'જ્ઞાન સંગમ' બેંકિંગ ક્ષેત્ર માટે નક્કર પગલાં ઘડી શકશે ખરો?
પુના, 2 જાન્યુઆરી : પુનામાં બે દિવસનો જ્ઞાન સંગમ શરૂ થઇ ચૂક્યો છે. દિગ્ગ્જ બેંકર, નાણા મંત્રાલય અને આરબીઆઇની અગ્રણી અધિકારીઓ વચ્ચે વાતચીત શરૂ થિ ગઇ છે. નાણાપ્રધાન અરુણ જેટલી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ બેઠકમાં સામેલ થવાના છે. જ્ઞાન સંગમનો મુખ્ય હેતુ બેંકિંગ સેક્ટરમાં રિફોર્મ લાવવાની સાથે તેમને આવનારા પડકારો માટે તૈયાર કરવાનો પણ છે.
આ જ્ઞાન સંગમમાં પીએસયુ બેંકો પર ખાસ ફોકસ કરવામાં આવશે. મહત્વનો પ્રશ્ન એ છે કે શું આ જ્ઞાન સંગમ યોજવાને કારણે બેંકિંગ સેક્ટરમાં સુધાર લાવવા માટેના નક્કર પગલાંઓ લેવા અંગે એકમત સાધી શકાશે ખરો? વર્તમાન સમયમાં બેંકોની મુખ્ય ચિંતા તેમના ડૂબેલા પૈસાની રિકવરી અને ઇન્ડસ્ટ્રીને લોનની જરૂરિયાત અંગે શું નક્કર ફળશ્રુતિ નીકળીને આવે છે તે જોવાનું રહેશે.આ સાથે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર અને ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનમાં બેંકોની ભૂમિકા કેટલી રહેશે? અહીં આ જ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે.

જ્ઞાન સંગમનો હેતુ બેંકોનું કોન્સોલિડેશન અને રિસ્ટ્રક્ચરિંગ કરવાની પદ્ધતિઓ શોધવાનું છે. આ સાથે ડૂબતા દેવા અને દેવા પરના જોખમને ઘટાડવાની યોજના બનાવવાનું છે. બેંકો માટે માનવ સંસાધન સાથે સંકળાયેલી સમસ્યાઓ છે, જેમાં કર્મચારીઓની ટ્રેઇનિંગ સંબંધિત બાબતો અંગે કાર્યયોજના બનાવવી, બેંકિંગમાં ગ્લોબલ ટેકનોલોજીને સામેલ કરવી, ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજનાને આગળ ધપાવવી, પ્રાથમિકતાવાળા સેક્ટરને દેવું આપવું અને વ્યાજમાં છૂટ આપવા અંગે વિચાર કરવો, જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતાને સક્રિયા રાખવા વગેરે બાબતોનો સમાવેશ થાય છે.
આજે બેંકિંગ સેક્ટર સામે અનેક પડકારો છે. જેમાં બેંકોના ડૂબેલા નાણાની રિકવરી, નવું મૂડી રોકાણ અને બેંકોનું મર્જર શામેલ છે. બેંકો સામે એક મોટો પડકાર વૃદ્ધિની ઝડપ વધારવાનો છે. ઘણા દિવસથી પીએસયુ બેંકોમાં સરકારની ભાગીદારી ઘટાડવા અને બેંકો અને આર્થિક સંસ્થાઓને સ્વાયત્તતા આપવાની વાત કરવામાં આવી રહી છે. આ મુદ્દે પણ મહત્વનો અને અસરદાર નિર્ણય લેવો મહત્વની બાબત છે.
બેંકોનું એનપીએ પણ મોટી ચિંતાનો વિષય છે. નાણાકીય વર્ષ 2013-14માં કુલ એનપીએ 2.40 લાખ કરોડ રૂપિયા રહ્યો. જેમાં સરકારી બેંકોનો એનપીએ 2.16 લાખ કરોડ રૂપિયા હતો, જ્યારે ખાનગી બેંકોનો એનપીએ 22,738 કરોડ રૂપિયા હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
