ભગવાન ગણેશની કૃપા પામવા ચઢાવો તેમને ગમતા પુષ્પ!
ગણેશ ચતુર્થીમાં શ્રી ગણેશના મનપસંદ પુષ્પો ચડાવી તેમને કરો ખુશ!
ગણેશ ચતુર્થી ભારતમાં મનાવવામાં આવતો ખૂબ જ મોટો ઉત્સવ છે. ગણેશ ચતુર્થીને ભગવાન ગણેશના જન્મોત્સવના રૂપે ઉજવવામાં આવે છે. ગણેશ ચતુર્થીના તહેવારને માત્ર મહારાષ્ટ્રમાં જ નહી પરંતુ આખા દક્ષિણ ભારતમાં ધૂમ-ધામથી ઊજવવામાં આવે છે. લોકો સંકલ્પ કરીને ભગવાન ગણેશની મૂર્તિને પોતાના ઘરોમાં સ્થાપિત કરે છે અને તેની પૂજા કરે છે. પૂજા તો દરેકજણ કરે છે પરંતુ ભગવાન ગણેશને કયું ફૂલ સૌથી વધારે પસંદ છે તે અંગેની જાણકારી ખૂબ જ ઓછા લોકોને છે.
હિંદુ ધર્મમાં દરેક ભગવાનના પોતાના પસંદગીના ફૂલો હોય છે. કહેવાય છે કે જો આપ આપના ભગવાનની પૂજા કરતી વખતે તેમનું મનપસંદ ફૂલ તેમને ચઢાવો તો તેઓ પ્રસન્ન થાય છે અને આપની દરેક મનોકામના પૂરી કરે છે. ભગવાનને માત્ર ફૂલ ચઢાવી દેવાથી જ કામ નથી ચાલી જતું, પરંતુ તેમનું મન પસંદ ફૂલ ચઢાવવું પણ જરૂરી છે. માનવામાં આવે છે કે ભગવાન ગણેશને લાલ રંગનું જાસુદ નામક પુષ્પ અતિપ્રિય છે. આ જ રીતે અન્ય ઘણાં પુષ્પો અને પાન છે, જે ભગવાન ગણેશને અતિપ્રિય છે. આવો આ પુષ્પો અંગે મેળવીએ વધુ માહિતી...

જાસૂદ
સામાન્યરીતે ભગવાન ગણેશને કોઇપણ લાલ રંગનું પુષ્પ ચઢાવી શકો છો. પરંતુ તેમને લાલ રંગનું જાસૂદનું ફૂલ વધારે પસંદ છે.

ધરો
ભગવાન ગણેશની પૂજા ધરો વગર પૂરી થઇ શકે નહીં.

અર્ક
બીજું જે ભગવાન ગણેશનું અતિપ્રિય ફૂલ છે તે છે અર્ક.

દાડમના પાન
ભારતના કેટલાક રાજ્યોમાં ભગવાન ગણેશને દાડમના પાન અને ફૂલ પણ ચઢાવવામાં આવે છે.

તુલસી પાન
હિંદુ ધર્મમાં તુલસીને ખૂબ જ શુભ માનવામાં આવે છે. સામાન્યરીતે ભગવાન ગણેશની મોટા ભાગે પૂજામાં લોકો તુલસીને નથી ચઢાવતા પરંતુ ગણેશ ચતુર્થીના દિવસે તેનું ખૂબ જ મહત્વ હોય છે.

શંખ પુષપમ
આ ફૂલ દેખાવે સફેદ અથવા વાદળી રંગનું હોય છે, અને શંખના આકારનું હોય છે. જે ભગવાન ગણેશને ખૂબ જ પસંદ હોય છે.

કેતકી અથવા કેવડા
કેતકી એક નાનું સુવાસિત ઝાડ છે. વરસાદમાં તેમાં ફૂલો આવે છે, જેમાં તીવ્ર સુગંધ હોય છે. આ ફૂલ ભગવાન ગણેશને ચઢાવવામાં આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
