Garuda Puran: આ 10 કામ છે સૌથી ખતકરનાક, મૃત્યુ પછી ખુલી જશે સીધા નરકના દ્વાર
Garuda Puran: હિંદુ ધર્મની મહાન પૌરાણિક કથા ગરુડ પુરાણમાં વ્યક્તિના જીવનથી લઈને મૃત્યુ સુધીના ઘણા મહત્વપૂર્ણ પાસાંઓનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. ભગવાન વિષ્ણુને બ્રહ્માંડની ચાલક શક્તિ માનવામાં આવે છે.
વિષ્ણુ ગરુડ પુરાણનું મુખ્ય પાત્ર પણ છે. આમાં ભગવાન વિષ્ણુએ જીવન અને મૃત્યુ સાથે જોડાયેલા ઘણા ઊંડા રહસ્યો જણાવ્યા છે. આમાં જીવન, મૃત્યુ અને મૃત્યુ પછીના જીવન વિશે ઘણી વાતો કહેવામાં આવી છે.

જે લોકો ગરુડ પુરાણના ઉપદેશોનું પાલન કરે છે તેઓ સુખી જીવન જીવે છે. આવા લોકોને મૃત્યુ પછી મોક્ષ મળે છે. ગરુડ પુરાણ અનુસાર અમુક કામ કરવું ખોટું માનવામાં આવે છે. જે લોકો આ કામ કરે છે તે જીવનમાં ક્યારેય ખુશ નથી રહી શકતા. જેઓ આમાંથી કેટલાક કરે છે તેઓ મૃત્યુ પછી સીધા નરકમાં જાય છે. આવો જાણીએ ગરુડ પુરાણમાં આવી કઈ કઈ વસ્તુઓનો ઉલ્લેખ છે.
સૂર્યને નરી આંખે જોવો
ક્યારેય સૂર્યને નરી આંખે ન જોવો. ગરુડ પુરાણમાં કહેવાયું છે કે તેનાથી વ્યક્તિનું આયુષ્ય ઘટે છે અને જોવાની ક્ષમતા પર પણ તેની હાનિકારક અસર પડે છે.
ખોટુ કામ કરવુ
માનવીથી ભૂલો થવી સ્વાભાવિક છે. પરંતુ જાણીજોઈને ખોટો રસ્તો અપનાવવો કે ખોટું કરવું એ મહાપાપ ગણાય છે. એટલા માટે હંમેશા ધર્મના માર્ગે ચાલવું જોઈએ.
તૂટેલા પલંગ પર સૂવું
ગરુડ પુરાણ અનુસાર, તૂટેલા પલંગ પર સૂવાથી નકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે છે.
વડીલોનો અનાદર
જે ઘરના વડીલો કે માતા-પિતાનો અનાદર કરે છે તે પણ પાપ કરે છે. ગરુડ પુરાણ કહે છે કે આવા લોકોને નરકની યાતનાઓ ભોગવવી પડશે.
નાસ્તિક જીવન
જે લોકો ધર્મ અને ભગવાનમાં માનતા નથી અને જેઓ નાસ્તિક જીવન જીવે છે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. મતલબ કે જેઓ ઈશ્વરમાં માનતા નથી તેઓ માનવતામાં માનતા નથી.
ખાસ પ્રસંગોએ બ્રહ્મચર્યનું પાલન કરવુ
અમાસ, એકાદશી, કૃષ્ણ ચતુર્થી, શુક્લપક્ષ, અષ્ટમી તિથિ અને દરેક મહિનાના વિશેષ દિવસોમાં બ્રહ્મચર્યનું પાલન કરો. આ દિવસોમાં તમારા વર્તન પર નિયંત્રણ રાખો.
તૂટેલો અરીસો
ગરુડ પુરાણ અનુસાર ઘરમાં તૂટેલો અરીસો રાખવો અથવા તેમાં તમારો ચહેરો જોવો ખૂબ જ અશુભ માનવામાં આવે છે.
ઉધાર
ઉધાર લીધેલા પૈસા સિવાય કપડાં, ઘડિયાળ, ચંપલ વગેરે પણ કોઈની પાસેથી ઉધાર ન લેવા જોઈએ. આમ કરવાથી અન્યની નકારાત્મક ઉર્જા તમારી અંદર પ્રવેશ કરશે. છેતરપિંડી કરવી એ ગંભીર પાપ માનવામાં આવે છે. ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો આવા કાર્યો કરે છે તે નરકમાં જાય છે.
પ્રાણીઓને મારવા
હિંદુ ધર્મમાં પ્રાણીઓની હત્યા કરવી મહાપાપ માનવામાં આવે છે. જેઓ પોતાના સ્વાર્થ અને સંતોષ માટે જીવોને મારી નાખે છે તેઓ જીવનમાં ક્યારેય સુખી થઈ શકતા નથી. તેમને મૃત્યુ પછી નરકની સજા ભોગવવી પડશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
