એક મહિલાના કારણે સ્વામી વિવેકાનંદ બન્યા સાચા સંન્યાસી
દુનિયાને સચ્ચાઇનો માર્ગ બતાવવા વાળા સ્વામી વિવેકાનંદ વિશે કહેવાય છે કે તેમની વિચારધારા બદલવાવાળી એક ગાવાવાળી મહિલા હતી.
પોતાના નવા વિચારોથી માત્ર ભારત જ નહીં, પંરતુ આખી દુનિયાના લોકોના મન જીતનાર આધ્યાત્મિક ગુરૂ સ્વામી વિવેકાનંદ અંગે ઘણી વાર્તાઓ પ્રચલિત છે.
અહીં વાંચો - રાષ્ટ્રધ્વજને પગલૂછણિયું બનાવ્યું એમેઝોને, સુષ્માએ કહ્યું માફી માંગો
પોતાના ગુરૂ રામકૃષ્ણ પરમહંસના બતાવેલા રસ્તે ચાલીને તેમણે દુનિયાને સત્યના માર્ગે ચાલવાની પ્રેરણા આપી હતી. તેમના વિશે કહેવાય છે કે, તેમની વિચારધારા બદલવા માટે જવાબદાર હતી એક સ્ત્રી, એક ગાવાવાળી સ્ત્રીએ સ્વામી વિવેકાનંદની વિચારધારા બદલવામાં ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો હતો.

સ્વામીજીના સ્વાગત સમારોહ માટે આવી હતી ગાવાવાળી
કહેવાય છે કે જયપુર પાસેના એક નાનકડા રજવાડામાં સ્વામી વિવેકાનંદને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ રજવાડાના રાજાએ સ્વામીજીના સ્વાગત માટે એક સ્વાગત સમારોહનું આયોજન કર્યું હતું. આ સમારોહમાં તેમણે બનારસની એક પ્રસિદ્ધ ગાવાવાળીને બોલાવી હતી. સ્વામીજીને જ્યારે આ વાતની જાણ થઇ તો તેમને લાગ્યું કે એક સંન્યાસી તરીકે તેમણે ગાવવાળીનું ગીત ન સાંભળવું જોઇએ. આથી તેમણે સમારોહમાં જવાની ના પાડી દીધી.
પ્રભુજી મેરે અવગુણ ચિત ન ધરો
ગીત ગાવાવાળી સ્ત્રીને જ્યારે આ વાતની જાણ થઇ ત્યારે તે ખૂબ નિરાશ થઇ હતી. આથી તેણે સૂરદાસના એક ભજનના સૂર છેડ્યા. તેણે ગાયું, 'પ્રભુજી મેરે અવગુણ ચિત ન ધરો..'
પારસ પથ્થર તો લોખંડને પોતાના સ્પર્શથી સોનામાં બદલે છે
આ ભજનનો અર્થ હતો, કે પારસ પથ્થર લોખંડના દરેક ટુકડાને પોતાના સ્પર્શ માત્રથી સોનામાં બદલી શકે છે, પછી એ લોખંડનો ટુકડો પૂજના મંદિરમાં મુકવામાં આવ્યો હોય કે કસાઇના દરવાજે પડ્યો હોય. જો પારસ લોખંડ કઇ જગ્યાએ પડ્યું છે એ ચકાસવા બેસે તો તેના પારસ હોવાનો ફાયદો શું?
ગાવાવાળીને જોઇને ન તો આકર્ષણ થયું ન તો વિકર્ષણ
ભજન સાંભળતા જ સ્વામીજી તે ગાવાવાળી પાસે પહોંચ્યા, જે રડતા રડતા આ ભજન ગાઇ રહી હતી. સ્વામી વિવેકાનંદે પોતાના એક સંસ્મરણમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે, તેમણે લખ્યું છે કે તે દિવસે પહેલીવાર તેમણે એક વેશ્યાને જોઇ, એને જોઇને સ્વામી વિવેકાનંદના મનમાં કોઇ ભાવના ન જાગી, ન તો પ્રેમની ન તો ઘૃણાની. તેમને કોઇ જાતના આકર્ષણ કે વિકર્ષણની લાગણી ન થઇ. તે દિવસે પહેલીવાર સ્વામીજીને એ વાતની સંપૂર્ણ ખાતરી થઇ ગઇ કે તેઓ પોતાના મન પર કાબૂ મેળવવમાં સફળ થયા છે. તેઓ તન અને મનથી સંપૂર્ણપણે સંન્યાસી બની ચુક્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
