Emergency : કોની પાસે હોય છે દેશમાં ઈમરજન્સી લગાવવાની તાકાત? જાણો શું છે આર્ટીકલ 352?
ભારતમાં આઝાદી પછીના સૌથી ખતરનાક પગલામાંથી એક ઈમરજન્સીની આજે 50મીં વર્ષી છે. ઈન્દિરા ગાંધીની જોહુકમીથી શરૂ થયેલી ઈમરજન્સી 2 વર્ષ ચાલી હતી.
ભારતમાં 25 જૂન 1975ના રોજ કટોકટી જાહેર કરવામાં આવી હતી, જે 21 માર્ચ 1977 સુધી ચાલી હતી. આ બે વર્ષનો સમયગાળો દેશના ઈતિહાસમાં કાળો ડાઘ માનવામાં આવે છે.

ઈમરજન્સીની જાહેરાત બાદ દેશ જેલમાં ફેરવાઈ ગયો હતો. નાગરિક અધિકારોનું મોટા પાયે ઉલ્લંઘન થયું હતું. હવે અહીં સવાલ એ ઉઠે છે કે શું વડાપ્રધાન કોઈપણ પરિસ્થિતિમાં ઈમરજન્સી જાહેર કરી શકે?
વડાપ્રધાન ઈમરજન્સી લાગુ કરી શકે?
બંધારણના અનુચ્છેદ 352 હેઠળ રાષ્ટ્રપતિ માત્ર ત્યારે જ કટોકટીની સ્થિતિ જાહેર કરી શકે છે જો તેણે વડાપ્રધાન અને તેમની કેન્દ્રીય કેબિનેટ પાસેથી કટોકટીની સ્થિતિની લેખિત પુષ્ટિ કરી હોય. પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યા પછી માત્ર રાષ્ટ્રપતિને જ કટોકટી જાહેર કરવાનો અધિકાર છે.
25મી જૂને ઈમરજન્સી કોણે જાહેર કરી?
25 જૂન 1975ના રોજ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ દેશમાં રેડિયો પર જાહેરાત કરી હતી કે રાષ્ટ્રપતિએ ઈમરજન્સી જાહેર કરી છે. આમાં ચિંતા કરવા જેવું કંઈ નથી.
આ જાહેરાતના થોડા સમય પછી મુખ્ય અખબારોના કાર્યાલયોનો વીજળીનો પુરવઠો કાપી નાખવામાં આવ્યો હતો અને જયપ્રકાશ નારાયણ, રાજ નારાયણ, મોરારજી દેસાઈ, ચરણ સિંહ, જ્યોર્જ ફર્નાન્ડિસ સહિત ઘણા વિરોધ પક્ષના નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી.
આ સમય દરમિયાન ઈન્દિરા ગાંધીને ભારતીય બંધારણની કલમ 352માં સુધારો કરીને અસાધારણ સત્તાઓ મળી હતી.
કલમ 352 માં સુધારો
જણાવી દઈએ કે મેન્ટેનન્સ ઓફ ઈન્ટરનલ સિક્યોરિટી એક્ટ (MISA)માં એક વટહુકમ દ્વારા સુધારો કરવામાં આવ્યો હતો, જેથી કોઈ પણ વ્યક્તિની કોઈપણ સુનાવણી વિના અટકાયત કરવામાં આવે. આ સમય દરમિયાન ભારતીય બંધારણનો સૌથી વિવાદાસ્પદ 42મો સુધારો પસાર કરવામાં આવ્યો હતો. આ સુધારાથી ન્યાયતંત્રની સત્તામાં ઘટાડો થયો અને આ સુધારાથી બંધારણની મૂળભૂત રચના બદલાઈ ગઈ.
ભારતમાં અત્યાર સુધીમાં ત્રણ વખત રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી છે. ચીન સાથેના યુદ્ધ દરમિયાન 1962માં પ્રથમ રાષ્ટ્રીય કટોકટી લાદવામાં આવી હતી. જણાવી દઈએ કે બાહ્ય યુદ્ધ ઉપરાંત આંતરિક અશાંતિના કારણે વર્ષ 1975માં ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
