Fact Check: શું એસ્પિરિન ખાવાથી ઠીક થઈ રહ્યો છે કોવિડ-19? સરકારે જણાવી સચ્ચાઈ
કોવિડ-19 વાયરસ નહિ પરંતુ બેક્ટેરિયા છે અને તેનો ઈલાજ એસ્પિરિન જેવી દવાથી કરી શકાય છે. છેવટે શું છે આ વાયરસ પોસ્ટની સચ્ચાઈ. જાણો અહીં..
નવી દિલ્લીઃ કોરોના સામે દેશભરમાં યુદ્ધના ધોરણે રસીકરણનુ કામ ચાલી રહ્યુ છે. આ દરમિયાન સરકાર કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે લડવા માટે પણ પોતાના સ્તરે તૈયારીઓ કરી રહી છે પરંતુ કોરોના સંક્રમણના આ દોરમાં સોશિયલ મીડિયા પર લોકો ભ્રામક મેસેજ કરવાનુ ચૂકી નથી રહ્યા. હવે સોશિયલ મીડિયા પર એક મેસેજ ઝડપથી વાયરલ કરવામાં આવી રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કોવિડ-19 વાયરસ નહિ પરંતુ બેક્ટેરિયા છે અને તેનો ઈલાજ એસ્પિરિન જેવી દવાથી કરી શકાય છે. છેવટે શું છે આ વાયરસ પોસ્ટની સચ્ચાઈ. જાણો અહીં..

વાસ્તવમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે જેમાં દાવો કરીને જણાવવામાં આવ્યુ છે કે સિંગાપુરના એક એવા વ્યક્તિના શબનુ પરીક્ષણ કરવામાં આવ્યુ જેનુ મોત કોરોનાથી થયુ. આ દરમિયાન જોવા મળ્યુ કે કોરોના વાયરસ નથી એક બેક્ટેરિયા છે અને તેને એસ્પિરિન જેવી દવાથી ઠીક કરી શકાય છે. આ સાથે જ પોસ્ટમાં એ પણ દાવો કરવાાં આવ્યો છે કે સિંગાપુર કોવિડ-19ના શબનુ પરીક્ષણ(ઑટોપ્સી) કરનાર દુનિયામાં પહેલો દેશ બની ગયો છે. સાથે જ જણાવવામાં આવ્યુ કે કોરોના વાયરસ બિમારીને ઠીક કરવામાં એસ્પિરિનની ભૂમિકા પર એક અધ્યયન કરવામાં આવ્યુ છે.
વળી, હવે વાયરસની સચ્ચાઈ જણાવીને પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વિટર કરીને આને સંપૂર્ણપણે નકલી અને ભ્રામક ગણાવ્યુછે. સાથે જ પોતાના ટ્વિટમાં જણાવ્યુ કે કોવિડ-19થી ઠીક થવા માટે એસ્પિરિન નથી. પીઆઈબીએ લખ્યુ કે ફૉર્વર્ડ કરવામાં આવેલા વૉટ્સએપ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે કોવિડ-19 એક વાયરસ નથી પરંતુ એક બેક્ટેરિયા છે અને તેને એસ્પિરિન જેવા એંટીકોઆગુલંટ્સથી ઠીક કરી શકાય છે. જે સંપૂર્ણપણે ફેક છે. આ સાથે જ કહેવામાં આવ્યુ છે કે કોવિડ-19 એક વાયરસ છે બેક્ટેરિયા નહિ જેને એસ્પિરિન જેવી દવા ઠીકથી ઠીક નથી કરી શકાતો.
હવે સરકારે લોકોને આ રીતની ખોટા પોસ્ટ પર વિશ્વાસ ન કરવાની અપીલ કરી છે. તમને જણાવી દઈએ કે આવુ પહેલી વાર નથી જ્યારે કોરોના વાયરસને લઈને એક ભ્રામક મેસેજ સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવ્યો હોય. આ પહેલા ઘણા મેસેજ સામે આવી ચૂક્યા છે. વળી, વનઈન્ડિયા પણ પોતાના વાચકોને અપીલ કરે છે કે તમે આવા વાયરલ મેસેજ પર ભરોસો ન કરો. જો તમને આ રીતની કોઈ તથ્યાત્મક માહિતી જોઈએ તો તમે સરકારની હેલ્થ વેબસાઈટ પર વિઝિટ કરી શકો છો.

Fact Check
દાવો
કોવિડ-19 વાયરસ નથી પરંતુ એક બેક્ટેરિયા છે અને તેને એસ્પિરિનથી ઠીક કરી શકાય છે.
નિષ્કર્ષ
આ દાવો સંપૂર્ણપણે નકલી અને ભ્રામક છે.
રેટિંગ
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
