દેશભક્તિ, પૈસામાં નથી તોળાતી, જે આ વાત જાણી સમજશો!
ઉરી હુમલા પછી ભારતીય સેના તરફથી સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી. આ ખૂબ જ ખતરનાક મિશનને સફળતા પૂર્વક પાર પાડવાનો શ્રેય જાય છે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ, ભારતીય સેના પ્રમુખ દલબીર સિંહ સુહાગ, લેફ્ટિનેન્ટ જનરલ રણબીર સિંહ ડીજીએમઓ, પૈરા ટ્રૂપ કમાન્ડો અને રક્ષા પ્રધાન મનોહર પાર્રિકરને. પણ તેનાથી પણ વધુ અંચભિત વાત તમને ત્યારે લાગશે જ્યારે તમે જાણશો આ લોકોનો માસિક પગાર... જે જાણ્યા પછી ચોક્કસથી એક જ વાત કહેશો કે દેશભક્તિ, પૈસામાં નથી તોળાતી. વધુ વાંચો અહીં...

અજીત ડોવાલ: 1,62,500 રૂપિયા, માસિક પગાર
ભારતના રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ જેમને પીઓકેના સર્જિકલ ઓપરેશનના માસ્ટમાઇન્ડ મનાય છે. તેમની માસિક સેલરી એક રિપોર્ટ મુજબ છે 1,62,500 રૂપિયા. એટલું જ નહીં આ પહેલા પણ અજીત ડોવાબ અનેક ખૂંખાર ઓપરેશનને સફળ અંજામ આપી ચૂક્યા છે.

સેના પ્રમુખ- 2.50 લાખ માસિક પગાર
તો જનરલ દલબીર સિંહ સુહાસ જે હાલ ભારતીય સેના પ્રમુખ છે તેમનો માસિક પગાર છે 2.50 લાખ રૂપિયા. તેમણે પણ આ મિશનમાં મહત્વનું યોગદાન આપ્યું છે. અને જો પાકિસ્તાન આ બાદ કંઇ પણ પગલા લેશે ત્યારે આ વ્યક્તિના નિર્ણયો જ આવનારા સમયમાં મહત્વપૂર્ણ સાબિત થશે.

જનરલ રણવીર સિંહ- 1 લાખ 90 હજાર માસિક પગાર
લેફ્ટિનેન્ટ જનરલ રણવીર સિંહ- DGMO (ડાયરેક્ટર જનરલ મિલિટ્રી ઓપરેશન) જેમણે વોર રૂમમાં બેસી આ સર્જિકલ ઓપરેશન દરમિયાન સૈનિકોને વિવિધ ઓર્ડર આપ્યા તેમનો માસિક પગાર છે 1 લાખ 90 હજાર રૂપિયા.

પેરા ટ્રૂપ કમાન્ડો
ઉપરોક્ત તમામ વ્યક્તિઓ કરતા વધારે જેની પર આ સર્જિકલ ઓપરેશનમાં ખતરો હતો. જેમણે પીઓકેમાં ધૂસીને આતંકીઓને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવ્યું હતું તેવા પેરા ટ્રૂપ કમાન્ડોનો માસિક પગાર છે 30 હજાર રૂપિયા.

મનોહર પર્રિકર-1,90,000 રૂપિયા
દેશના રક્ષામંત્રી તરીકે મનોહર પાર્રિકરને 52 હજાર બેઝિક પગાર સાથે અન્ય ભથ્થા મળીને 1,90,000 રૂપિયા મળે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
