Share Market: માર્જિન વિના હવે તમે શેર નહિ ખરીદી શકો, SEBIએ નિયમ બદલી કાઢ્યા
શેર બજારની નિયામક સંસ્થા સેબીએ 1 સપ્ટેમ્બર 2020થી શેર ખરીદ વેચાણના નિયમોમાં બદલાવ કર્યા છે.
નવી દિલ્હીઃ શેર બજારની નિયામક સંસ્થા સેબીએ 1 સપ્ટેમ્બર 2020થી શેર ખરીદ વેચાણના નિયમોમાં બદલાવ કર્યા છે. આ નિયમોથી જ્યાં રોકાણકારોની સુરક્ષા વધશે ત્યાં જ બીજી તરફ હવે શેર ખરીદવા અને વેચવા સહેલા નહિ રહે. પાછલા વર્ષે કાર્વીએ રોકાણકારોના હજારો કરોડ રૂપિયાના શેર સાથે દાવ કરી દીધો હતો. તે સમયે સેબીએ આકરા પગલાં ઉઠાવવાની વાત હતી હતી. હવે સેબીએ આ નિયમો લાગૂ કરી દીધા છે. એવામાં જો તમે પણ આજથી શેર ખરીદવા માંગો છો અથવા શેર વેચવા માંગો છો તો આ નિયમો જાણી લેવા ખુબ જ જરૂરી છે.

બ્રોકર્સની આ મનમાની પર રોક લાગશે
અત્યાર સુધી બ્રોકર પોતાના રોકાણકારોના પાવર ઑફ એટર્ની લેતા હતા. જેના આધાર પર રોકાણકારોના શેર સાથે મનમાની કરતા હતા. મોટાભાગના મામલામાં રોકાણકારોની સહમતી વિના જ બ્રોકર તેનો ઉપયોગ કરી લેતો હતો. અત્યાર સુધી પ્લેજ સિસ્ટમમાં રોકાણકારની ભૂમિકા ઓછી અને બ્રોકરની ભૂમિકા વધુ હતી. નવી સિસ્ટમમાં શેર તમારા ડીમેટ અકાઉન્ટમાં જ રહેશે, અને ત્યાં જ જરૂરત પર ક્લિયરિંગ હાઉસ પ્લેજ માર્ક કરી દેશે. આવી રીતે બ્રોકરના અકાઉન્ટમાં તમારા શેર નહિ જાય.

માર્જિન વિના શેરના ખરીદ વેચાણ પર રોક
અત્યાર સુધી માર્જિન ના હોય તો પણ બ્રોકર દ્વારા તમને શેર ખરીદવાની અને વેચવાની છૂટ આપી દેતા હતા. જેનાથી નાણાકીય બજાર સંકટમાં પડતું હતું. પરંતુ હવે સેબીના નવા નિયમ અંતર્ગત કેશ સેગમેન્ટમાં પણ અપફ્રન્ટ માર્જિન લાગશે. હવે કેશ સેગમેન્ટમાં ઓછામા ઓછા 22 ટકા માર્જિન પહેલા થી હશે તો જ તમે ડીલ કરી શકશો. પહેલા તમને શેર વેચ્યા બાદ 2 દિવસે પૈસા મતા હતા, પરંતુ બ્રોકર તમને વેચેલા શેરના બદલામાં ખરીદીની મંજૂરી આપી દેતો હતો. હવે આવું નહિ થઈ શકે. હવે જ્યારે તમને ટી પ્લસ 2 બાદ પેમેન્ટ મળશે ત્યારે જ તમે એ પૈસાનો ઉપયોગ કરી શકશો.

જાણો, ડીમેટના શેર વેચવા પર પણ માર્જિન જોઈએ
અત્યાર સુધી જો તમારા ડીમેટમાં શેર છે તો તમે તેને જ્યારે ઈચ્છો ત્યારે વેચી શકતા હતા. પરંતુ આજથી એટલે કે 1 સપ્ટેમ્બર 2020થી આવું નહિ થઈ શકે. હવે જો તમે તમારા શેર વેચવા માંગો છો તો તમારી પાસે ઓછામા ઓછું એક ટકા માર્જિન હોવું જોઈએ. જો કે બ્રોકર્સનું માનવું છે કે આ નિયમથી સમસ્યા વધશે અને શેર બ્રોકર અને રોકાણકારો વચ્ચે કારણ વિનાની ટકરાર થશે. બ્રોકર્સે સેબી પાસે માંગ કરી કે તે ડિલિવરી વેચવા પર માર્જિન હટાવવું જોઈએ. બ્રોકર્સની માંગ છે કે ડિલિવરી વાળા શેર પર કોઈ માર્જિન ના હોવું જોઈએ. જ્યારે આ બ્રોકર્સની માંગ છે કે 5 લાખ રૂપિયા સુધીના શેરની ડિલ પર કોઈ માર્જિન લાગવુ ના જોઈએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
