AB અને B બ્લડ ગ્રુપવાળા લોકોને કોરોનાનુ જોખમ વધુઃ CSIR રિસર્ચ
AB અને B બ્લડ ગ્રુપવાળા લોકો અન્ય ગ્રુપવાળા લોકોની અપેક્ષાએ કોવિડ-19 પ્રત્યે અતિ સંવેદનશીલ છે. વાંચો વિગતવાર માહિતી.
નવી દિલ્લીઃ વૈજ્ઞાનિક અને ઐદ્યોગિક અનુસંધાન પરિષદે(CSIR)એક રિસર્ચ પેપર પ્રકાશિત કર્યુ છે જે એ દર્શાવે છે કે AB અને B બ્લડ ગ્રુપવાળા લોકો અન્ય ગ્રુપવાળા લોકોની અપેક્ષાએ કોવિડ-19 પ્રત્યે અતિ સંવેદનશીલ છે. વળી, રિસર્ચ પેપરમાં આગળ કહેવામાં આવ્યુ છે કે O બ્લડ ગ્રુપવાળા લોકો કોરોના વાયરસ પ્રત્યે સૌથી ઓછા સંવેદનશીલ છે. આ ગ્રુપના લોકોમાં કોરોનાના લક્ષણ દેખાતા નથી અથવા તેમને ખૂબ જ ઓછા લોકોને કોરોના વાયરસ થાય છે.

માંસનુ સેવન કરનારા લોકો વધુ સંવેદનશીલ
આ સિવાય સીએસઆઈઆર દ્વારા કરવામાં આવેલ દેશવ્યાપી સેરોપૉઝિટીવ સર્વેક્ષણ રિપોર્ટ કહે છે કે માંસનુ સેવન કરનાર લોકો શાકાહારી લોકોની સરખામણીમાં કોરોના પ્રત્યે વધુ સંવેદનશીલ છે. આ અંતરનુ મુખ્ય કારણ શાકાહારી ભોજનમાં હાજર ઉચ્ચ ફાઈબર સામગ્રી છે. ઉચ્ચ ફાઈબરયુક્ત ભોજન એન્ટી ઈન્ફ્લામેટરી હોય છે કે જે સંક્રમણ બાદની જટિલતાઓને રોકી શકે છે અને સંક્રમણને જાતે પ્રગટ થતા પણ રોકી શકે છે.

10 હજાર લોકો પર કરવામાં આવ્યુ અધ્યયન
સીએસઆઈઆરે દેશભરના 10 હજાર લોકો પર આ અધ્યયન કર્યુ છે અને આ અધ્યયનની આકારણી 140 ડૉક્ટરોના ગ્રુપે કરી છે. સર્વેમાં એ પણ સામે આવ્યુ કે AB અને B ગ્રુપવાળા લોકો કોરોનાના સંપર્કમાં વધુ આવ્યા જ્યારે O બ્લડ ગ્રુપના લોકો સૌથી ઓછા સંક્રમિત મળ્યા. આ વિષય પર વધુ માહિતી આપીને આગ્રાના પેથોલૉજિસ્ટ ડૉ. અશોક શર્માએ કહ્યુ કે બધુ વ્યક્તિના ઢાંચા પર નિર્ભર કરે છે. ઉદાહરણ તરીકે તેમણે કહ્યુ કે થેલેસેમીયાથી પીડિત લોકો મેલેકિયાથી કદાચ જ પ્રભાવિત થાય. એ રીતે જોવામાં આવ્યુ છે કે પરિવારના બધા લોકો કોરોનાથી સંક્રમિત થયા પરંતુ એક વ્યક્તિ ન થયો. આ બધુ આનુવંશિતક ઢાંચાના કારણે થાય છે. તેમણે કહ્યુ કે તેની પૂરી સંભાવના છે કે O બ્લડ ગ્રુપના લોકોની રોગ પ્રતિકારક શક્તિ AB અને B ગ્રુપના લોકોની સરખામણીમાં કોવિડ પ્રત્યે વધુ સારી હોય. જો કે આ સંશોધન પર હજુ વધુ અધ્યયન કરવાની જરૂર છે. આનો અર્થ એ બિલકુલ નથી કે O બ્લડ ગ્રુપવાળા લોકો કોવિડ પ્રોટોકૉલનુ પાલન કરવાનુ છોડી દે. એવુ બિલકુલ નથી કે O બ્લડ ગ્રુપવાળા લોકોને કોવિડ નથી થયો.

આ માત્ર એક સેમ્પલ સર્વે છે નહિ કે પીયર રિવ્યુ વૈજ્ઞાનિક શોધ પત્ર
આ રિસર્ચ પર પ્રતિક્રિયા આપીને સીએસઆઈઆરના વરિષ્ઠ ચિકિત્સક ડૉ.એસ કે કાલરા કહે છે કે આ માત્ર એક સેમ્પલ સર્વે છે નહિ કે પીયર રિવ્યુ વૈજ્ઞાનિક શોધ પત્ર. માટે કોઈ વૈજ્ઞાનિક સમજ વિના આ સર્વેના આધારે એકદમ ચોક્કસ અનુમાન ન લગાવી શકાય કે વિવિધ બ્લડ ગ્રુપના લોકોમાં આ અસમાનતાઓ કેમ છે. એ કહેવુ પણ ઉતાવળ ગણાશે કે O બ્લડ ગ્રુપના લોકોની રોગપ્રતિકારક શક્તિ અન્યની સરખામણીમાં સારી હોય છે. તેમણે આગળ કહ્યુ કે જો હજુ વધુ મોટાપાયે આ સર્વે કરવામાં આવે તો એક નવી તસવીર સામે આવી શકે છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
