જાણો શા માટે નાગપંચમીએ કરવામાં આવે છે સર્પની પૂજા?
નાંગ પંચમીએ સાપની પૂજા શા માટે કરવામાં આવે છે? વાંચો અહીં...
આજે નાગપંચમી છે, શિવના ગળામાં શોભતા નાગની આજે પૂજા કરવામાં આવે છે. હિંદુ પંચાંગ અનુસાર શ્રાવણ માસની શુક્લ પંચમીને નાગપંચમીના તહેવાર તરીકે ઊજવવામાં આવે છે. સર્પની લોકો પૂજા કરે છે, હંમેશા લોકોના મગજમાં એ વાત આવે છે કે જે સાપોથી માણસોને આટલો ભય લાગે છે તેની તેઓ પૂજા કેમ કરે છે, આજના દિવસે તેને લોકો દૂધ કેમ પીવડાવે છે?
આવો આજે અમે તમને આ પ્રશ્નોના જવાબ આપી દઇએ...
- ભારત એક કૃષિપ્રધાન દેશ છે અને સાપ આપણા ખેતરોની રક્ષા કરે છે, તે પાકને નુકસાન પહોંચાડનાર ઉંદર, કીટકોને ખાઇ જાય છે. આથી તેને ક્ષેત્રપાલ કે રખેવાળ પણ કહેવામાં આવે છે અને આ કારણે લોકો તેમની પૂજા કરે છે.
- સાપને સુગંધ પ્રિય હોય છે અને એ કારણે આપણા પુરાણોમાં સર્પને ખૂબ જ ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે. આ કારણે પણ લોકો તેમને પૂજે છે.

ભગવાન શિવના આભૂષણ
લોકો સર્પને ત્રણ લોકના સ્વામી ભગવાન શિવના આભૂષણના રૂપમાં જુએ છે, એટલા માટે તેની પૂજા કરીએ છીએ.

સમુદ્ર મંથન
દેવ દાનવોની વચ્ચે જ્યારે સમુદ્ર મંથન થયુ ત્યારે શેષનાગ દ્વારા આ સંભવ થઇ શક્યું હતું અને આ મંથનથી જ અમૃત નિકળ્યું હતું એટલા માટે પણ સાપોની પૂજા કરવામાં આવે છે.

ભગવાન વિષ્ણુ
ભગવાન વિષ્ણુ પણ શેષનાગની શય્યા પર વિશ્રામ કરે છે એટલા માટે પણ તેમની પૂજા થાય છે.

કોઇને નુકસાન ના પહોંચાડે
વર્ષા ઋતુમાં તમામ જીવ જંતુઓ પોતાના દરમાંથી બહાર આવીને સુરક્ષિત સ્થાનની શોધ કરે છે. આવામાં આ ઝેરીલા જીવ-જંતુ આપણા ઘરમાં પ્રવેશ કરીને આપણને નુકસાન ના પહોંચાડે એટલા માટે તેમની પૂજા કરવામાં આવે છે.

કૃતજ્ઞ બુદ્ધિ
સમગ્ર સૃષ્ટિના હિત માટે વરસતા વરસાદના કારણે નિર્વાસિત થયેલ સાપ જ્યારે આપણા ઘરમાં અતિથિ બનીને આવે છે ત્યારે તેમને આશ્રય આપીને તેની પૂજા કરવી આપણું કર્તવ્ય છે. આ રીતે નાગપંચનીના ઉત્સવ શ્રાવણ મહીનામાં રાખવામાં આવ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
