Fact Check: 10 સેકન્ડ શ્વાસ રોકનારા કોરોનાથી થઈ જશે મુક્ત? જાણો સચ્ચાઈ
10 સેકન્ડ શ્વાસ રોકનારા કોરોનાથી થઈ જશે મુક્ત. આવો, જાણીએ કે પોતાના દ્વારા જ કરવામાં આવતા આવા કોરોના ટેસ્ટની સચ્ચાઈ શું છે.
નવી દિલ્લીઃ કોરોના મહામારીના આ વિકટ સમયમાં સોશિયલ મીડિયામાં બચાવ, ઈલાજ અને ટેસ્ટ સંબંધિત ઘણી માહિતીઓ ઝડપથી વાયરલ થઈ રહી છે. આ જ મેસેજમાંથી એક સંદેશ છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જો તમે 10 સેકન્ડ સુધી પોતાનો શ્વાસ રોકી શકતા હોય અને એ પણ કોઈ મુશ્કેલી વિના તો તેમને એ આશ્વાસન આપી શકાય છે કે તેમને કોરોના વાયરસ સંક્રમણ નથી. આવો, જાણીએ કે પોતાના દ્વારા જ કરવામાં આવતા આવા કોરોના ટેસ્ટની સચ્ચાઈ શું છે.

જાણો આ દાવાની સચ્ચાઈ
વિશેષજ્ઞો અનુસાર આ દાવો માત્ર એક મિથ છે જે લોકોને ભ્રમિત કરી શકે છે. વાસ્તવમાં, તમારા શ્વાસ રોકવાને કોરોના વાયરસ સાથે કોઈ લેવા-દેવા નથી અને આ વાયરસ માટે પોતાની તપાસ કરવાની કોઈ રીત નથી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને કર્યા સાવચેત
કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યુ, 'ખોટી કે અધૂરી માહિતીના કારણે દર્દીના ઈલાજમાં વિલંબ થવાથી મોટી ચૂક કરાવી શકે છે. કોઈ પણ કોવિડ-19 લક્ષણોના મામલે ડૉક્ટરની સલાહ લો અને તરત જ તપાસ કરાવો.'

આ મેસેજ થઈ રહ્યા છે વાયરલ
10 સેકન્ડ સુધી પોતાના શ્વાસ રોકીને કોરોના વાયરસ માટે જાતે ટેસ્ટ કરવાની રીત લોકોને ઈમેલ, મેસેજ અને સોશિયલ મીડિયાના માધ્યમથી શેર કરવામાં આવી રહી છે કે જો તમે 10 સેકન્ડ સુધી કોઈ મુશ્કેલી વિના પોતાના શ્વાસ રોકી શકો તો તમને કોરોના વાયરસનુ સંક્રમણ નથી.

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીએ આને ગણાવ્યો હતો ફેક કોરોના ટેસ્ટ
ગયા વર્ષે માર્ચમાં આ રીતની પોસ્ટને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના અભ્યાસમાં ખોટી ગણાવવામાં આવી હતી. પોસ્ટમાં એ પણ કહેવામાં આવ્યુ હતુ કે જ્યાં સુધી દર્દી હોસ્પિટલ પહોંચે ત્યાં સુધી કોરોના વાયરસ 50 ટકા ફાઈબ્રોસિસનુ કારણ બને છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીએ ટ્વિટ કર્યુ, કોવિડ-19 લક્ષણો વિશે ખોટી માહિતી અને સ્ટેનફોર્ડને આપેલ ખોટા વ્યવહાર અને ઈલાજ સોશિયલ મીડિયા અને ઈમેલ ફૉરવર્ડમાં પ્રસારિત થઈ રહ્યા છે.'

Fact Check
દાવો
કોઈ મુશ્કેલી વિના 10 સેકન્ડ સુધી શ્વાસ લેવાનો અર્થ છે કે તમે કોવિડ-19થી સંક્રમિત નથી.
નિષ્કર્ષ
આ પ્રામાણિક પેરામીટર નથી. કોઈ કોવિડ-19ના લક્ષણો મામલે ડૉક્ટરની સલાહ લો અને તપાસ કરાવો.
રેટિંગ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
