SC-ST ક્રીમી લેયરને લઈને સુપ્રીમ કોર્ટ જવાની તૈયારીમાં ચિરાગ પાસવાન?
સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક આદેશ આપતા એસસી-એસટી અનામતમાં ક્રીમી લેયર દાખલ કરવા આદેશ કર્યો છે. હવે આ મુદ્દે રાજનીતિ પણ ગરમાઈ છે.
કેન્દ્રીયમંત્રી અને લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના વડા ચિરાગ પાસવાને જણાવ્યું છે કે તેમની પાર્ટી અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) માં ક્રીમી લેયર અંગેની સુપ્રીમ કોર્ટની ટિપ્પણીનો વિરોધ કરે છે અને તેઓ આ માટે સમીક્ષા અરજી દાખલ કરવાનું આયોજન કરી રહી છે.

ચિરાગ પાસવાને સુપ્રીમ કોર્ટના નિર્ણયનો વિરોધ કર્યો છે અને કહ્યું છે કે, SC-ST અનામતમાં ક્રીમી લેયરની જરૂર નથી. લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) સુપ્રીમ કોર્ટમાં આની વિરુદ્ધ રિવ્યુ પિટિશન દાખલ કરશે.
ચિરાગ પાસવાને જણાવ્યું કે, આરક્ષણનો પાયો જીવનના વિવિધ પાસાઓમાં દલિત લોકો દ્વારા સામનો કરવામાં આવતી અસ્પૃશ્યતા પર આધારિત છે. તેમણે દલીલ કરી હતી કે તેમના આરક્ષણ પર ક્રીમી લેયર લગાવવું ખોટું હશે.
ચિરાગ પાસવાને કહ્યું કે, અમે ટૂંક સમયમાં સુપ્રીમ કોર્ટને 15 ટકા SC ક્વોટામાં ક્રીમી લેયરને મંજૂરી આપતા નિર્ણયની સમીક્ષા કરવા વિનંતી કરીશું. SC-ST ક્વોટામાં ક્રીમી લેયરને મંજૂરી આપી શકાય નહીં. આમ કરવાથી સામાજિક રીતે હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગનો ઉત્કર્ષ થશે નહીં અને અસ્પૃશ્યતાના પ્રથાનો ભોગ બનતા રહેશે.
ચિરાગ પાસવાને કહ્યું કે, અમે સુપ્રીમ કોર્ટની ટિપ્પણીઓ સાથે અસંમત છીએ અને આ અસંમતિને સ્પષ્ટપણે નોંધી છે. અમે સ્પષ્ટ છીએ કે અનુસૂચિત જાતિનો આધાર અસ્પૃશ્યતા છે, શૈક્ષણિક કે આર્થિક આધાર નથી. આવી સ્થિતિમાં તેમાં ક્રીમી લેયરની કોઈ જોગવાઈ ન હોઈ શકે. અનામતની અંદર અનામત યોગ્ય નથી, કારણ કે આજે પણ એક દલિત યુવકને ઘોડા પર સવારી કરતા રોકવામાં આવે છે.
તેમણે કહ્યું કે, ઘણા અગ્રણી વ્યક્તિઓ ઉચ્ચ હોદ્દા પર છે, પરંતુ જ્યારે તેઓ મંદિરમાં જાય છે ત્યાર બાદ મંદિરને ગંગાના પાણીથી ધોવામાં આવે છે. અસ્પૃશ્યતાના આધારે ભેદભાવ હજુ પણ થાય છે. અમે એલજેપી (રામ વિલાસ) આ મામલે અમે સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન પણ દાખલ કરવાના છીએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
