મહાકાલનુ એ સામ્રાજ્ય જ્યાં મોદી સહિતના નેતાઓ રાત ગુજારતા ફફડે છે, જાણો કેમ?
ભારતમાં ભગવાન શિવનો અનોખો મહિમા છે. દેવોના દેવ મહાદેવ મહાકાલના નામે ભારતના ઉજ્જૈનમાં નિવાસ કરે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે મહાકાલના આ શહેરમાં ભારતના કોઈપણ નેતા રાત ગુજારતા પહેલા ફફડે છે.
કહેવાય છે કે મહાકાલના નગરમાં રાત રહેવાથી નેતાઓ સત્તા ગુમાવે છે. મધ્યપ્રદેશના આ શહેરમાં કોઈ પણ મુખ્યમંત્રી કે મંત્રી રાત વિતાવતા ડરે છે. માનવામાં આવે છે કે જે પણ મંત્રી અહીં રાતે રોકાય છે તેના સત્તાના દિવસો પુરા થઈ જાય છે.

ઘણા નેતા સમયે સમયે મહાકાલની નગરી કહેવાતા ઉજ્જૈનની મુલાકાત લેતા રહે છે. તે અહીં આવે તો છે પણ રાત રોકાવાની હિંમત કરી શકતા નથી. ભગવાન મહાકાલને તેનું કારણ માનવામાં આવે છે.
કહેવાય છે કે મહાકાલ આજે પણ ઉજ્જૈનના રાજા છે તેથી અન્ય કોઈ રાજા માટે ત્યાં રહેવું યોગ્ય નથી. જો તે આવું કરે તો તેને સજા ભોગવવી પડી શકે છે. પૌરાણિક કથાઓમાં પણ આ વાતનો ઉલ્લેખ છે.
મહાકાલનો આ આદેશ આજે પણ નેતાઓ નકારી શકતા નથી. ભગવાન મહાકાલ આગળ ભલે તે નમન કરે પરંતુ મોટાભાગના નેતાઓ હજી પણ આ મહાકાલની નગરીમાં રહેવાથી સંકોચ અનુભવે છે. સત્તામાં તેમના પગ ગમે તેટલા મજબૂત હોય પણ મંત્રીઓ અને મુખ્યમંત્રીઓ આ જોખમ લેતા ડરે છે.
એવું નથી કે માત્ર ઉજ્જૈન વિશે જ આવી માન્યતા છે. આ સિવાય અલગ-અલગ રાજ્યોમાં એવા ઘણા આવાસો કે જગ્યાઓ છે જ્યાં મુખ્યમંત્રી કે મંત્રી રહેતા નથી. કેટલાક લોકો વાસ્તુ દોષને કારણે આવું કરતા નથી, જ્યારે અન્યને પૌરાણિક કથાઓ પછી શક્તિ ગુમાવવાનો ડર હોય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
