Exclusive: 50 'કરોડ'ના અજમલ કસાબને 50 રૂપિયામાં ફાંસી

ભારતના જાણીતા લેખક અને હંસ પત્રિકાના અનુપમ કાર્યકર્તા રાજેન્દ્ર યાદવે ફેસબુક પર લખ્યું છે કે સવાર સવારમાં અજમલ કસાબથી છુટકારો મળી ગયો એ પણ ફક્ત પચાસ રૂપિયામાં. તેની મહેમાન-નવાજીમાં પચાસ કરોડ ખર્ચ કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત ચાર વર્ષોમાં કસાબ ભારતની કેદમાં હતો. સમય સમય અજમલ કસાબ અંગે અવનવી વાતો થતી રહી છે. થોડા દિવસો પહેલાં સમાચાર આવ્યાં હતા કે મુંબઇ હુમલામાં જીવતો પકડાયેલ એકમાત્ર આતંકવાદી અજમલ કસાબ પર દરરોજ લગભગ 3.5 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે જેના કારણે સરકારની ખૂબ ટીકા થઇ હતી.
આ ખર્ચામાં કસાબનો ખાવાનો ખર્ચ, સુરક્ષા, વકિલ, દવાનો ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે. ગત વર્ષે મહારાષ્ટ્ર વિધાનસભામાં ગૃહ મંત્રી આર આર પાટીકે અજમલ કસાબ પર લગભગ 20 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોવાની વાત કરી હતી.
પરંતુ અજમલ કસાબને ફાંસીએ લટકાવવાનો ખર્ચ માત્ર 50 રૂપિયા છે. જો નિયમ પર ધ્યાન આપીએ તો ગુનેગારને ફાંસી આપવા માટે સરકારી બજેટમાંથી માત્ર 50 રૂપિયાનો ખર્ચ કરવાની જોગવાઇ છે.
ગૃહ મંત્રી સુશીલ કુમાર શિંદેએ કહ્યું હતું કે અજમલ કસાબની યાચિકાને 5 નવેમ્બરે નકારી કાઢવામાં આવી હતી. આઠ નવેમ્બરના રોજ અજમલ કસાબને ફાંસી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. અજમલ કસાબને આજે સવારે 7:30 વાગે પુણેની જેલમાં ફાંસી આપવામાં આવી હતી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
