તાજમહેલ વિશેની 10 ચોંકાવનારી વાતો જે આપે ક્યારેય નહીં સાંભળી હોય
આગરા, 21 મે: કહેવાય છે કે પ્રેમ એ એક પ્રાર્થના છે, અને તાજમહેલ એ પ્રેમની પ્રાર્થના માટેનું ઉત્તમ ઉદાહરણ છે. પ્રેમની શાનદાર કારીગરીને જોઇને લોકો આજે પણ પ્રેમ પર વિશ્વાસ કરે છે કારણ કે આ પ્રેમમાં સમર્પણ, ત્યાગ, ખુશી અને તે બધું જ છે જે પ્રેમને યોગ્ય વાતાવરણ પુરુ પાડે છે.
આવો આપને જણાવીએ શાહજહાં દ્વારા બનાવવામાં આવેલ આ બેમિસાલ, સુંદર અને વિશ્વની આઠમી અજાયબી તાજમહેલ અંગેની કેટલીંક અજાણી વાતો...

તાજમહેલ
એ તો સૌ જાણે છે કે શાહજહાએ પોતાની પત્ની મુમતાજની યાદમાં તાજમહેલ બનાવડાવ્યો હતો, પરંતુ મુમતાજ એ શાહજહાંની ત્રીજી પત્ની હતી.

તાજમહેલ
મુમતાજ, શાહજહાની 14મી સંતાનને જન્મ આપતી વખતે સ્વર્ગ સિધાવી ગઇ હતી, તેમના મર્યા બાદ શાહજહાંએ તેમની યાદમાં આ તાજમહેલ બનાવડાવ્યો હતો.

તાજમહેલ
કહેવાય છે કે બુરહાનપુરમાં મુમતાજનું મૃત્યું થયું હતું, તેમને ત્યાં જ દફનાવી દેવામાં આવ્યા હતા અને 6 મહીના બાદ તેમના શબને કબરમાંથી નિકાળીને શાહજહા પોતાની સાથે આગરા લઇ ગયા અને તાજમહેલમાં તેમને દફનાવ્યા હતા.

તાજમહેલ
કહેવામાં આવે છે કે જ્યા સુધી તાજમહેલ બનીને તૈયાર ન્હોતો થયો, ત્યાં સુધી મુમતાજના શબને લેપ લગાવીને મમીના રૂપમાં રાખવામાં આવ્યો હતો.

તાજમહેલ
તાજમહેલનું નિર્માણ 1632માં શરૂ થયું હતું અને તેને બનાવવામાં આખા 22 વર્ષ લાગ્યા હતા.

ખાસ પ્રકારના લાકડાનો ઉપયોગ
તાજમહેલના પાયામાં એક ખાસ પ્રકારના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે હવે યમુનાનું જળસ્તર ઓછું થવાના કારણે સૂકાતી જઇ રહી છે. જેના કારણે તાજમહેલના અસ્તિત્વ પર ખતરો મંડરાઇ રહ્યો છે.

આઠ દેશોમાંથી સામગ્રી
તાજમેહલના નિર્માણ માટે આઠ દેશોમાંથી નિર્માણ માટે સામગ્રી મંગાવવામાં આવી હતી.

વધતા પ્રદુષણથી ખતરો
વધતા પ્રદુષણના કારણે તાજમહેલની સફેદી પર અસર થઇ રહ્યું છે. એટલા માટે તેના કેટલાંક ભાગો પર મુલ્તાની માટીનો લેપ લગાવવામાં આવ્યો, પરંતુ રંગ પર અસર નથી થયો.

દુનિયાની પહેલી અજાયબી
તાજમહેલને દુનિયાની આઠમી અજાયબીમાં સામેલ કરવા માટે દુનિયાભરમાં વોટિંગ કરવામાં આવ્યું હતું, તાજમહેલને એટલા વોટ મળ્યા હતા કે જેના લીધે તે દુનિયાનું પહેલી અજાયબી બની ગયું.

વિશ્વ ધરોહર
તાજમહેલ ફારસી, તુર્ક, ભારતીય અને ઇસ્લામી વાસ્તુકલાના ઘટકોનો એવો અનોખો સંગમ છે. તેના જ પગલે યૂનેસ્કોએ વર્ષ 1983માં વિશ્વ ધરોહર જાહેર કર્યું હતું.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી












Click it and Unblock the Notifications
