બદલાઇ ગયું છે ભારતીય રેલવેનું ટાઇમ ટેબલ, 1 ઓક્ટોબરથી લાગુ થશે
ટ્રેનમાં મુસાફરી કરતા લાખો લોકો માટે મહત્વના સમાચાર છે. ભારતીય રેલવે 1 લી ઓક્ટોબરથી પોતાનું નવું ટાઈમ ટેબલ જાહેર કરવા જઈ રહ્યું છે. રેલવેએ આ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
Indian Railway : ટ્રેનમાં મુસાફરી કરતા લાખો લોકો માટે મહત્વના સમાચાર છે. ભારતીય રેલવે 1 લી ઓક્ટોબરથી પોતાનું નવું ટાઈમ ટેબલ જાહેર કરવા જઈ રહ્યું છે. રેલવે વિભાગ દ્વારા આ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નવા ટાઈમ ટેબલની રજૂઆત સાથે, ઘણી ટ્રેનના આગમન અને પ્રસ્થાનમાં ફેરફાર થશે. સ્ટેશન પર ટ્રેનના આગમનના સમયમાં ફેરફાર થશે. ઉત્તર રેલવે વિભાગ દ્વારા પણ 24 ટ્રેનની કેટેગરીની જાહેરાત કરવામાં આવી છે.

રેલવેનું નવું ટાઇમ ટેબલ
દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારતીય રેલવે પોતાનું નવું ટાઇમ ટેબલ જાહેર કરવાની તૈયારી કરી રહ્યું છે. જો કે, કોરોનાને કારણે આ ટાઇમ ટેબલ ગયા વર્ષે બહાર પાડવામાં આવ્યું ન હતું, પરંતુ આ વર્ષે 1 ઓક્ટોબરથી નવા ટાઇમ ટેબલના રિલીઝની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, નવું ટાઈમ ટેબલ બહાર કરવામાં આવ્યા બાદ ઘણી ટ્રેનના આગમન/પ્રસ્થાનનો સમય, સ્ટેશન પર તેમના રોકાવાના સમય વગેરે બધુ બદલાશે. એટલે કે, જો તમે 1 ઓક્ટોબર પછી મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો મુસાફરી કરતા પહેલા પહેલા ટ્રેનનું નવુ ટાઇમ ટેબલ અને ટ્રેનનો સમય ચોક્કસથી જાણી લો.

પહેલી ઓક્ટોબરથી ટ્રેનનું નવું ટાઇમ ટેબલ લાગુ થશે
જેમ જેમ વર્તમાન સમયમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યુ છે અને રસીકરણમાં પણ વધારો થઇ રહ્યો છે, તેમ તેમ રેલવે સેવાઓ પાટા પર પરત ફરી રહી છે. નવું ટાઈમ ટેબલ લાગુ થયા બાદ ભાડું પણ વધી શકે છે. નવા ટાઇમ ટેબલના અમલ બાદ ટ્રેનની શ્રેણી પણ બદલાશે. એવી શક્યતા છે કે, 1 ઓક્ટોબરથી નવા ટાઇમ ટેબલના અમલ બાદ રેલવે મુસાફરોને રાહત મળશે, પેસેન્જર ટ્રેનની સ્થિતિ પણ બદલાઈ શકે છે. ટ્રેનને જન શતાબ્દી, સુપરફાસ્ટ, એક્સપ્રેસ ટ્રેનની શ્રેણીની સાથે વિશેષની જગ્યાએ રજૂ કરવામાં આવશે. સ્થિતિના બદલાવ સાથે ટ્રેનના ભાડામાં પણ વધારો થાય તેવી શક્યતાઓ રહેલી છે.

રેલવેએ ટ્રીપમાં પણ વધારો કર્યો
મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને રેલવેએ ગોરખપુર અને મુંબઈ વચ્ચે દોડતી વિશેષ ટ્રેનોની ટ્રીપમાં વધારો કર્યો છે. રેલવેએ 1 જોડી ટ્રેનની આવર્તન વધારી છે. ઉલ્લેખનીય છે કે, આ ટ્રેન સંપૂર્ણપણે આરક્ષિત વર્ગની ટ્રેન છે. મુસાફરોના ધસારાને નિયંત્રિત કરવા માટે રેલવેએ તેની આવર્તન વધારવાનો નિર્ણય કર્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
