શું છે પ્રધાનમંત્રી જન ધન યોજના?
આજથી રજૂ થયેલી પ્રધાનમંત્રી જન ધન યોજના એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વકાંક્ષી યોજના છે. જે તમામને બેંક એકાઉન્ટ. વીમા અને ડેબિટકાર્ડની સુવિઘા પ્રદાન કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજનાની જાહેરાત 15 ઓગસ્ટ, 2014ના રોજ કરી હતી. આ યોજનાની જાહેરાત બાદ મોટા ભાગની સરકારી બેંક સરકારના લક્ષ્યાંકને પૂરો કરવા માટે રાત દિવસ મહેનત કરી રહી છે. આ લક્ષ્યાંક મુજબ યોજનાના પ્રથમ દિવસે જ બેંકોએ અંદાજે 1 કરોડ બેંક એકાઉન્ટ ખોલવા. આ યોજનાને જે તે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા અમલમાં મૂકવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વયં આ યોજનાની સફળતામાં રસ લઇ રહ્યા છે. આ માટે તેમણે બેંકના 7.25 લાખ કર્મચારીઓને આ યોજનાની માહિતી આપતા ઇમેઇલ મોકલ્યા છે. આ યોજનાના લોન્ચિંગ માટે રાષ્ટ્રીય કૃત બેંકોએ ગ્રામીણ અને શહેરી વિસ્તાર થઇને 60,000 કેમ્પ લગાવ્યા છે. આ યોજનાનું લક્ષ્યાંક ઓગસ્ટ 2018 સુધીમાં એટલે કે આગામી ચાર વર્ષમાં 7.5 કરોડ લોકોને બે એકાઉન્ટની સુવિધા આપવાનો છે.
આ પ્લાન અંતર્ગત વ્યક્તિઓને રૂપે ડેબિટ કાર્ડ આપવામાં આવશે. ઉપરાંત રૂપિયા 1 લાખના કવરવાળો એક્સિડેન્ટલ વીમો પણ આપવામાં આવશે. આ કવર રૂપિયા 2 લાખ સુધી વિસ્તારી શકાશે. આ સિવાય બેંકો દ્વારા દરેક ખાતાધારકને રૂપિયા 2,000 સુધીનો ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે.

યોજનાની વિગતો
આ યોજનાનો હેતુ દેશના અંદાજે 7.5 કરોડ લોકોના બેંક ખાતા ખોલાવીને તેમને બેંકિંગ સુવિધાના દાયરામાં લાવવાનો છે. આ યોજના અંતર્ગત આર્થિક શિક્ષણનો ઉદ્દેશ્ય સિદ્ધ કરવામાં આવશે. આ યોજનાને સફળ બનાવવા માટે પ્રાદેશિક ભાષામાં તેનું સાહિત્ય તૈયાર કરવામાં આવશે.

યુપીએની જ યોજના
કેટલાક વિશ્લેષકોનું કહેવું છે કે આ યોજના મોદીની ડ્રીમ સ્કીમ નથી. આ કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકારની જ યોજના છે. ફેર માત્ર એટલો છે કે હાલ તેનો જોરદાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

હાઇલાઇટ્સ 1
યોજાના 28 ઓગસ્ટ 2014ના રોજ રજૂ કરવામાં આવી.
દેશના દરેક કુટુંબને બેંકિંગ સેવાનો લાભ મળશે. આ યુવિધા ફિક્સ બેંક બ્રાન્ચ કે બિઝનેસ કોરસ્પોન્ડન્સ મારફતે મળશે.

હાઇલાઇટ્સ 2
- આ યોજનામાં દરેક વ્યક્તિનું બેંકમાં એક ખાતું હોય. તેમાં રૂપે ડેબિટ કાર્ડ હોય. રૂપિયા એક લાખનો વીમો હોય અને આધારકાર્ડ માટે સજ્જ બેંક ખાતુ જરૂરી છે.
- આ યોજનાનો હેતુ ગામડાંઓમાં આર્થિક શિક્ષણ પહોંચતુ કરવાનો છે.

હાઇલાઇટ્સ 3
આ બેંક ખાતાનો ઉપયોગ લાભાર્થીના ખાતામાં સરકારી લાભ સીધા જ પહોચતા કરવાનો છે. આ યોજના હેઠળ કિસાન ક્રેડિટ કાર્ડને રૂપે કિસાન કાર્ડ તરીકે રજૂ કરવાનો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
