવાલય બધ વિભાગોને ટેક્નિકલ સપોર્ટ આપશે.

યૂપીએએ શરૂ કરી હતી યોજના
યૂપીએ સરકારે પણ આ દિશામાં પહેલ શરૂ કરી હતી. પરફોમન્સ મેનેજમેન્ટ સિસ્ટમ બનાવીને વિભાગોના કામકાજની દેખરેખ પણ થવા લાગી હતી. પરંતુ કેટલાક વરિષ્ઠ મંત્રીઓનો રિપોર્ટ નેગેટિવ મળ્યો. ત્યારબાદ સિસ્ટમ નબળી થઇ ગઇ.

શું છે 'આઇએસઓ 9001' સર્ટિફિકેટ
આ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટેડર્ડાઇઝેશન દ્વારા ગુણવત્તા માટે નક્કી કરવામાં આવેલું માપદંડ છે. તેમાં લીડરશિપ, નિર્ણય લેવામાં ઓબ્ઝેક્ટિવ એપ્રોચ, એકબીજ સાથે જોડાયેલી પ્રક્રિયાઓને એક જ સિસ્ટમ હેઠળ મેનેજ કરવી, દસ્તાવેજની સારી જાળવણી, અસરકારક તથા ત્વરિત કામકાજ, ગુણવત્તા પર ફોકસ કરતાં લોકોની ભાગીદારી નક્કી કરવી અને લોકોની ભાગીદારીની પ્રક્રિયા સામેલ છે. આ માપદંડો પર ખરા ઉતરતાં સર્ટિફિકેશન બોડી પ્રમાણપત્ર જાહેર કરે છે.

હવે આ પ્રક્રિયા થશે
બધા વિભાગોને 'આઇએસઓ 9001' કન્સલટેંટ નિમણૂંક કરીને નક્કી માપદંડો પર કામ કરવું પડશે. કેન્દ્રના 72 વિભાગોમાંથી 37માં પહેલાંથી જ આ પ્રક્રિયા ચાલી રહી છે.

ગુણવત્તાના ગુર સિખવાડવામાં આવશે
બધા વિભાગોમાં ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને ઇન્સ્ટીટ્યૂટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝના વિશેષજ્ઞ ગુણવત્તા સુધારવાના ગુર સિખવાડવા માટે મોકલવામાં આવશે.

100 ટકા અંક મળશે
જે પણ વિભાગ 'આઇએસઓ 9001'ના માપદંડો પર ખરા ઉતરશે તેને પરફોમન્સ માટે 100 ટકા અંક મળશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
