જેટ એરવેઝના 2,000 કર્મચારીઓને નોકરી આપશે સ્પાઇસજેટ
નાણાકીય કટોકટીનો સામનો કરવાના કારણે બંધ થઇ ચુકેલી ખાનગી જેટ એરવેઝના કર્મચારીઓ માટે મોટી ખબર સામે આવી રહી છે.
નાણાકીય કટોકટીનો સામનો કરવાના કારણે બંધ થઇ ચુકેલી ખાનગી જેટ એરવેઝના કર્મચારીઓ માટે મોટી ખબર સામે આવી રહી છે. બજેટ એરલાઇન સ્પાઇસજેટ જેટ એરવેઝના પાયલોટ અને ડ્રાઈવર સહિત કુલ 2,000 કર્મચારીઓને નોકરી આપવા જઈ રહી છે.
આ પણ વાંચો: Naresh Goyal અને તેમની પત્નીને વિદેશ જતી વખતે વિમાનમાંથી ઉતારવામાં આવ્યા

જેટ એરવેઝે એપ્રિલમાં અસ્થાયી રૂપે તેની કામગીરી બંધ કરી દીધી હતી
નોંધપાત્ર છે કે, જેટ એરવેઝનું પરિચાલન હાલમાં અસ્થાયી રૂપે બંધ છે. બીજી બાજુ, સ્પાઇસજેટ તેના પરિચાલનને વિસ્તૃત કરી રહી છે. સ્પાઇસજેટે પહેલા જ જેટ એરવેઝ દ્વારા ઉપયોગમાં લેવાતા 22 જેટલા વિમાનો તેમના કાફલામાં સામેલ કર્યા છે. જેટ એરવેઝે એપ્રિલમાં તેમનું પરિચાલન અસ્થાયી રૂપે બંધ કરી દીધું હતું.

જેટ એરવેઝના 1100 કર્મચારીઓને અત્યાર સુધીમાં નોકરી મળી ચુકી છે
સ્પાઇસજેટના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અજય સિંહના જણાવ્યા પ્રમાણે, અમે જેટ એરવેઝના લોકોને નોંધપાત્ર રીતે સાથે જોડ્યા છે. અમે આગળ પણ જેટ એરવેઝના લોકોને નોકરી આપવાનું જારી રાખીશું. તેમણે કહ્યું કે અમે જેટ એરવેઝના 1,100 કર્મચારીઓને અમારી સાથે જોડ્યા છે. આશા છે કે આ આંકડો 2,000 સુધી જશે. તેમાં પાઇલોટ્સ, ક્રૂ સભ્યો અને એરપોર્ટ સેવાઓ, સુરક્ષા સાથે સંકળાયેલા લોકોનો સમાવેશ થાય છે.

હાલમાં, સ્પાઇસજેટના કર્મચારીઓની સંખ્યા 14,000
જણાવી દઈએ કે અજય સિંહ કહે છે કે સ્પાઇસજેટમાં બોઇંગ 737, બોમ્બરર્ડિયર ક્યુ 400 અને બી 737 ફાઇટર એરક્રાફ્ટ છે. એરલાઇન 62 સ્થળો માટે 575 દૈનિક ફ્લાઇટ્સ ચલાવે છે. આમાં નવ ઇન્ટરનેશનલ ડિસ્ટિનેશનનો સમાવેશ થાય છે. હાલમાં, સ્પાઇસજેટના કર્મચારીઓની સંખ્યા 14,000 છે અને તેના કાફલામાં 100 વિમાન છે. એર ઇન્ડિયા, જેટ એરવેઝ અને ઇન્ડિગો પછી આ ચોથી એરલાઇન છે, જેમાં 100 વિમાન પરિચાલનમાં છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
