Children's Day 2021: ભારતમાં 14 નવેમ્બરે કેમ મનાવવામાં આવે છે બાળ દિવસ?
બાળકોના પ્રિય ચાચા નહેરુના 14 નવેમ્બરના રોજ જન્મદિવસને બાળ દિવસ તરીકે મનાવવામાં આવે છે. જાણો કારણ.
નવી દિલ્લીઃ ભારતમાં દર વર્ષે 14 નવેમ્બરના રોજ બાળ દિવસ મનાવવામાં આવે છે. બાળકોના અધિકારો અને તેમના શિક્ષણ વિશે જાગૃતિ વધારવા માટે આ દિવસ મનાવવામાં આવે છે. આ વર્ષના બાળ દિવસ પર જાણો 14 નવેમ્બરે જ ભારતમાં બાળ દિવસ કેમ મનાવવામાં આવે છે. 14 નવેમ્બર, 1889ના રોજ ભારતના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુનો જન્મ થયો હતો. જે બાળકોમાં ચાચા નહેરુના નામથી જાણીતા છે. જવાહરલાલ નહેરુ બાળકોને રાષ્ટ્રની અસલી તાકાત અને સમાજનો પાયો માનતા હતા.

1956થી મનાવાય છે બાળ દિવસ
ભારતમાં 1956થી બાળ દિવસ મનાવવામાં આવી રહ્યો છે પરંતુ પહેલા તે 20 નવેમ્બરના રોજ મનાવવામાં આવતો હતો. પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુના મૃત્યુ બાદ તેમની જયંતિને ભારતમાં બાળ દિવસની તારીખ તરીકે પસંદ કરવામાં આવી હતી અને ત્યારથી બાળકોના પ્રિય ચાચા નહેરુના 14 નવેમ્બરના રોજ જન્મદિવસને બાળ દિવસ તરીકે મનાવવામાં આવે છે.

બાળ દિવસનો ઈતિહાસ
ચાચા નહેરુના મૃત્યુ બાદ ભારતના પહેલા પ્રધાનમંત્રીની જયંતિને બાળ દિવસ તરીકે મનાવવા માટે ભારતીય સંસદમાં એક પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો. આવુ એટલા માટે કરવામાં આવ્યુ કારણકે તે બાળકો વચ્ચે ખૂબ લોકપ્રિય હતા. મંજૂરી મળ્યા બાદથી 14 નવેમ્બરનો બાળ દિવસ ભારતમાં મનાવવાનુ શરૂ થયુ.

બાળ દિવસનુ મહત્વ
બાળ દિવસ પર દેશના પહેલા પ્રધાનમંત્રી નહેરુજીને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા ઉપરાંત આ દિવસ બાળકોના અધિકારો, તેમની દેખરેખ અને શિક્ષણ પર વાત કરવા માટે મનાવવામાં આવે છે. ચાચા નહેરુએ કહ્યુ હતુ કે બાળકો કાલનુ ભારત બનાવશે. જે રીતે આપણે તેમનુ પાલનપોષણ કરીશુ, તે દેશનુ ભવિષ્ય નક્કી કરશે.

બાળ દિવસ સમારંભ
ભારતમાં બાળ દિવસ સ્કૂલો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં ખૂબ ધામધૂમથી મનાવવામાં આવે છે. બાળકોને તેમનો દિવસ ખાસ બનાવવા માટે તેમને રમકડાં, મિઠાઈ અને ઉપહાર ભેટ આપવામાં આવે છે. બાળ દિવસના પ્રસંગે ભારતની સ્કૂલોમાં ફેન્સી ડ્રેસ સ્પર્ધાઓ, ભાષણ અને નિબંધ સ્પર્ધા સહિત ઘણા પ્રેરક સમારંભોનુ આયોજન કરવામાં આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
