દાળ-ચોખા ખાતા મગરની મૌત પર આખું ગામ રડ્યું, મંદિર બનશે
છત્તીસગઢના બેમેતર જિલ્લાના બાવામોહતર ગામના તળાવમાં મગરની મૌત થવાને કારણે આખું ગામ શોકમાં ડૂબી ગયું છે.
છત્તીસગઢના બેમેતર જિલ્લાના બાવામોહતર ગામના તળાવમાં મગરની મૌત થવાને કારણે આખું ગામ શોકમાં ડૂબી ગયું છે. આ મગરની મૌત પર આખા ગામે તેની શવયાત્રા કાઢી. ગામના લોકો અનુસાર મગરમચ્છ જેને તેઓ ગંગારામ કહીને બોલાવતા હતા, તે ગામના તળાવમાં છેલ્લા 100 વર્ષથી રહેતો હતો.
આ મગરે ગામના કોઈ પણ વ્યક્તિ પર હુમલો કર્યો ના હતો. તે મગર હોવા છતાં પણ પોતાના મૈત્રીપૂર્ણ વ્યવહારને કારણે લોકોનો પ્રિય બની ચુક્યો હતો. બાળકો પણ તળાવમાં મગરની નજીક તરી લેતા હતા. તો અહીં જાણો આખરે કોણ હતો ગંગારામ અને મગર હોવા છતાં પણ ગામના લોકો તેને પ્રેમ કેમ કરતા હતા?
આ પણ વાંચો: કેમ માતા પાર્વતી સામે શિવજીએ ધર્યું મગરનું સ્વરૂપ?

130 વર્ષનો મગર
મંગળવારે સવારે જયારે ગંગારામ અચાનક પાણી ઉપર આવી ગયો. જયારે માછીમારોએ નજીક જઈને જોયું તો ગંગારામ મરી ચુક્યો હતો. ગંગારામને તળાવની બહાર કાઢવામાં આવ્યો અને વનવિભાગને તેની સૂચના આપવામાં આવી. ત્યારપછી ગંગારામને શ્રન્ધાજલી આપવા માટે આખું ગામ ભેગું થઇ ગયું. લોકો દૂર દૂરથી તેના અંતિમ દર્શન કરવા માટે આવી રહ્યા છે. આ મગરની ઉમર લગભગ 130 વર્ષ હતી.

દાળ-ચોખા ખાતો હતો
હંમેશા એવું જોવા મળ્યું છે કે કોઈ તળાવમાં મગરમચ્છ હોવાની જાણકારી મળ્યા પછી લોકો ત્યાં જવાનું છોડી દે છે. પરંતુ ગંગારામ સાથે આવું થયું નહીં. તેને કોઈ પણ ગ્રામીણને નુકશાન નહીં પહોચાડ્યું. જયારે કોઈ તળાવમાં નહાતા મગર સાથે અથડાઈ જતું ત્યારે મગર જાતે જ તેનાથી દૂર ચાલ્યું જતું હતું. તળાવમાં હાજર માછલીઓ જ ગંગારામનો આહાર હતી. મગરમચ્છ ગંગારામને લોકો દાળ-ચોખા આપતા અને તે મગર ખુબ જ ટેસ્ટ સાથે તેને ખાતો પણ હતો.

પાલતુ મગર હતો
ગ્રામીણો અનુસાર આ ગામમાં મહંત ઈશ્વરીય શરણ દેવ યુપીથી આવ્યા હતા, જેમને સિદ્ધ પુરુષ માનવામાં આવતા હતા. તેઓ પોતાની સાથે પાલતુ મગરમચ્છ લઈને આવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે તેમની સાથે બીજા પણ કેટલાક મગર હતા પરંતુ અંતે ફક્ત ગંગારામ જ જીવતો રહ્યો હતો. તેઓ આ મગરને ગંગારામ કહીને બોલાવતા હતા. તેઓ જેવા ગંગારામ કહીને બોલાવતા ત્યારે આ મગર તળાવથી બહાર આવી જતો.

કોઈના પણ ઘટે ચૂલો નથી સળગ્યો
ગામના સરપંચ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ગામના લોકોને મગર સાથે લાગણી થઇ ગઈ હતી. આ મગરમચ્છે બે ત્રણ વાર નજીકના બીજા ગામમાં જવાની કોશિશ કરી હતી પરંતુ દરેક વખતે તેને પાછો લાવવામાં આવ્યો. ગંગારામ પ્રત્યે ગ્રામીણોની લાગણી આ વાતથી જાણી શકાય છે કે તેની મૌત પર ગામમાં કોઈ પણ ઘરે ચૂલો નથી સળગ્યો.

ગંગારામની શવયાત્રામાં 500 લોકો જોડાયા
ગામના લોકોનું ગંગારામ પ્રત્યે લાગણી જોઈને કલેક્ટરે વનવિભાગને તળાવ કિનારે જ પોસ્ટમોર્ટમ કરવાનું કહ્યું. ત્યારપછી ગ્રામીણોએ ઢોલ અને નગારા સાથે ગંગારામની શવયાત્રા કાઢી અને ભીની આંખે તેમને તળાવ પાસે જ ગંગારામની દફનવિધિ કરી. લગભગ 500 ગ્રામીણો મગરમચ્છની શવયાત્રામાં જોડાયા હતા. ગામના સરપંચ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ગ્રામીણો મગરમચ્છનું સ્મારક બનાવવાની તૈયારી કરી રહ્યા છે. તેમને કહ્યું કે ખુબ જ જલ્દી એક મંદિર બનાવવામાં આવશે જ્યાં લોકો તેની પૂજા કરી શકે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
