તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે રામચરિત માનસના આ મંત્રો
[પં. અનુજ કે શુક્લ] ગોસ્વામી તુલસીદાસના રામચરિત્ર માનસમાં મર્યાદા પુરૂષોત્તમ રામજીના ચરિત્ર-ચિત્રણ રામમય બનીને એકદમ સારી રીતે કર્યા છે. રામચરિત માનસ ફક્ત એક ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ સમાજનું દર્પણ છે. તુલસીદાસે સમાજનું ઉંડુ અધ્યન કરી સમાજની કુરીતિઓ, બુરાઇઓ, દોષ તથા પાખંડીપણા પર મજબૂત પ્રહાર કર્યા છે અને સાથે જ આગામી સમાજને એક નવી દિશા આપવાનો ભરપૂર પ્રયત્ન કર્યો છે.
હું અહીં પર રામચરિત માનસના કેટલાક મંત્રોનો ઉલ્લેખ કરી રહ્યો છું જેને જો વિધિપૂર્વક જાપ કરશો તો તમારી વિભિન્ન પ્રકારની ભૌતિક મનોકામનાઓ પૂર્ણ થશે.
રીત: કોઇપણ શુભ સમયમાં અથવા નવરાત્રિમાં તમે ઘરમાં જ કોઇ એકાંત સ્થળને સાફ કરીને લોટ વડે અષ્ટદળ બનાવો. તેના મધ્યમા6 એક સ્વસ્તિકનું ચિહ્ન બનાવી તેના પર બાજોઠ રાખી લાલ વસ્ત્ર પાથરો. પ્રભુ રામની તસ્વીને સ્થાન આપો. બાજુમાં રામરક્ષકવચ યંત્ર સ્થાપિત કરો. ફોટા તથા યંત્ર પર તિલક લગાવો. શુદ્ધ દેશી ધીનો દિવો સળગાવી રૂદ્રાક્ષની માળાથી સામર્થ્ય અનુસાર મંત્ર જાપ કરો.
અનિતમ અર્થાત નવ દિવસ તમે જે મંત્રનો જાપ કર્યો છે, તેનો દશાંશ હવન કરો. ત્યારબાદ બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણા આપો. જો તમે હવન, પૂજન વગેરે ન કરી શકો તો શાંત રૂમમાં બેસીને ભગવાન રામને યાદ કરો અને પોતાની સમસ્યા અનુસાર મંત્રને પસંદ કરો અને તેનો જાપ કરો. થોડા સમય જ તમને ચમત્કારિક લાભ મળશે.

નોકરી મેળવવા માટે
बिस्व भरन पोषन कर जोर्इ।
ताकर नाम भरत अस होर्इ।।

બિમારીમાં મુક્તિ માટે
दैहिक दैविक भौतिक तापा राम राज नहिं काहुहि व्यापा।।

ધન પ્રાપ્તિ માટે
जिमि सरिता सागर महुं जाही।
जधपि ताहि कामना नाहीं।।

કંઇક ખોવાઇ ગયું હોય તો
गर्इ बहोर गरीब नेवाजू।
सरल सबल साहिब रधुराजू।।

વિદ્યા પ્રાપ્તિ માટે
गुरूगृह गये पढ़न रधुरार्इ।
अल्पकाल विधा सब पार्इ।।

જ્ઞાન પ્રાપ્તિ માટે
छिति जल पावक गगन समीरा।
पंच रचित अति अधम सरीरा।।

લગ્ન ન થતાં હોય તો
तब जनक पाइ बसिष्ठ आयसु ब्याह साज संवारि कै।
मांडवी श्रुतिकीरित उरमिला कुंअरि लर्इ हंकारि कै।।

સંતાન પ્રાપ્તિ માટે
प्रेम मगन कौसल्या निसि दिन जात न जान।
सुत सनेह बस माता बालचरित कर ज्ञान।।

કેસમાં જીત માટે
पवन तनय बल पवन समाना।
बुधि विवके बिग्यान निधाना।।

પરીક્ષામાં સફળતા મેળવવા માટે
जेहि पर कृपा करहिं जनु जानी।
कबि उर अजरि नचावहि बानी।।

પ્રસિદ્ધિ મેળવવા માટે
साधक नाम जपहिं लय लाएं।
होहिं सिद्ध अनिमादिक पाएं।।

મનોકામના પૂર્ણ કરવા માટે
भव भेषज रधुनाथ जसु सुनिंह जे नर अरू नारि।
तिन्ह कर सकल मनोरथ सिद्ध करिह ति्रसरारि।।
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
