Fact Check: શું કોરોના વેક્સીન લેવાથી માનવ DNA બદલાઈ જશે? જાણો દાવાનું સત્ય
Fact Check: શું કોરોના વેક્સીન લેવાથી માનવ DNA બદલાઈ જશે? જાણો દાવાનું સત્ય
નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારીથી નિપટવા માટે દુનિયાભરના દેશોને કોવિડ 19 વેક્સીનનો આતુરતાથી ઈંતેજાર છે. કેટલાય દેશના વૈજ્ઞાનિકો આ દિશામાં સતત કામ કરી રહ્યા છે, કેટલીક વેક્સીને ટ્રાયલ દરમ્યાન કોરોના સામે અસરકારક રિઝલ્ટ આપ્યાં છે. એક તરફ જ્યાં બધા કોરોના વેક્સીનનો ઈંતેજાર કરી રહ્યા છે ત્યાં બીજી તરફ સોશિયલ મીડિયા પર વેક્સીનને લઈ અજીબોગરીબ દાવા કરવામાં આવી રહ્યા છે. કોરોના વેક્સીનને લઈ હાલ એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે જેમાં કોરોના વેક્સીન લેવાથી માનવ શરીરના ડીએનએ બદલાઈ શકે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.

કોરોના વાયરસથી લોકો પરેશાન થઈ ચૂક્યા છે, અને લોકો જલદીમાં જલદી આ મહામારીથી છૂટકારો મેળવવા માંગે છે, એવામાં લોકો વેક્સીન વિશે વધુમાં વધુ જાણકારી ઈન્ટરનેટ પર સર્ચ કરી રહ્યા છે. એવામાં કેટલાક સોશિયલ મીડિયા પર કોરોના વેક્સીનને લઈ લોકોમાં ખોટી ધારણા ફેલાઈ રહે છે. વાયરલ થયેલ વીડિયો સાથે એક પોસ્ટ પણ શેર કરવામાં આવી છે, જેમાં પ્રસૂતિ- સ્ત્રીરોગ નિષ્ણાંત ડૉ ક્રિસ્ટિયન નૉર્થરૂપના હવાલેથી દાવો કરવામાં આવ્યો કે આવનાર Covid-19 Vaccine માનવ ડીએનએને બદલી નાખશે.
સોશિયલ મીડિયા પર 37 મિનિટ લાંબા ઈન્ટર્વ્યૂનો માત્ર નાનો એવો ભાગ 4 મિનિટ લાંબો વીડિયો શેર કર્યો છે. જો કે વીડિયોમાં જોકે જોઈ શકાય છે કે ડૉ નૉર્થરૂપે પોતાના દાવાને સાબિત કરવા માટે એકેય પ્રમાણ રજૂ નથી કર્યાં. નિષ્ણાંતો મુજબ mRNA તમારા શરીરમાં એક મેસેંજર RNA અણુને રજૂ કરવાનું કામ કરે છે, જેનાથી કોશિકાઓ એક પ્રોટીનનું ઉત્પાદન કરે છે. આ SARS-CoV-2 સાથે મળી આવતું જ એક વાયરલ પ્રોટીન છે. વેક્સીન આ વાયરલ પ્રોટીનને ઓળખે છે અને તેની વિરુદ્ધ એક પ્રતિરક્ષા પ્રતિક્રિયાને અંજામ આપે છે. મુખ્યરૂપે તે નુકસાનકારક વાયરસ સામે એક એન્ટીબૉડી ઉત્પન્ન કરે છે.
નિષ્ણાંતો મુજબ દાવો ખોટો સાબિત થયો છે. કોરોના વાયરસ વેક્સીન માનવ ડીએનએને નહિ બદલે. પીઆઈબી ફેક્ટ ચેકે પોતાના વાયરલ વીડિયોને લઈ લોકોની ચિંતા દૂર કરી છે. PIBએ વીડિયો અને પોસ્ટનો સ્ક્રીનશૉટ શેર કરતા કહ્યું કે વાયરલ થઈ રહેલો આ દાવો સંપૂર્ણપણે ખોટો છે. વેક્સીન માનવ ડીએનએ નહિ બદલે, આવા એકેય દાવાને સત્ય માનવાની ભૂલ ના કરો.

Fact Check
દાવો
કોરોના વેક્સીનથી માનવ ડીએનએ બદલાઈ જશે
નિષ્કર્ષ
કોરોના વેક્સીનને ડીએનએ સાથે કોઈ સંબંધ નથી
રેટિંગ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
