મોદીની ઐતિહાસિક નેપાળ યાત્રા, નેપાળ-ભારત વચ્ચે 10 સમાનતાઓ
ભારતના કોઇ વડાપ્રધાન 17 વર્ષ બાદ નેપાળના પ્રવાસ ગયા હતા. આ બે દિવસોની યાત્રામાં નરેન્દ્ર મોદીનો હેતુ હતો નેપાળની સાથે ભારતના સંબંધોને વધુ સારા બનાવવાનો ફક્ત એટલું જ નહી, નરેન્દ્ર મોદીએ સંસદમાં નેપાળને લગભગ 10 હજાર કરોડ રૂપિયાની રાહત દરે લોન આપવાની જાહેરાત કરી છે. શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે નરેન્દ્ર મોદીએ લગભગ એક કલાક સુધી પશુપતિનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી.
નરેન્દ્ર મોદીની આ નેપાળ યાત્રા રાજકિય વર્તુળમાં પણ ચર્ચાનો વિષય બની ગઇ છે. નરેન્દ્ર મોદીની આ યાત્રા ઐતિહાસિક છે. નરેન્દ્ર મોદીના નેપાળ એરપોર્ટ પર પહોંચતાં તેમને 19 તોપોની સલામી આપવામાં આવી. આ ભવ્ય સ્વાગતમાં નેપાળી પીએમ સુશીલ કોઇરાલા ઉપરાંત નેપાળના ઉપવડાપ્રધાન બામ દેવ ગૌતમ અને પ્રકશ માન સિંહ પણ હાજર હતા.
આ યાત્રામાં નરેન્દ્ર મોદીએ 'જીત બહાદુર'ની પણ તેના માતા-પિતા સાથે મુલાકાત કરાવી. તમને જણાવી દઇએ કે નેપાળ પ્રવાસ ભારતીયોની સંખ્યા પણ છે. અત્રે ઉલ્લેખ છે કે નેપાળની સંસ્કૃતિ પણ ભારત સાથે હળતી-મળતી છે.

વેશભૂષા
નેપાળની વેશભૂષા, ભાષા અને વ્યંજન એક જેવા છે.

ખોરાક
નેપાળનો સામાન્ય ખોરાક ચણાની દાળ, ભાત અને શાકભાજી અને અથાણું છે, તો ભારતમાં પણ લોકો દાત-ભાત અને અથાણાના શોખીન છે.

બ્રેકફાસ્ટ
જ્યાં ભારતમાં લોકો હેલ્થી બ્રેકફાસ્ટમાં ચેવડો અને ચાય ખૂબ પસંદ કરે છે, તો બીજી તરફ નેપાળમાં પણ ચેવડો અને ચાનું ચલણ છે.

નોનવેજ
માસ-મચ્છી અને ઇંડા પણ નેપાળી અને ભારતીય જનતા ખૂબ પસંદ કરે છે.

સમાન વિભિન્ન જાતિઓ
નેપાળ એક નાનું સ્વતંત્ર રાષ્ટ્ર છે, પરંતુ જાતિના આધારે નેપાળમાં પણ ભારતની માફક સમાન વિભિન્ન જાતિઓ છે.

આર્યુવેદ
ભારતની માફક નેપાળમાં પણ પ્રાકૃતિક સારવાર એટલે કે આર્યુવેદ મશહૂર છે.

તીર્થસ્થાન
ભારતના ઉત્તરમાં વસેલું નેપાળ એક ખૂબસુરત પહાડોનો દેશ છે. દેવતાઓનું ઘર કહેવામાં આવતું નેપાળ વિવિધતાઓથી પૂર્ણ છે. અહીં ઘણા તીર્થસ્થાન છે. તો બીજી તરફ ભારતમાં પણ તીર્થસ્થાનોની કોઇ કમી નથી. અહીં લોકો ચાર ધામની યાત્રા કરવા માટે દૂર-દૂરથી આવે છે.

મેળાવડો સ્વભાવ
જેમ ભારતમાં વિદેશ પોતાનાપણું અનુભવે છે, એ જ પ્રમાણે નેપાળમાં પણ વિદેશી સરળતાથી ત્યાંના લોકો સાથે હળીમળી જાય છે. એટલે કે બંને ફ્રેંડલી દેશ છે. રસપ્રદ વાત એ છે કે નરેન્દ્ર મોદીએ નેપાળની સંસદમાં નેપાળી ભાષામાં પોતાની સ્પીચ શરૂ કરી, જેને સાંભળી બધા ગદગદિત થઇ ગયા.

વેપાર
બંને દેશ આર્થિક રીતે આગળ વધી રહ્યાં છે. નરેન્દ્ર મોદીએ નેપાળમાં કહ્યું કે બંને દેશ એકબીજાનું અંધારું દૂર કરી શકે છે. નેપાળ જો ભારતને વિજળી આપે, તો તે પોતે પણ સમૃદ્ધ બનશે. 1996માં સંશોધિત વેપાર સંધિ બંને દેશો વચ્ચે આર્થિક સંબંધોનું કેન્દ્ર બિંદુ સાબિત થઇ છે. 1996 બાદથી ભારતમાં નેપાળના નિર્યાતમાં અગિયાર ગણો વધારો થયો છે અને દ્રિપક્ષીય વેપાર સાત ગણો વધ્યો છે. ભારતીય ફર્મા નેપાળમાં સૌથી મોટી રોકાણકાર છે. વડાપ્રધાનની આ યાત્રાથી નેપાળને ઘણી આશાઓ છે.

રમત
નેપાળની જનતાને પણ ક્રિકેટ ખૂબ પસંદ છે. આ વાત ભારતના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પણ સ્વિકારી, જ્યારે તે બે દિવસ માટે નેપાળ ગયા હતા. ધોનીએ કહ્યું કે ક્રિકેટ નેપાળમાં ઉભરતી રમત છે અને તે ભવિષ્યમાં નેપાળના યુવાઓને એક લોકપ્રિય ટીમના રૂપમાં પ્રદર્શન કરતાં જોવા માંગે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા










Click it and Unblock the Notifications
