ગુજરાતના વેપારીઓ ઇ કોમર્સથી શા માટે ત્રાસ્યા છે?
અમદાવાદ, 13 નવેમ્બર : ગુજરાતના વેપારીઓ માટે ઇ કોમર્સ માથાનો દુ:ખાવો બની રહ્યું છે. ગુજરાતના વેપારીઓની ફરિયાદ છે કે ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓ તેમની સાથે પક્ષપાત કરી રહી છે. તેઓ ઓનલાઇન એટલે કે ઇ કોમર્સ કંપનીઓને લાભ આપી રહી છે, જેના કારણે ગુજરાતમાં રિટેલ વેપારીઓનું વેચાણ ઘટ્યું છે.
ગુજરાતના વેપારીઓ અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો બનાવતી કંપનીઓને ધમકી આપે છે કે જો આઇટી ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓનો ઇ-કોમર્સ કંપનીઓ તરફ પક્ષપાત બંધ નહીં કરે તો ઉત્પાદક કંપનીઓનો બહિષ્કાર કરવામાં આવશે.
ખરીદી વધી હોવા છતાં ઇ-કોમર્સ સાઇટ્સ પરના જંગી ડિસ્કાઉન્ટ્સના કારણે છૂટક વેપારીઓનો બિઝનેસ છેલ્લાં લગભગ દોઢ વર્ષમાં લગભગ 50 ટકા ઘટ્યો છે. આ ગેરવાજબી ડિસ્કાઉન્ટ્સથી લાંબા ગાળે પારંપરિક રિટેલર્સનો છેદ ઊડતાં ઇ-કોમર્સની મોનોપોલી સર્જાશે અને પછી કંપનીઓ મનસ્વી ધોરણે ભાવ નક્કી કરશે તેવો આક્ષેપ વેપારીઓએ કર્યો છે.

આ સાથે તેમણે સરકારને કેવી રીતે નુકસાન થઇ રહ્યું છે તે પણ જણાવ્યું હતું. ઇ-કોમર્સના સોદા પર વેટ ન હોવાથી સરકારી તિજોરીને પણ ફટકો પડ્યો હોવાનું તેમણે જણાવ્યું છે.
ગુજરાતમાં આઇટી ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓના વેપારીઓની છત્ર સંસ્થા ફેડરેશન ઓફ આઇટી એસોસિયેશન્સ ઓફ ગુજરાત (ફિટાગ)ના પ્રમુખ ગૌરવ વ્યાસે જણાવ્યું હતું કે, "છૂટક બજાર કરતાં 35 ટકા ડિસ્કાઉન્ટ પર કંપનીઓ ઇ-કોમર્સ પર માલ વેચતી હોવાથી વેપારીઓનો ધંધો દોઢ વર્ષમાં રૂપિયા 60-80 કરોડથી ઘટીને રૂપિયા 30-35 કરોડ થયો છે.
આઇટી ઇલેક્ટ્રોનિક્સ પ્રોડ્ક્ટસના વેચાણમાં ઇ-કોમર્સનો હિસ્સો 1 ટકાથી વધીને દોઢ જ વર્ષમાં 19 ટકા થયો છે. અત્યાર સુધી કંપનીઓની વૃદ્ધિમાં અમે ભાગીદાર રહ્યા હતા. હવે તે અમને પડતા મૂકી રહી છે."
વેપારીઓને થયેલા નુકસાન ઉપરાંત સરકારી તિજોરીને પણ માર પડી રહ્યો છે કારણ કે પારંપરિક ખરીદીથી વિપરીત ઇ-કોમર્સમાં વેટ લાગતો નથી. આ તમામ બાબતો અંગે સરકારમાં વિવિધ સ્તર પર તેમજ ભારતમાં વેપારમાં વાજબીપણું રહે તેનું ધ્યાન રાખતી કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (સીસીઆઇ)માં રજૂઆત કરવામાં આવશે.
આઇટી ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓને પણ રજૂઆત કરવામાં આવી છે અને 17 નવેમ્બર સુધીમાં તેઓ પોતાનું વલણ જાહેર નહીં કરે તો દુકાનોમાં તેમની પ્રોડક્ટ્સનો બહિષ્કારની ધમકી પણ આપવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
