રેપો રેટમાં ઘટાડા છતાં બેંકો વ્યાજ કેમ નહીં ઘટાડે?

આજે એક પ્રેસ કોન્ફરન્સમાં બેંકોએ જણાવ્યું કે આરબીઆઇએ ઘટાડેલો રેપો રેટ ગ્રાહકો સુધી લાભ પહોંચાડવા માટે પૂરતો નથી. માર્કેટમાં લિક્વિડિટીની સ્થિતિ સરળ નહીં હોવાથી ઉંચા દરે નાણા મેળવવા પડે છે. આ કારણે વ્યાજ દરમાં ઘટાડાની કોઇ શક્યતા નથી.
એસબીઆઇના ચેરમેન પ્રતીપ ચૌધરીએ જણાવ્યું કે "વ્યાજદર ઘટાડવાની કોઇ શક્યતાઓ નથી. અમારી ઉપ વ્યાજ દરો ઘટાડવા માટે કોઇ ફરજિયાત દબાણ નથી. વાસ્તવમાં આનો લાભ મળે એવું કશું જ નથી." તેમણે અગાઉ એવા સંકેત આપ્યા હતા કે આરબીઆઇ કેશ રિઝર્વ રેશિયોમાં ઘટાડો ના કરે તો બેંકો ગ્રાહકોને નીચા દરે લોન ઉપલબ્ધ કરાવી શકે એમ નથી.
આરબીઆઇએ જાહેર કરેલી નવી નીતિ બાદની પ્રેસ કોન્ફરન્સમાં બેંકોએ જણાવ્યું હતું કે તેમની એસેટ લાયેબિલિટી કમિટીસ (એએલસીઓ) મળશે, નવી નીતિની સમીક્ષા કરશે અને ત્યાર બાદ નક્કી કરશે કે દરો ઘટાડવા કે નહીં.
એસબીઆઇએ જણાવ્યું છે કે દરોમાં ઘટાડાની કોઇ શક્યતા નથી. આઇસીઆઇસીઆઇ બેંકે જણાવ્યું છે કે વ્યાજ દરમાં ઘટાડો એ ફંડ કયા દરે મળે છે તેના પર આધાર રાખે છે. એક્સિસ બેંક અને પંજાબ નેશનલ બેંક દ્વારા પણ આવા જ પ્રતિસાદ આપવામાં આવ્યા હતા. તમામ બેંકોએ નજીકના ભવિષ્યમાં વ્યાજદર ઘટાડવાની શક્યતાઓ નકારી કાઢી હતી.
આરબીઆઇ ગવર્નર ડી સુબ્બારાવે જણાવ્યું હતું કે "આપણે અર્થતંત્રમાં જરૂરી બચત કરવી પડે એમ છે. આ કારણે બેંકોની તેમના ગ્રાહકોને લાભ નહીં આપવાની ચિંતા પ્રસંશનીય છે." જ્યારે વડાપ્રધાનની આર્થિક સલાહકાર સમિતિના ચેરમેન સી રંગરાજને જણાવ્યું હતું કે "ફુગાવો કેવો રહે છે તેના આધારે વ્યાજ દરમાં ઘટાડાની શક્યતા રહેલી છે."
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
